'ખોટા કામનું ખોટું જ પરિણામ આવવાનું' જાણો કેમ અસદની સાથે એન્કાઉન્ટરમાં મરાયેલા ગુલામની માતાએ કહ્યા આવા શબ્દો....


  • Published By :
  • Published Date : 2023-04-14 15:01:45

ગઈકાલે ઝાંસી નજીક અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર  કરવામાં આવ્યું હતું. અસદની સાથે બીજા એક વ્યક્તિનું એન્કાઉન્ટર પણ કરવામાં આવ્યું હતું. તે હતો ગેંગસ્ટર ગુલામ. ગુલામને પણ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. ત્યારે આ મામલે અતિક અહેમદની પ્રતિક્રિયા તો આપણે જોઈ પણ હવે ગુલામની માતાની પ્રતિક્રિયા સામે આવી છે. દીકરાના મોત બાદ ગુલામની માતાએ કહ્યું કે દીકરાએ ખોટું કામ કર્યું છે તો ખોટા કામનું ખોટું જ પરિણામ આવવાનું છે. યોગી સરકારે જે કર્યું તે યોગ્ય કર્યું છે.

  

ખોટું કામ કર્યું તો ખોટું પરિણામ જ આવવાનું - ગુલામની માતા 

જ્યારે કોઈ માતા પોતાના પુત્ર માટે આવું કહેતી હોય તે આશ્ચર્યજનક વાત છે. ગુલામની માતાએ કહ્યું કે અનેક વખત ગુલામને હાથ જોડીને સમજાવ્યો પરંતુ તે માન્યો નહી. ગુલામની માતાએ કહ્યું કે તકલીફ તો થઈ, સંતાન તો હતું પણ ખોટું કામ કર્યું છે તો ખોટુ પરિણામ તો આવવાાનું જ છે. ખોટા કામ કર્યા છે તો એન્કાઉન્ટર કર્યું તો ઠીક જ કર્યું છે. અમે તેની લાશ પણ લેવા જવાના નથી. તેને જોવાની હવે તાકાત નથી. 

why did ghulam family denies to take his dead body for last rites encounter asad

લાશ સ્વીકારનો પરિવારે કર્યો ઈન્કાર 

માતાની સાથે સાથે ગુલામના ભાઈએ પણ કંઈક આવી જ વાત કહી હતી. ગુલામના કારસ્તાનથી ગુલામનો પરિવાર પણ નારાજ છે તેવું લાગી રહ્યું છે. ગુલામના ભાઈએ કહ્યું કે સરકારે જે પણ કામ કર્યું છે તે સારું કર્યું છે. અમે પણ પોલિટિક્સમાં રહ્યા છીએ. અમે સમાજ સેવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે લોકો મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ. અમે અંતિમ સંસ્કારમાં પણ ભાગ નહીં લઈએ. માં એ હમેશાં ત્રણેય ભાઈઓને સારા રસ્તા પર ચાલવું અને સારા કામ કરવાની સલાહ આપી છે. પરંતુ ગુલામે તો ઉધું જ કરી નાખ્યું.ભાઈએ કહ્યું કે તેના કારણે પરિવાર વિખેરાઈ ગયો.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.