ભારતીય ચૂંટણી પંચને મૂળથી બદલનાર અધિકારીને આ કારણથી યાદ કરવામાં આવી રહ્યા છે


  • Published By :
  • Published Date : 2022-11-24 21:36:43

ભારતના લોકતંત્રની વાત કરાય છે ત્યારે એક નામ કાન પર સંભળાય જ જાય છે. જે નામ છે દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી એન શેષન. તેઓએ વર્ષ 2019માં દુનિયાની વિદાય લીધી છે, છતાંય આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ. તેઓ આજે ફરી ચર્ચામાં છે કારણ કે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ચૂંટણી કમિશનર પર ભારે જવાબદારીઓ હોય છે. માટે આ પદ પર એવા અધિકારીની જરૂર હોય છે જે કોઈના દબાવ્યે દબાય ના જાય. દેશમાં ટી એન શેષન અમુકવાર જ જન્મ લે છે. તો ચાલો જમાવટ પર જાણીએ એ ટી એન શેષનની પૂરી વિગત...


પહેલેથી જ અભ્યાસમાં હતા હોશિયાર 

ટીએન શેષનનો જન્મ કેરળના પલક્કડમાં થયો હતો. તેમણે કેરળમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. ટીએન શેષને મદ્રાસ ક્રિશ્ચન કોલેજમાં ફિજિક્સમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર કર્યું હતું. ત્યારબાદ તેઓએ સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી હતી. વર્ષ 1953માં તેમણે પોલીસે સેવા પરીક્ષામાં પણ ટોપ કર્યું હતું અને 1954માં સિવિલ સર્વિસમાં પણ પાસ થયા હતા. ત્યારબાદ તેમણે અનેક જગ્યાઓ પર સરકારી સેવક તરીકે સેવા આપી હતી.


આ રીતે તેઓને બનાવાયા હતા મુખ્ય ચૂંટણી કમિશનર

ચંદ્રશેખરની જ્યારે ભારતમાં સરકાર હતી ત્યારે ટીએન શેષનને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. ચંદ્રશેખરની સરકારમાં સુબ્રમણ્યમ સ્વામી કાયદા મંત્રી હતા. સુબ્રમણ્યમ સ્વામી અને શેષન સારા મિત્ર હતા. આથી સુબ્રમણ્યમ સ્વામીએ ટીએન શેષનને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવા માટે પ્રસ્તાવ કર્યો હતો. શરૂઆતમાં તો ટીએન શેષને સુબ્રમણ્યને મનાહી કરી દીધી હતી પરંતુ પછી મનાવ્યા બાદ તૈયાર થઈ ગયા હતા. 


ચૂંટણી અધિકારી તરીકે તેમણે કંઈક આવી પારી રમી હતી 

ટી એન શેષન કેન્દ્ર સરકારમાં પૂર્વ કેબિનેટ સચિવ હતા. ટી એન શેષનને વર્ષ 1990માં મુખ્ય ચૂંટણી કમિશનર પદે સેવા આપી હતી. તેમનો કાર્યકાળ ડિસેમ્બર 1996 સુધી રહ્યો હતો. તેમણે પોતાના સમયગાળા દરમિયાન એવા નિર્ણયો લીધા હતા જેના કારણે ભારતની ચૂંટણી વ્યવસ્થામાં મોટા બદલાવો આવ્યા. દેશમાં ચૂંટણી પંચની શક્તિને માન્યતા નહીં અપાતા ટીએન શેષને દેશની તમામ ચૂંટણીઓ સ્થિગત કરી દીધી હતી. જે વિસ્તારોની અંદર ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ રહી તે વિસ્તારોમાં ટીએન શેષને પોતાની કુનેહ વાપરીને બુથ કેપ્ચરિંગ બંધ કર્યું હતું. બિહારના બુથ કેપ્ચરિંગ ગુંડાઓ નહીં પરંતુ રાજનેતાઓ જ બુથ કેપ્ચરિંગ કરી રહ્યા હતા જે ગોરખધંધા શેષને બંધ કરાવ્યા હતા. 


પ્રધાનમંત્રી કક્ષાના મોટા નેતાને પણ શેષને નહોતા છોડ્યા!

પ્રધાનમંત્રી નરસિમ્હારાવ હોય, હિમાચલના રાજ્યપાલ ગુલશેર અહમદ હોય કે બિહારના મુખ્યમંત્રી લાલુ યાદવ હોય, ટીએન શેષને કોઈને નહોતા છોડ્યા. આ નેતાઓ સહિત અનેક મોટા નેતા સાથે ટીએન શેષને બાંયો ચઢાવી લીધી હતી. બિહારમાં તો ટીએન શેષને પહેલીવાર ચાર તબક્કામાં ચૂંટણી કરાવી હતી અને ચારેવાર તારીખોમાં ફેરફાર કરાવ્યા હતા. 


ટીએન શેષને કરી દીધી હતી લાલુ યાદવની હવા ટાઈટ!

બિહારમાં વર્ષ 1995માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી દરમિયાન ટીએન શેષનની કડક કામગીરીથી લાલુ યાદવને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તે સમયની અંદર તો લાલુ યાદવ ટીએન શેષન નામ સાંભળતાની સાથે જ લાલઘૂમ થઈ જતા હતા. લાલુ યાદવે એક બેઠકની અંદર તો કહી દીધું હતું કે શેષન પાગલ સાંઢ જેવું કરી રહ્યા છે. ટીએન શેષને જ્યારે બિહારમાં ચોથીવાર ચૂંટણી સ્થગિત કરી હતી ત્યારે તો લાલુ યાદવે આખું બિહાર માથે લઈ લીધું હતું. 

 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .