એશિયા કપ માટે BCCIનો મોટો નિર્ણય, ટીમ ઈન્ડિયા સાથે જોડાયો આ ફાસ્ટ બોલર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 17:41:30

ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ક્રિકેટ મેચને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  UAEમાં એશિયા કપ 2022નો શુભારંભ થવાનો છે. આ મહામુકાબલામાં ભાગ લેવા ભારતીય ક્રિકેટ ટીમ દુબઈ પહોંચી ચુકી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટના દિવસે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે પહેલી મેચ. ભારતે પણ તેની બોલિંગને વધુ ધારદાર બનાવવા માટે કુલદીપ સેનને ટીમમાં નેટ બોલર તરીકે સામેલ કર્યો છે.


કોણ છે કુલદીપ સેન?


રાજસ્થાન રોયલ્સના 25 વર્ષીય ફાસ્ટ બોલર કુલદીપ સેનનો  જન્મ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના હરિહરપુરમાં થયો હતો. તે મધ્ય પ્રદેશ માટે પ્રથમ શ્રેણી અને ટી 20 રમ્યો છે. તેમના પિતા રામપાલ સેન સિરમૌરમાં સલુનની દુકાન છે. આઈપીએલ 2022ના મેગા ઓક્સનમાં રાજસ્થાન રોયલ્સે તેને બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કુલદીપે વર્ષ 2018માં રણજી ટ્રોફી મુકાબલામાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. આઈપીએલ મેચમાં કુલદીપે 149 કિમી પ્રતિ કલાકે બોલિંગ કરી હતી. 


એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા


રોહિત શર્મા (કેપ્ટન) કેએલ રાહુલ (ઉપ કપ્તાન) વિરાટ  કોહલી, સૂર્ય કુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટ કીપર) દિનેશ કાર્તિક (વિકેટ કીપર) હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.