કોન્ટ્રાક્ટ પર શિક્ષક બનવા જઈ રહેલા યુવાનનો પત્ર!


  • Published By :
  • Published Date : 2023-07-12 18:20:32

રાજ્યમાં શિક્ષકોની વ્યાપક ઘટ છે જેના કારણે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી દીધી છે. આ યોજના હેઠળ 25,000 જ્ઞાન સહાયક તેમજ 5000 ખેલ સહાયકની ભરતી કરવામાં આવશે. આ ભરતી માત્ર 11 માસના કરાર આધારિત થવાની છે. કાયમીના બદલે કરાર આધારિત ભરતી હોવાથી રાજ્યના યુવાનોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. આ યુવાનો પૈકીના એક યુવકે જમાવટને સુંદર નિબંધ લખીને મોકલ્યો છે. આ નિબંધમાં તે યુવાને આકરા શબ્દોમાં તેનો આક્રોશ વ્યક્ત કર્યો છે, તો આવો જાણીએ તે યુવાને પત્રમાં શું લખ્યું છે?


'અંધેરી નગરી ને ગંડુ રાજા 

ટકે શેર ભાજી ટકે શેર ખાજા ' , 'વાડ થઈ ને ચિભડા ગળે '

  

NEP 2020 સાંપ્રત સમયે શિક્ષણમાં પણ કરાર આધારિત શિક્ષકો લેવાનો ઠરાવ થઈ ગયો છે. વાત વિચારવા જેવી છે જે શિક્ષક જ નિશ્ચિત નહિ હોય તે આવનાર ભારતના વિદ્યાર્થી ઓને ઉત્તમ નાગરિક કઈ રીતે બનાવશે. 


1964ની પ્રથમ શિક્ષણનીતિના અધ્યક્ષ પ્રો. કોઠારી એ સૂચવ્યું હતું 'ભારતનું ભાવિ તેના વર્ગ ખંડોમાં ઘડાઈ રહ્યું છે.' પણ હાલ વર્તમાન પરિસ્થિતિ જોતા તો, 'ભારતનું ભાવિ રંધાઈ રહ્યું છે.'  


પ્રવાસી ,જ્ઞાન સહાયક  તેમ ઘણું હજી આવશે આપણે ક્યાંક આવી ટ્રસ્ટીઓ અને રાજકારણના રમકડાં ન બનીએ તો સારું


GPSC લેવલની આ પરીક્ષા પાસ કરીને પણ કોન્ટ્રાકટ નોકરીમાં જવાનું જે આ રસ્તા બતાવી રહ્યા છે તે ભવિષ્યમાં તેમને પણ નડશે.


ધીરેધીરે કલેકટર , સચિવ, અગ્ર સચિવ , મદદનિશ ઈજનેર વગેરે અગિયાર માસ કરાર આધારિત થશે શું?


અધિકારીઓ અને પદાધિકારીઓ ભેગા મળી ને તેમના રોટલા શેકી રહ્યા છે તે પણ શિક્ષિત બેરોજગારીનો આ રીતે મજાક બનાવીને ...


રાષ્ટ્ના વિકાસ માટે ઉદારીકરણ, ખાનગીકરણ જરૂરી છે પણ પ્રજાનું મારણ કાઢી ને નહીં.


આપણે વિકાસની વાત કરતા કરતા ક્યાંક અધોગતિ તરફતો નથી ઘણા સવાલો થાય મનમાં કારણ ભણેલો ગણેલો પરીક્ષા પાસ કરેલો બેરોજગાર છું !


શું? ખરી લોકશાહી ,આ કહેવાય જે લિંકન ને બતાવી હતી

' લોકોથી લોકો દ્વારા લોકો માટે ચાલતી ' કે પછી... તમે સમજી ગયા હશો ...


સારા પાસા હોય પણ ખરાબ પણ હોય અહીં કરાર આધારિત નોકરીમાં શિક્ષક તરફી એક પણ સારું પાસું નથી તે સ્વીકારવું રહ્યું ...અંતે એટલું કહું ' ભરોંસા ની ભેંસે પાડો જણ્યો'


'કરાર આધારિત શિક્ષકની વ્યથા ' નિબંધ પુછાય તો  તેવું વિચારીને આ લખ્યું તમને ગમ્યું કે નહીં ...


નિર્ણય સારો પણ 11 મહિનાના કરાર પછી યુવાનોનું શું થશે?


રાજ્ય સરકાર 30 હજાર શિક્ષકોની ભરતી કરવાની છે તે પ્રસંશનિય છે, લાંબા સમયથી બેરોજગાર બેસી રહેલા યુવાનોને રોજગારી મળશે.સરકારના આ નિર્ણયથી શિક્ષકોની ઘટની સમસ્યા નહીં રહે અને વિદ્યાર્થીઓને પણ સારૂં શિક્ષણ મળશે. જો કે રાજ્ય સરકારે જ્ઞાન સહાયકોની વ્યથા પણ સમજવી જોઈએ. આ લોકો 50 હજાર જેટલી મોટી રકમની ટ્યુશન ફી આપીને શિક્ષક બન્યા છે તેમને 11 મહિનાના કરાર પર નોકરી આપવામાં આવે તે કેટલું યોગ્ય છે. શિક્ષક તરીકે પસંદગી પામનારા ઉમેદવારોને પ્રાથમિક વિભાગમાં 21,000 રૂપિયા, માધ્યમિક વિભાગમાં 24,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 26000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે તે બરાબર છે પણ નિવૃતિના અન્ય કોઈ લાભ ન મળે તે કેટલું યોગ્ય કહીં શકાય? જ્ઞાન સહાયકોની કામગીરીનો 11 મહિનાનો સમયગાળો પૂરો થતાં કરાર આપોઆપ રદ થશે  ત્યારે ફરી બેરોજગાર થયેલા આ યુવાનોનું શું થશે તે મુઝવતો પ્રશ્ન છે. રાજ્ય સરકારે આ મુદ્દે પણ ગંભીરતાથી વિચારવાની જરૂર છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.