Anand : ક્ષત્રિય સમાજના લોકોના મત બાજી ફેરવી શકે છે? શું Amit Chavdaને ફાયદો થશે? સમજો ત્યાંના સમીકરણોને


  • Published By :
  • Published Date : 2024-05-09 18:21:20

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની વાત તેમના દ્વારા કરવામાં આવી. અનેક વખત એવા વીડિયો પણ સામે આવ્યા જેમાં તે ભાજપને વોટ ન કરવાની પ્રતિજ્ઞા લેતા હોય. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ અને ક્યાં કેટલું મતદાન થયું તેના ડેટા પણ સામે આવ્યા. આણંદ લોકસભા બેઠકની વાત આજે કરવી છે.. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદારો રહે છે.. ભારતીય જનતા પાર્ટીએ મિતેશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અમિત ચાવડાને ટિકીટ આપવામાં આવી હતી. 

આ વખતે 26-0 થવું અઘરૂં છે - વરિષ્ઠ પત્રકારોનો મત 

આપણા રાજ્યમાં સાતમી તારીખે મતદાન પૂર્ણ થયું.. ક્યાં કેટલું મતદાન થયું તેનો આંકડો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ઓવરઓલ 60 ટકા મતદાન થયું છે, વલસાડ બેઠક પર સૌથી વધારે મતદાન થયું છે. એવું કહીએ જ્યાં જ્યાં ધારાસભ્યોએ ચૂંટણી લડી ત્યાં મતદાનના પ્રમાણમાં પણ વધારો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ જ્યારે અનેક પત્રકારો સાથે ટીમે વાત કરી ત્યારે તેમનું કહેવું હતું કે આ વખતે 26-0 થવું અઘરૂં છે.. અનેક એવી બેઠકો છે જ્યાં બીજેપીને સારી એવી ટક્કર જોવા મળી શકે છે. ક્ષત્રિય સમાજના આંદોલનની સૌથી વધારે અસર જો જોવા મળી હોય તો તે આણંદ લોકસભા બેઠક છે..     

 


ક્ષત્રિય સમાજના મતદાતાઓ કરી શકે છે મોટી અસર   

આંકલાવની આસપાસના વિસ્તારોમાં સૌથી વધારે મતદાન થયું છે.. આણંદના જાતિગત સમીકરણોની વાત કરીએ તો 8 લાખથી વધારે ક્ષત્રિય સમાજના લોકો વસે છે 4 લાખ જેટના પાટીદાર લોકો વસે છે 3 લાખ જેટલા મુસ્લિમ મતદારો છે. લગભગ 41 ટકા હિસ્સો ક્ષત્રિય સમાજના લોકો વસે છે.. ગામડાઓના લોકોએ સારા પ્રમાણમાં મતદાન કર્યું છે. શહેરી વિસ્તારના લોકોએ મતદાન કરવામાં નિરસતા દર્શાવી છે તેવી વાત સામે આવી છે.. ત્યારે ક્ષત્રિય સમાજના મતદાતાઓનો વોટ ઉમેદવારની જીતમાં મોટી અસર કરી શકે છે.. ત્યારે જોવું રહ્યું કે કયા ઉમેદવારની જીત થાય છે...  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.