જાણો કોણ હતા Marie Tharp, જેમને ગૂગલે કર્યા છે યાદ


  • Published By :
  • Published Date : 2022-11-21 12:08:24

ગૂગલ દિવસો પ્રમાણે પોતાના ડૂડલ બદલતું રહે છે. ત્યારે આજે ગૂગલે અમેરિકન ભૂસ્તશાસ્ત્રી અને સમુદ્રી નકશાકાર Marie Tharpને યાદ કરીને પોતાનું ડૂડલ બદલ્યું છે. ખંડીય પ્રવાહના સિદ્ધાંતને તેમણે સિદ્ધ કરી બતાવ્યો હતો. ઉપરાંત તેમણે થર્પને એટલાન્ટિક મહાસાગરના ફ્લોરનો પ્રથમ વૈજ્ઞાનિક નક્શો પણ તેમણે બનાવ્યો હતો. તેમના દ્વારા કરવામાં આવેલા યોગદાનને કારણે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે.

 

ડૂડલ પર ક્લિક કરી મેળવી શકાશે જાણકારી

અમેરિકન ભૂસ્તશાસ્ત્રી અને સમુદ્રી નક્શાકારને યાદ કરવા ગૂગલે પોતાનું ડૂડલ બદલ્યું છે. ગૂગલ તેમના જીવનની અને તેમના દ્વારા અપાયેલ યોગદાનની ઉજવણી કરી રહ્યું છે. દર્શકોને તેમના જીવન વિશે અને તેમની સિદ્ધી વિશે જાણકારી મળે માટે ગૂગલે સારી વ્યવસ્થા કરી છે. તેમની જાણકારી મેળવવા યુઝર્સે ફક્ત ડૂડલ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ એક વીડિયો જેવું ઓપન થશે જેમાં તેમના દ્વારા કરાયેલ સંશોધનનો વિશે માહિતી આપવામાં આવશે. 

Google Doodles

તેમના યોગદાનને ગૂગલે કર્યું યાદ

21 નવેમ્બરના રોજ તેમનું નામ વિશ્વના મહાન નકશાલેખકોમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ જ દિવસે 20મી સદીના મહાન નકશાલેખકોની યાદીમાં લાઈબ્રેરી ઓફ કોંગ્રેસે તેમના નામનો સમાવેશ કર્યો હતો. જેને લઈ ગૂગલ આજે તેમની સિદ્ધીની ઉજવણી ડૂડલ રાખી કરી રહ્યું છે.          




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.