એશિયા કપ માટે BCCIનો મોટો નિર્ણય, ટીમ ઈન્ડિયા સાથે જોડાયો આ ફાસ્ટ બોલર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 17:41:30

ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ક્રિકેટ મેચને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  UAEમાં એશિયા કપ 2022નો શુભારંભ થવાનો છે. આ મહામુકાબલામાં ભાગ લેવા ભારતીય ક્રિકેટ ટીમ દુબઈ પહોંચી ચુકી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટના દિવસે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે પહેલી મેચ. ભારતે પણ તેની બોલિંગને વધુ ધારદાર બનાવવા માટે કુલદીપ સેનને ટીમમાં નેટ બોલર તરીકે સામેલ કર્યો છે.


કોણ છે કુલદીપ સેન?


રાજસ્થાન રોયલ્સના 25 વર્ષીય ફાસ્ટ બોલર કુલદીપ સેનનો  જન્મ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના હરિહરપુરમાં થયો હતો. તે મધ્ય પ્રદેશ માટે પ્રથમ શ્રેણી અને ટી 20 રમ્યો છે. તેમના પિતા રામપાલ સેન સિરમૌરમાં સલુનની દુકાન છે. આઈપીએલ 2022ના મેગા ઓક્સનમાં રાજસ્થાન રોયલ્સે તેને બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કુલદીપે વર્ષ 2018માં રણજી ટ્રોફી મુકાબલામાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. આઈપીએલ મેચમાં કુલદીપે 149 કિમી પ્રતિ કલાકે બોલિંગ કરી હતી. 


એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા


રોહિત શર્મા (કેપ્ટન) કેએલ રાહુલ (ઉપ કપ્તાન) વિરાટ  કોહલી, સૂર્ય કુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટ કીપર) દિનેશ કાર્તિક (વિકેટ કીપર) હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.






ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.