ભાગેડુ લલિત મોદીને મોટો ઝટકો , વાનુઆતુએ કર્યો પાસપોર્ટ રદ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-10 21:42:09

પ્રશાંત મહાસાગરનો એક નાનકડો ટાપુ દેશ જેનું નામ છે વાનુઆતુ . આ દેશ આજકાલ એક ભાગેડુ ભારતીયના કારણે ખુબ જ ચર્ચામાં છે . આ ભાગેડુ ભારતીય એટલે , લલિત મોદી . વાનુઆતુ દેશે ,  IPL ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીનો પાસપોર્ટ કેન્સલ કરવાનું જાહેર કર્યું છે . આના કારણે ભાગેડુ લલિત મોદીની મુશ્કેલીઓમાં વધારો થાય એવું લાગી રહ્યું છે . તો આવો જાણીએ શું છે આખો મામલો? 

IPL ના ભૂતપૂર્વ ચેરમેન છે , લલિત મોદી . તેઓ પ્રશાંત મહાસાગરના નાનકડા ટાપુ દેશ વાનુઆતુમાં છે . હવે ત્યાંના વડાપ્રધાન જોથામ નાપટેએ નાગરિકતા આયોગને લલિત મોદીને આપવામાં આવેલ પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

પીએમ નાપટે આ સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું છે કે , "મેં નાગરિકતા આયોગને લલિત મોદીના વાનુઆતુ પાસપોર્ટને તાત્કાલિક રદ કરવા માટેની  કાર્યવાહી શરૂ કરવા સૂચના આપી છે. મને છેલ્લા 24 કલાકમાં જાણ કરવામાં આવી છે કે ઇન્ટરપોલે ભારતીય અધિકારીઓની લલિત મોદી પર એલર્ટ નોટિસ જારી કરવાની વિનંતીઓને બે વાર નકારી કાઢી છે કારણ કે લલિત મોદીની વિરુદ્ધમાં કોઈ  નક્કર પુરાવા નથી. આવી કોઈપણ ચેતવણીથી અગાઉજ લલિત મોદીની નાગરિકતા મેળવવાની અરજી નકારી કાઢવાની જરૂર હતી . " 

આ સમગ્ર મામલે ભારતના વિદેશ ખાતાના પ્રવક્તા રણધીર જયસ્વાલની પ્રતિક્રિયા સામે આવી છે , તેમણે કહ્યું છે કે , "લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે. હાલના નિયમો અને પ્રક્રિયાઓના આધારે તેની તપાસ કરવામાં આવશે. સાથે જ અમને એ પણ જાણ થઇ છે કે તેમણે વાનુઆતુ દેશનું નાગરિકત્વ મેળવી લીધું છે. અમે તેમની સામેના કેસની તાપસ ચાલુ જ રાખીએ છીએ." 

દૈનિક અખબાર વાનુઆતુ ડેઇલી પોસ્ટે તેની ફેસબુક પોસ્ટમાં આ સંબંધિત માહિતી આપી હતી. 

આ સ્થાનિક અખબારે લખ્યું છે કે , વાનુઆતુને પાછળથી ખબર પડી કે , લલિત મોદી એક ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વાત કરીએ લલિત મોદીની તો , તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગના મુખ્ય શિલ્પકાર છે . તેમની પર ૨૦૦૯ના ૪૨૫ કરોડના IPL ના વર્લ્ડ સ્પોર્ટ ગ્રુપ સાથેના સોદાને લઇને ઈન્ક્મ ટેક્સ અને ED દ્વારા તપાસ ચાલી રહી છે . મે , ૨૦૧૦ થી તે લન્ડનમાં સ્થાયી છે . 

વાનુઆતુ એ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત 80 થી વધુ ટાપુઓનો સમૂહ દેશ છે, જેની વસ્તી આશરે 300,000 લોકોની છે. આ દેશને 1980 માં ફ્રાન્સ અને બ્રિટનથી સ્વતંત્રતા મળી. વાનુઆતુ તેના ખાસ કાર્યક્રમ  દ્વારા નાગરિકતા પ્રદાન કરે છે, જેમાં દાન અથવા રોકાણની જરૂર પડે છે. આ કાર્યક્રમનું  નામ છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇમિગ્રેશન પ્લાન (CIIP). આ કાર્યક્રમ અનુસાર, સિંગલ અરજદારોએ ૧.૩ કરોડ એટલેકે , $૧,૫૫,૦૦૦ આપવાની જરૂર છે . જેના થકી કોઈ પણ વ્યક્તિ વાનુઆતુ દેશની નાગરિકતા મેળવી શકે છે . 

ભાગેડુ લલિત મોદીને લઇને તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો .  

જો તમે અમને યૂટ્યૂબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો .



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .