કોન્ટ્રાક્ટ પર શિક્ષક બનવા જઈ રહેલા યુવાનનો પત્ર!


  • Published By :
  • Published Date : 2023-07-12 18:20:32

રાજ્યમાં શિક્ષકોની વ્યાપક ઘટ છે જેના કારણે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી દીધી છે. આ યોજના હેઠળ 25,000 જ્ઞાન સહાયક તેમજ 5000 ખેલ સહાયકની ભરતી કરવામાં આવશે. આ ભરતી માત્ર 11 માસના કરાર આધારિત થવાની છે. કાયમીના બદલે કરાર આધારિત ભરતી હોવાથી રાજ્યના યુવાનોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. આ યુવાનો પૈકીના એક યુવકે જમાવટને સુંદર નિબંધ લખીને મોકલ્યો છે. આ નિબંધમાં તે યુવાને આકરા શબ્દોમાં તેનો આક્રોશ વ્યક્ત કર્યો છે, તો આવો જાણીએ તે યુવાને પત્રમાં શું લખ્યું છે?


'અંધેરી નગરી ને ગંડુ રાજા 

ટકે શેર ભાજી ટકે શેર ખાજા ' , 'વાડ થઈ ને ચિભડા ગળે '

  

NEP 2020 સાંપ્રત સમયે શિક્ષણમાં પણ કરાર આધારિત શિક્ષકો લેવાનો ઠરાવ થઈ ગયો છે. વાત વિચારવા જેવી છે જે શિક્ષક જ નિશ્ચિત નહિ હોય તે આવનાર ભારતના વિદ્યાર્થી ઓને ઉત્તમ નાગરિક કઈ રીતે બનાવશે. 


1964ની પ્રથમ શિક્ષણનીતિના અધ્યક્ષ પ્રો. કોઠારી એ સૂચવ્યું હતું 'ભારતનું ભાવિ તેના વર્ગ ખંડોમાં ઘડાઈ રહ્યું છે.' પણ હાલ વર્તમાન પરિસ્થિતિ જોતા તો, 'ભારતનું ભાવિ રંધાઈ રહ્યું છે.'  


પ્રવાસી ,જ્ઞાન સહાયક  તેમ ઘણું હજી આવશે આપણે ક્યાંક આવી ટ્રસ્ટીઓ અને રાજકારણના રમકડાં ન બનીએ તો સારું


GPSC લેવલની આ પરીક્ષા પાસ કરીને પણ કોન્ટ્રાકટ નોકરીમાં જવાનું જે આ રસ્તા બતાવી રહ્યા છે તે ભવિષ્યમાં તેમને પણ નડશે.


ધીરેધીરે કલેકટર , સચિવ, અગ્ર સચિવ , મદદનિશ ઈજનેર વગેરે અગિયાર માસ કરાર આધારિત થશે શું?


અધિકારીઓ અને પદાધિકારીઓ ભેગા મળી ને તેમના રોટલા શેકી રહ્યા છે તે પણ શિક્ષિત બેરોજગારીનો આ રીતે મજાક બનાવીને ...


રાષ્ટ્ના વિકાસ માટે ઉદારીકરણ, ખાનગીકરણ જરૂરી છે પણ પ્રજાનું મારણ કાઢી ને નહીં.


આપણે વિકાસની વાત કરતા કરતા ક્યાંક અધોગતિ તરફતો નથી ઘણા સવાલો થાય મનમાં કારણ ભણેલો ગણેલો પરીક્ષા પાસ કરેલો બેરોજગાર છું !


શું? ખરી લોકશાહી ,આ કહેવાય જે લિંકન ને બતાવી હતી

' લોકોથી લોકો દ્વારા લોકો માટે ચાલતી ' કે પછી... તમે સમજી ગયા હશો ...


સારા પાસા હોય પણ ખરાબ પણ હોય અહીં કરાર આધારિત નોકરીમાં શિક્ષક તરફી એક પણ સારું પાસું નથી તે સ્વીકારવું રહ્યું ...અંતે એટલું કહું ' ભરોંસા ની ભેંસે પાડો જણ્યો'


'કરાર આધારિત શિક્ષકની વ્યથા ' નિબંધ પુછાય તો  તેવું વિચારીને આ લખ્યું તમને ગમ્યું કે નહીં ...


નિર્ણય સારો પણ 11 મહિનાના કરાર પછી યુવાનોનું શું થશે?


રાજ્ય સરકાર 30 હજાર શિક્ષકોની ભરતી કરવાની છે તે પ્રસંશનિય છે, લાંબા સમયથી બેરોજગાર બેસી રહેલા યુવાનોને રોજગારી મળશે.સરકારના આ નિર્ણયથી શિક્ષકોની ઘટની સમસ્યા નહીં રહે અને વિદ્યાર્થીઓને પણ સારૂં શિક્ષણ મળશે. જો કે રાજ્ય સરકારે જ્ઞાન સહાયકોની વ્યથા પણ સમજવી જોઈએ. આ લોકો 50 હજાર જેટલી મોટી રકમની ટ્યુશન ફી આપીને શિક્ષક બન્યા છે તેમને 11 મહિનાના કરાર પર નોકરી આપવામાં આવે તે કેટલું યોગ્ય છે. શિક્ષક તરીકે પસંદગી પામનારા ઉમેદવારોને પ્રાથમિક વિભાગમાં 21,000 રૂપિયા, માધ્યમિક વિભાગમાં 24,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 26000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે તે બરાબર છે પણ નિવૃતિના અન્ય કોઈ લાભ ન મળે તે કેટલું યોગ્ય કહીં શકાય? જ્ઞાન સહાયકોની કામગીરીનો 11 મહિનાનો સમયગાળો પૂરો થતાં કરાર આપોઆપ રદ થશે  ત્યારે ફરી બેરોજગાર થયેલા આ યુવાનોનું શું થશે તે મુઝવતો પ્રશ્ન છે. રાજ્ય સરકારે આ મુદ્દે પણ ગંભીરતાથી વિચારવાની જરૂર છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.