રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ આપી આ ચીમકી


  • Published By :
  • Published Date : 2023-03-30 20:30:01

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે નિશાન સાધ્યું છે. અને મોદી અટક પર તેમણે આપેલા નિવેદનને લઈ કોર્ટ ઢસડી જવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી બ્રિટનની કોર્ટમાં આવવા માટે તૈયાર થઈ જાય, તેમણે પુરાવા સાથે બ્રિટન આવવું પડી શકે છે. લલિત મોદી ઉશ્કેરાયા છે તેનું કારણ એ છે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ અનેક વખત તેમને ભાગેડું કહ્યા છે. આ જ કારણે હવે લલિત મોદીએ રાહુલ ગાંધી સામે બ્રિટનની કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી છે. 


બદલાની ભાવનાથી હુમલા


લલિત મોદીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીને પપ્પુ નામથી સંબોધીને લલિત મોદીએ લખ્યું કે મને કહો કે મને ક્યારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો, હું તમારા જેવો નથી. હું એક સામાન્ય નાગરિક છું. મોદીએ કહ્યું કે વિપક્ષના નેતાઓ પાસે કંઈ નથી, તેઓ માત્ર ખોટી માહિતી અથવા બદલાની ભાવનાથી હુમલા કરતા રહે છે. લલિત મોદીએ કોંગ્રેસ પર ઉલટો વાર કરતા કહ્યું કે કોંગ્રેસના અનેક નેતાઓ છે, જેમની વિદેશોમાં પણ સંપત્તિ છે, અને મારી પાસે તેના પુરાવા પણ છે. 


કોર્ટમાં લઈ ઢસડી જવાની ધમકી


લલિત મોદીએ મોદી સરનેમ પર રાહુલ ગાંધીને ધમકાવતા કહ્યું  કે "મેં રાહુલ ગાંધીને યુકેની કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે. મને ખાતરી છે કે તેમને કેટલાક નક્કર પુરાવાઓ સાથે આવવું પડશે. હું તેમને પોતાના પર સંપુર્ણપણે મૂર્ખ બનતા જોવા માટે ઉત્સુક છું." તેમણે વધુમાં કહ્યું કે 15 વર્ષમાં મેં એક પૈસો પણ લીધો નથી, અને તે સાબિત પણ થયું નથી. ખરેખરમાં IPL નામની વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ બનાવી છે. જેણે રેકોર્ડ તોડ 100 અબજ ડોલરની કમાણી કરી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.