રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ આપી આ ચીમકી


  • Published By :
  • Published Date : 2023-03-30 20:30:01

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે નિશાન સાધ્યું છે. અને મોદી અટક પર તેમણે આપેલા નિવેદનને લઈ કોર્ટ ઢસડી જવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી બ્રિટનની કોર્ટમાં આવવા માટે તૈયાર થઈ જાય, તેમણે પુરાવા સાથે બ્રિટન આવવું પડી શકે છે. લલિત મોદી ઉશ્કેરાયા છે તેનું કારણ એ છે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ અનેક વખત તેમને ભાગેડું કહ્યા છે. આ જ કારણે હવે લલિત મોદીએ રાહુલ ગાંધી સામે બ્રિટનની કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી છે. 


બદલાની ભાવનાથી હુમલા


લલિત મોદીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીને પપ્પુ નામથી સંબોધીને લલિત મોદીએ લખ્યું કે મને કહો કે મને ક્યારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો, હું તમારા જેવો નથી. હું એક સામાન્ય નાગરિક છું. મોદીએ કહ્યું કે વિપક્ષના નેતાઓ પાસે કંઈ નથી, તેઓ માત્ર ખોટી માહિતી અથવા બદલાની ભાવનાથી હુમલા કરતા રહે છે. લલિત મોદીએ કોંગ્રેસ પર ઉલટો વાર કરતા કહ્યું કે કોંગ્રેસના અનેક નેતાઓ છે, જેમની વિદેશોમાં પણ સંપત્તિ છે, અને મારી પાસે તેના પુરાવા પણ છે. 


કોર્ટમાં લઈ ઢસડી જવાની ધમકી


લલિત મોદીએ મોદી સરનેમ પર રાહુલ ગાંધીને ધમકાવતા કહ્યું  કે "મેં રાહુલ ગાંધીને યુકેની કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે. મને ખાતરી છે કે તેમને કેટલાક નક્કર પુરાવાઓ સાથે આવવું પડશે. હું તેમને પોતાના પર સંપુર્ણપણે મૂર્ખ બનતા જોવા માટે ઉત્સુક છું." તેમણે વધુમાં કહ્યું કે 15 વર્ષમાં મેં એક પૈસો પણ લીધો નથી, અને તે સાબિત પણ થયું નથી. ખરેખરમાં IPL નામની વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ બનાવી છે. જેણે રેકોર્ડ તોડ 100 અબજ ડોલરની કમાણી કરી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.