જાણો Jamnagar શા માટે Ambani પરિવાર માટે છે ખાસ? Anant Ambani Radhika Merchantના Pre wedding પહેલા Nita Ambaniએ કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-03-01 15:40:41

ગુજરાતના મહેમાનો અનેક વિદેશી મહેમાનો, બોલિવુડ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ બની રહ્યા છે કારણ કે Ambani Parivarમાં લગ્નનો પ્રસંગ છે. Nita Ambani અને Mukesh Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. Jamnagar ખાતે પ્રીવેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના સેલિબ્રેશનના અનેક વીડિયો સામે આવી રહ્યા છે ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આજથી પ્રી વેડિંગ કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે અને તેની પહેલી નીતા અંબાણીએ એક વીડિયો શેર કર્યો છે.

જો પ્રી-વેડિંગમાં આટલી ધામધૂમ છે તો લગ્નમાં કેટલી હશે? 

અંબાણી પરિવાર પોતાના ગુજરાતીપણા માટે જ વધારે ચર્ચામાં રહે છે. પોતાની સંસ્કૃતિ પોતાના સંસ્કાર માટે, લાઈફ સ્ટાઈલ માટે આ પરિવાર જાણીતો છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીના આવા અદ્ધભૂત લગ્ન બાદ બધાની નજર હતી અંનત અંબાણી અને રાધિકાના લગ્ન પર. આજથી જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. પ્રી વેડિંગ કાર્યક્રમમાં પણ એવી જોરશોરથી તૈયારી કરવામાં આવી છે જાણે લગ્ન હોય. જે પ્રમાણે પ્રી-વેડિંગની તૈયારીઓ થઈ રહી છે તેની પરથી સવાલ થઈ રહ્યો છે કે જો આ પ્રસંગ આવો છે તો લગ્ન કેવા હશે? 



જામનગર ખાતે કરવામાં આવ્યું છે પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન 

આ પ્રી વેડિંગમાં સામેલથવા દેશભરના બિઝનેસમેન અને મોટી હસ્તીઓ જામનગર પહોંચી રહી છે. લગ્ન 12મી જુલાઈએ છે પણ તે પહેલા જામનગરમાં પહેલીથી 3જી માર્ચ સુધી પ્રી-વેડિંગ સેલિબ્રેશન છે આ સેલિબ્રેશનના પહેલા દિવસે નીતા અંબાણીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે જેમાં ઉજવણીની મુખ્ય થીમ શું છે તેની જાણકારી આપવામાં આવી છે.  

શા માટે જામનગરમાં રાખવામાં આવ્યો પ્રી-વેડિંગ કાર્યક્રમ?

એટલું જ નહીં અનંત અંબાણીએ પણ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે કેમ આ ફંક્શન જામનગરમાં રાખવામાં આવ્યું છે? તેમણે કહ્યું હતું કે મારા દાદી જામનગરનાં છે. હું અહીં પ્રી-વેડિંગ કરી રહ્યો છું કારણ કે તેઓનું ઘર અહીં છે. આ મારું પણ ઘર છે, હું જેટલો મુંબઈનો છું એટલો જ જામનગરનો છું. અમે ગુજરાતનાં છીએ. પ્રી વેડિંગ અહીં અને લગ્ન મુંબઈમાં થશે. અહીં અમે જામનગરવાસીઓ અને અમારા સાથી કર્મચારીઓ સાથે પ્રી- વેડિંગ કરીશું તો તેની મજા અલગ જ હશે. અને અંબાણી પરીવાર પોતાની આ વાતો અને સંસ્કારથી લોકોના દિલ જીતી શક્યા છે   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.