જાણો Jamnagar શા માટે Ambani પરિવાર માટે છે ખાસ? Anant Ambani Radhika Merchantના Pre wedding પહેલા Nita Ambaniએ કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-03-01 15:40:41

ગુજરાતના મહેમાનો અનેક વિદેશી મહેમાનો, બોલિવુડ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ બની રહ્યા છે કારણ કે Ambani Parivarમાં લગ્નનો પ્રસંગ છે. Nita Ambani અને Mukesh Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. Jamnagar ખાતે પ્રીવેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના સેલિબ્રેશનના અનેક વીડિયો સામે આવી રહ્યા છે ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આજથી પ્રી વેડિંગ કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે અને તેની પહેલી નીતા અંબાણીએ એક વીડિયો શેર કર્યો છે.

જો પ્રી-વેડિંગમાં આટલી ધામધૂમ છે તો લગ્નમાં કેટલી હશે? 

અંબાણી પરિવાર પોતાના ગુજરાતીપણા માટે જ વધારે ચર્ચામાં રહે છે. પોતાની સંસ્કૃતિ પોતાના સંસ્કાર માટે, લાઈફ સ્ટાઈલ માટે આ પરિવાર જાણીતો છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીના આવા અદ્ધભૂત લગ્ન બાદ બધાની નજર હતી અંનત અંબાણી અને રાધિકાના લગ્ન પર. આજથી જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. પ્રી વેડિંગ કાર્યક્રમમાં પણ એવી જોરશોરથી તૈયારી કરવામાં આવી છે જાણે લગ્ન હોય. જે પ્રમાણે પ્રી-વેડિંગની તૈયારીઓ થઈ રહી છે તેની પરથી સવાલ થઈ રહ્યો છે કે જો આ પ્રસંગ આવો છે તો લગ્ન કેવા હશે? 



જામનગર ખાતે કરવામાં આવ્યું છે પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન 

આ પ્રી વેડિંગમાં સામેલથવા દેશભરના બિઝનેસમેન અને મોટી હસ્તીઓ જામનગર પહોંચી રહી છે. લગ્ન 12મી જુલાઈએ છે પણ તે પહેલા જામનગરમાં પહેલીથી 3જી માર્ચ સુધી પ્રી-વેડિંગ સેલિબ્રેશન છે આ સેલિબ્રેશનના પહેલા દિવસે નીતા અંબાણીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે જેમાં ઉજવણીની મુખ્ય થીમ શું છે તેની જાણકારી આપવામાં આવી છે.  

શા માટે જામનગરમાં રાખવામાં આવ્યો પ્રી-વેડિંગ કાર્યક્રમ?

એટલું જ નહીં અનંત અંબાણીએ પણ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે કેમ આ ફંક્શન જામનગરમાં રાખવામાં આવ્યું છે? તેમણે કહ્યું હતું કે મારા દાદી જામનગરનાં છે. હું અહીં પ્રી-વેડિંગ કરી રહ્યો છું કારણ કે તેઓનું ઘર અહીં છે. આ મારું પણ ઘર છે, હું જેટલો મુંબઈનો છું એટલો જ જામનગરનો છું. અમે ગુજરાતનાં છીએ. પ્રી વેડિંગ અહીં અને લગ્ન મુંબઈમાં થશે. અહીં અમે જામનગરવાસીઓ અને અમારા સાથી કર્મચારીઓ સાથે પ્રી- વેડિંગ કરીશું તો તેની મજા અલગ જ હશે. અને અંબાણી પરીવાર પોતાની આ વાતો અને સંસ્કારથી લોકોના દિલ જીતી શક્યા છે   




સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.