'ખોટા કામનું ખોટું જ પરિણામ આવવાનું' જાણો કેમ અસદની સાથે એન્કાઉન્ટરમાં મરાયેલા ગુલામની માતાએ કહ્યા આવા શબ્દો....


  • Published By :
  • Published Date : 2023-04-14 15:01:45

ગઈકાલે ઝાંસી નજીક અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર  કરવામાં આવ્યું હતું. અસદની સાથે બીજા એક વ્યક્તિનું એન્કાઉન્ટર પણ કરવામાં આવ્યું હતું. તે હતો ગેંગસ્ટર ગુલામ. ગુલામને પણ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. ત્યારે આ મામલે અતિક અહેમદની પ્રતિક્રિયા તો આપણે જોઈ પણ હવે ગુલામની માતાની પ્રતિક્રિયા સામે આવી છે. દીકરાના મોત બાદ ગુલામની માતાએ કહ્યું કે દીકરાએ ખોટું કામ કર્યું છે તો ખોટા કામનું ખોટું જ પરિણામ આવવાનું છે. યોગી સરકારે જે કર્યું તે યોગ્ય કર્યું છે.

  

ખોટું કામ કર્યું તો ખોટું પરિણામ જ આવવાનું - ગુલામની માતા 

જ્યારે કોઈ માતા પોતાના પુત્ર માટે આવું કહેતી હોય તે આશ્ચર્યજનક વાત છે. ગુલામની માતાએ કહ્યું કે અનેક વખત ગુલામને હાથ જોડીને સમજાવ્યો પરંતુ તે માન્યો નહી. ગુલામની માતાએ કહ્યું કે તકલીફ તો થઈ, સંતાન તો હતું પણ ખોટું કામ કર્યું છે તો ખોટુ પરિણામ તો આવવાાનું જ છે. ખોટા કામ કર્યા છે તો એન્કાઉન્ટર કર્યું તો ઠીક જ કર્યું છે. અમે તેની લાશ પણ લેવા જવાના નથી. તેને જોવાની હવે તાકાત નથી. 

why did ghulam family denies to take his dead body for last rites encounter asad

લાશ સ્વીકારનો પરિવારે કર્યો ઈન્કાર 

માતાની સાથે સાથે ગુલામના ભાઈએ પણ કંઈક આવી જ વાત કહી હતી. ગુલામના કારસ્તાનથી ગુલામનો પરિવાર પણ નારાજ છે તેવું લાગી રહ્યું છે. ગુલામના ભાઈએ કહ્યું કે સરકારે જે પણ કામ કર્યું છે તે સારું કર્યું છે. અમે પણ પોલિટિક્સમાં રહ્યા છીએ. અમે સમાજ સેવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે લોકો મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ. અમે અંતિમ સંસ્કારમાં પણ ભાગ નહીં લઈએ. માં એ હમેશાં ત્રણેય ભાઈઓને સારા રસ્તા પર ચાલવું અને સારા કામ કરવાની સલાહ આપી છે. પરંતુ ગુલામે તો ઉધું જ કરી નાખ્યું.ભાઈએ કહ્યું કે તેના કારણે પરિવાર વિખેરાઈ ગયો.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.