જાણો શા માટે 23 જાન્યુઆરીએ ઉજવાય છે પરાક્રમ દિવસ? નેતાજી સાથે શું છે પરાક્રમ દિવસનો નાતો?


  • Published By :
  • Published Date : 2023-01-23 15:02:46

સમગ્ર દેશમાં આજે પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 23 જાન્યુઆરીના રોજ પરાક્રમ દિવસની ઉજવણી કરાય છે. આ દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 જાન્યુઆરીના રોજ પરાક્રમ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. આ દિવસની ઉજવણી દ્વારા સ્વતંત્રતા સંગ્રામની ચળવળને યાદ કરવામાં આવે. બાળકો આઝાદીની લડાઈ વિશે જાણે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.


સુભાષચંદ્ર બોઝની યાદમાં ઉજવાય છે પરાક્રમ દિવસ 

નેતાજી સુભાષચંદ્ર બોઝે પોતાના જીવનકાળ દરમિયાન આઝાદી માટે લડાઈ લડી હતી. સ્વતંત્રતા આંદોલનની લડાઈ માટે તેમણે આઝાદ હિંદ ફોઝનું ગઠન કર્યું હતું. ભારતને આઝાદ કરાવા પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. આઝાદીની જંગમાં તેમના યોગદાન અને તેમના પરાક્રમને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 


2021માં આ દિવસને ઉજવવાની ઘોષણા થઈ 

તુમ મુજે ખુન દો, મેં તુમહે આઝાદી દુંગાનો નારો સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો. આ નારો સાંભળતા જ અનેરો ઉત્સાહ જાગી જાય છે. તેઓ કહેતા હતા કે જિસકે અંદર સન નહીં હોતી, વહ કભી મહાન નહીં બન સકતા. ઉપરાંત તેઓ માનતા હતા કે સૌથી મોટો અપરાધ અન્યાયને સહવાનો છે અને ખોટાની સાથે સમજાવટ કરવાનો છે. આજની પેઢી સુધી નેતાજીના વિચાર પહોંચાડવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.     


વડાપ્રધાન મોદીએ નેતાજીને પાઠવી શ્રદ્ધાંજલિ 

અનેક રાજનેતાઓએ સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતી પર યાદ કર્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. પીએમએ લખ્યું કે આજે પરાક્રમ દિવસ પર નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. અને દેશ માટે કરેલા અતુલ્નીય યોગદાનને યાદ કરું છું. તેમના વિચારોથી ઘણો પ્રભાવિત છું. ભારત માટેના તેમના વિઝનને હકીકત બનાવા અમે કામ કરી રહ્યા છીએ.


રાહુલ ગાંધી અને ખડગેએ પણ નેતાજીને કર્યા યાદ 

તે સિવાય અમિત શાહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તે સિવાય કોંગ્રેસના અનેક નેતાઓને પણ તેમણે યાદ કર્યા હતા. રાહુલ ગાંધી, તેમજ મલ્લિકાર્જુન ખડગે તેમને યાદ કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમનું સાહસ અને દેશભક્તિ આજે પણ દરેક ભારતીયને દેશની આઝાદી અને રક્ષા કરવા માટે પ્રેરિત કરે છે.   



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .