જાણો કોણ હતા Marie Tharp, જેમને ગૂગલે કર્યા છે યાદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-21 12:08:24

ગૂગલ દિવસો પ્રમાણે પોતાના ડૂડલ બદલતું રહે છે. ત્યારે આજે ગૂગલે અમેરિકન ભૂસ્તશાસ્ત્રી અને સમુદ્રી નકશાકાર Marie Tharpને યાદ કરીને પોતાનું ડૂડલ બદલ્યું છે. ખંડીય પ્રવાહના સિદ્ધાંતને તેમણે સિદ્ધ કરી બતાવ્યો હતો. ઉપરાંત તેમણે થર્પને એટલાન્ટિક મહાસાગરના ફ્લોરનો પ્રથમ વૈજ્ઞાનિક નક્શો પણ તેમણે બનાવ્યો હતો. તેમના દ્વારા કરવામાં આવેલા યોગદાનને કારણે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે.

 

ડૂડલ પર ક્લિક કરી મેળવી શકાશે જાણકારી

અમેરિકન ભૂસ્તશાસ્ત્રી અને સમુદ્રી નક્શાકારને યાદ કરવા ગૂગલે પોતાનું ડૂડલ બદલ્યું છે. ગૂગલ તેમના જીવનની અને તેમના દ્વારા અપાયેલ યોગદાનની ઉજવણી કરી રહ્યું છે. દર્શકોને તેમના જીવન વિશે અને તેમની સિદ્ધી વિશે જાણકારી મળે માટે ગૂગલે સારી વ્યવસ્થા કરી છે. તેમની જાણકારી મેળવવા યુઝર્સે ફક્ત ડૂડલ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ એક વીડિયો જેવું ઓપન થશે જેમાં તેમના દ્વારા કરાયેલ સંશોધનનો વિશે માહિતી આપવામાં આવશે. 

Google Doodles

તેમના યોગદાનને ગૂગલે કર્યું યાદ

21 નવેમ્બરના રોજ તેમનું નામ વિશ્વના મહાન નકશાલેખકોમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ જ દિવસે 20મી સદીના મહાન નકશાલેખકોની યાદીમાં લાઈબ્રેરી ઓફ કોંગ્રેસે તેમના નામનો સમાવેશ કર્યો હતો. જેને લઈ ગૂગલ આજે તેમની સિદ્ધીની ઉજવણી ડૂડલ રાખી કરી રહ્યું છે.          




લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.