રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ આપી આ ચીમકી


  • Published By :
  • Published Date : 2023-03-30 20:30:01

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે નિશાન સાધ્યું છે. અને મોદી અટક પર તેમણે આપેલા નિવેદનને લઈ કોર્ટ ઢસડી જવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી બ્રિટનની કોર્ટમાં આવવા માટે તૈયાર થઈ જાય, તેમણે પુરાવા સાથે બ્રિટન આવવું પડી શકે છે. લલિત મોદી ઉશ્કેરાયા છે તેનું કારણ એ છે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ અનેક વખત તેમને ભાગેડું કહ્યા છે. આ જ કારણે હવે લલિત મોદીએ રાહુલ ગાંધી સામે બ્રિટનની કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી છે. 


બદલાની ભાવનાથી હુમલા


લલિત મોદીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીને પપ્પુ નામથી સંબોધીને લલિત મોદીએ લખ્યું કે મને કહો કે મને ક્યારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો, હું તમારા જેવો નથી. હું એક સામાન્ય નાગરિક છું. મોદીએ કહ્યું કે વિપક્ષના નેતાઓ પાસે કંઈ નથી, તેઓ માત્ર ખોટી માહિતી અથવા બદલાની ભાવનાથી હુમલા કરતા રહે છે. લલિત મોદીએ કોંગ્રેસ પર ઉલટો વાર કરતા કહ્યું કે કોંગ્રેસના અનેક નેતાઓ છે, જેમની વિદેશોમાં પણ સંપત્તિ છે, અને મારી પાસે તેના પુરાવા પણ છે. 


કોર્ટમાં લઈ ઢસડી જવાની ધમકી


લલિત મોદીએ મોદી સરનેમ પર રાહુલ ગાંધીને ધમકાવતા કહ્યું  કે "મેં રાહુલ ગાંધીને યુકેની કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે. મને ખાતરી છે કે તેમને કેટલાક નક્કર પુરાવાઓ સાથે આવવું પડશે. હું તેમને પોતાના પર સંપુર્ણપણે મૂર્ખ બનતા જોવા માટે ઉત્સુક છું." તેમણે વધુમાં કહ્યું કે 15 વર્ષમાં મેં એક પૈસો પણ લીધો નથી, અને તે સાબિત પણ થયું નથી. ખરેખરમાં IPL નામની વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ બનાવી છે. જેણે રેકોર્ડ તોડ 100 અબજ ડોલરની કમાણી કરી છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.