જાણો Jamnagar શા માટે Ambani પરિવાર માટે છે ખાસ? Anant Ambani Radhika Merchantના Pre wedding પહેલા Nita Ambaniએ કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-03-01 15:40:41

ગુજરાતના મહેમાનો અનેક વિદેશી મહેમાનો, બોલિવુડ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ બની રહ્યા છે કારણ કે Ambani Parivarમાં લગ્નનો પ્રસંગ છે. Nita Ambani અને Mukesh Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. Jamnagar ખાતે પ્રીવેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના સેલિબ્રેશનના અનેક વીડિયો સામે આવી રહ્યા છે ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આજથી પ્રી વેડિંગ કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે અને તેની પહેલી નીતા અંબાણીએ એક વીડિયો શેર કર્યો છે.

જો પ્રી-વેડિંગમાં આટલી ધામધૂમ છે તો લગ્નમાં કેટલી હશે? 

અંબાણી પરિવાર પોતાના ગુજરાતીપણા માટે જ વધારે ચર્ચામાં રહે છે. પોતાની સંસ્કૃતિ પોતાના સંસ્કાર માટે, લાઈફ સ્ટાઈલ માટે આ પરિવાર જાણીતો છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીના આવા અદ્ધભૂત લગ્ન બાદ બધાની નજર હતી અંનત અંબાણી અને રાધિકાના લગ્ન પર. આજથી જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. પ્રી વેડિંગ કાર્યક્રમમાં પણ એવી જોરશોરથી તૈયારી કરવામાં આવી છે જાણે લગ્ન હોય. જે પ્રમાણે પ્રી-વેડિંગની તૈયારીઓ થઈ રહી છે તેની પરથી સવાલ થઈ રહ્યો છે કે જો આ પ્રસંગ આવો છે તો લગ્ન કેવા હશે? 



જામનગર ખાતે કરવામાં આવ્યું છે પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન 

આ પ્રી વેડિંગમાં સામેલથવા દેશભરના બિઝનેસમેન અને મોટી હસ્તીઓ જામનગર પહોંચી રહી છે. લગ્ન 12મી જુલાઈએ છે પણ તે પહેલા જામનગરમાં પહેલીથી 3જી માર્ચ સુધી પ્રી-વેડિંગ સેલિબ્રેશન છે આ સેલિબ્રેશનના પહેલા દિવસે નીતા અંબાણીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે જેમાં ઉજવણીની મુખ્ય થીમ શું છે તેની જાણકારી આપવામાં આવી છે.  

શા માટે જામનગરમાં રાખવામાં આવ્યો પ્રી-વેડિંગ કાર્યક્રમ?

એટલું જ નહીં અનંત અંબાણીએ પણ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે કેમ આ ફંક્શન જામનગરમાં રાખવામાં આવ્યું છે? તેમણે કહ્યું હતું કે મારા દાદી જામનગરનાં છે. હું અહીં પ્રી-વેડિંગ કરી રહ્યો છું કારણ કે તેઓનું ઘર અહીં છે. આ મારું પણ ઘર છે, હું જેટલો મુંબઈનો છું એટલો જ જામનગરનો છું. અમે ગુજરાતનાં છીએ. પ્રી વેડિંગ અહીં અને લગ્ન મુંબઈમાં થશે. અહીં અમે જામનગરવાસીઓ અને અમારા સાથી કર્મચારીઓ સાથે પ્રી- વેડિંગ કરીશું તો તેની મજા અલગ જ હશે. અને અંબાણી પરીવાર પોતાની આ વાતો અને સંસ્કારથી લોકોના દિલ જીતી શક્યા છે   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.