એશિયા કપ માટે BCCIનો મોટો નિર્ણય, ટીમ ઈન્ડિયા સાથે જોડાયો આ ફાસ્ટ બોલર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 17:41:30

ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ક્રિકેટ મેચને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  UAEમાં એશિયા કપ 2022નો શુભારંભ થવાનો છે. આ મહામુકાબલામાં ભાગ લેવા ભારતીય ક્રિકેટ ટીમ દુબઈ પહોંચી ચુકી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટના દિવસે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે પહેલી મેચ. ભારતે પણ તેની બોલિંગને વધુ ધારદાર બનાવવા માટે કુલદીપ સેનને ટીમમાં નેટ બોલર તરીકે સામેલ કર્યો છે.


કોણ છે કુલદીપ સેન?


રાજસ્થાન રોયલ્સના 25 વર્ષીય ફાસ્ટ બોલર કુલદીપ સેનનો  જન્મ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના હરિહરપુરમાં થયો હતો. તે મધ્ય પ્રદેશ માટે પ્રથમ શ્રેણી અને ટી 20 રમ્યો છે. તેમના પિતા રામપાલ સેન સિરમૌરમાં સલુનની દુકાન છે. આઈપીએલ 2022ના મેગા ઓક્સનમાં રાજસ્થાન રોયલ્સે તેને બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કુલદીપે વર્ષ 2018માં રણજી ટ્રોફી મુકાબલામાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. આઈપીએલ મેચમાં કુલદીપે 149 કિમી પ્રતિ કલાકે બોલિંગ કરી હતી. 


એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા


રોહિત શર્મા (કેપ્ટન) કેએલ રાહુલ (ઉપ કપ્તાન) વિરાટ  કોહલી, સૂર્ય કુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટ કીપર) દિનેશ કાર્તિક (વિકેટ કીપર) હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.






ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.