ભારતીય ચૂંટણી પંચને મૂળથી બદલનાર અધિકારીને આ કારણથી યાદ કરવામાં આવી રહ્યા છે


  • Published By :
  • Published Date : 2022-11-24 21:36:43

ભારતના લોકતંત્રની વાત કરાય છે ત્યારે એક નામ કાન પર સંભળાય જ જાય છે. જે નામ છે દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી એન શેષન. તેઓએ વર્ષ 2019માં દુનિયાની વિદાય લીધી છે, છતાંય આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ. તેઓ આજે ફરી ચર્ચામાં છે કારણ કે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ચૂંટણી કમિશનર પર ભારે જવાબદારીઓ હોય છે. માટે આ પદ પર એવા અધિકારીની જરૂર હોય છે જે કોઈના દબાવ્યે દબાય ના જાય. દેશમાં ટી એન શેષન અમુકવાર જ જન્મ લે છે. તો ચાલો જમાવટ પર જાણીએ એ ટી એન શેષનની પૂરી વિગત...


પહેલેથી જ અભ્યાસમાં હતા હોશિયાર 

ટીએન શેષનનો જન્મ કેરળના પલક્કડમાં થયો હતો. તેમણે કેરળમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. ટીએન શેષને મદ્રાસ ક્રિશ્ચન કોલેજમાં ફિજિક્સમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર કર્યું હતું. ત્યારબાદ તેઓએ સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી હતી. વર્ષ 1953માં તેમણે પોલીસે સેવા પરીક્ષામાં પણ ટોપ કર્યું હતું અને 1954માં સિવિલ સર્વિસમાં પણ પાસ થયા હતા. ત્યારબાદ તેમણે અનેક જગ્યાઓ પર સરકારી સેવક તરીકે સેવા આપી હતી.


આ રીતે તેઓને બનાવાયા હતા મુખ્ય ચૂંટણી કમિશનર

ચંદ્રશેખરની જ્યારે ભારતમાં સરકાર હતી ત્યારે ટીએન શેષનને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. ચંદ્રશેખરની સરકારમાં સુબ્રમણ્યમ સ્વામી કાયદા મંત્રી હતા. સુબ્રમણ્યમ સ્વામી અને શેષન સારા મિત્ર હતા. આથી સુબ્રમણ્યમ સ્વામીએ ટીએન શેષનને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવા માટે પ્રસ્તાવ કર્યો હતો. શરૂઆતમાં તો ટીએન શેષને સુબ્રમણ્યને મનાહી કરી દીધી હતી પરંતુ પછી મનાવ્યા બાદ તૈયાર થઈ ગયા હતા. 


ચૂંટણી અધિકારી તરીકે તેમણે કંઈક આવી પારી રમી હતી 

ટી એન શેષન કેન્દ્ર સરકારમાં પૂર્વ કેબિનેટ સચિવ હતા. ટી એન શેષનને વર્ષ 1990માં મુખ્ય ચૂંટણી કમિશનર પદે સેવા આપી હતી. તેમનો કાર્યકાળ ડિસેમ્બર 1996 સુધી રહ્યો હતો. તેમણે પોતાના સમયગાળા દરમિયાન એવા નિર્ણયો લીધા હતા જેના કારણે ભારતની ચૂંટણી વ્યવસ્થામાં મોટા બદલાવો આવ્યા. દેશમાં ચૂંટણી પંચની શક્તિને માન્યતા નહીં અપાતા ટીએન શેષને દેશની તમામ ચૂંટણીઓ સ્થિગત કરી દીધી હતી. જે વિસ્તારોની અંદર ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ રહી તે વિસ્તારોમાં ટીએન શેષને પોતાની કુનેહ વાપરીને બુથ કેપ્ચરિંગ બંધ કર્યું હતું. બિહારના બુથ કેપ્ચરિંગ ગુંડાઓ નહીં પરંતુ રાજનેતાઓ જ બુથ કેપ્ચરિંગ કરી રહ્યા હતા જે ગોરખધંધા શેષને બંધ કરાવ્યા હતા. 


પ્રધાનમંત્રી કક્ષાના મોટા નેતાને પણ શેષને નહોતા છોડ્યા!

પ્રધાનમંત્રી નરસિમ્હારાવ હોય, હિમાચલના રાજ્યપાલ ગુલશેર અહમદ હોય કે બિહારના મુખ્યમંત્રી લાલુ યાદવ હોય, ટીએન શેષને કોઈને નહોતા છોડ્યા. આ નેતાઓ સહિત અનેક મોટા નેતા સાથે ટીએન શેષને બાંયો ચઢાવી લીધી હતી. બિહારમાં તો ટીએન શેષને પહેલીવાર ચાર તબક્કામાં ચૂંટણી કરાવી હતી અને ચારેવાર તારીખોમાં ફેરફાર કરાવ્યા હતા. 


ટીએન શેષને કરી દીધી હતી લાલુ યાદવની હવા ટાઈટ!

બિહારમાં વર્ષ 1995માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી દરમિયાન ટીએન શેષનની કડક કામગીરીથી લાલુ યાદવને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તે સમયની અંદર તો લાલુ યાદવ ટીએન શેષન નામ સાંભળતાની સાથે જ લાલઘૂમ થઈ જતા હતા. લાલુ યાદવે એક બેઠકની અંદર તો કહી દીધું હતું કે શેષન પાગલ સાંઢ જેવું કરી રહ્યા છે. ટીએન શેષને જ્યારે બિહારમાં ચોથીવાર ચૂંટણી સ્થગિત કરી હતી ત્યારે તો લાલુ યાદવે આખું બિહાર માથે લઈ લીધું હતું. 

 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.