રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ આપી આ ચીમકી


  • Published By :
  • Published Date : 2023-03-30 20:30:01

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે નિશાન સાધ્યું છે. અને મોદી અટક પર તેમણે આપેલા નિવેદનને લઈ કોર્ટ ઢસડી જવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી બ્રિટનની કોર્ટમાં આવવા માટે તૈયાર થઈ જાય, તેમણે પુરાવા સાથે બ્રિટન આવવું પડી શકે છે. લલિત મોદી ઉશ્કેરાયા છે તેનું કારણ એ છે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ અનેક વખત તેમને ભાગેડું કહ્યા છે. આ જ કારણે હવે લલિત મોદીએ રાહુલ ગાંધી સામે બ્રિટનની કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી છે. 


બદલાની ભાવનાથી હુમલા


લલિત મોદીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીને પપ્પુ નામથી સંબોધીને લલિત મોદીએ લખ્યું કે મને કહો કે મને ક્યારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો, હું તમારા જેવો નથી. હું એક સામાન્ય નાગરિક છું. મોદીએ કહ્યું કે વિપક્ષના નેતાઓ પાસે કંઈ નથી, તેઓ માત્ર ખોટી માહિતી અથવા બદલાની ભાવનાથી હુમલા કરતા રહે છે. લલિત મોદીએ કોંગ્રેસ પર ઉલટો વાર કરતા કહ્યું કે કોંગ્રેસના અનેક નેતાઓ છે, જેમની વિદેશોમાં પણ સંપત્તિ છે, અને મારી પાસે તેના પુરાવા પણ છે. 


કોર્ટમાં લઈ ઢસડી જવાની ધમકી


લલિત મોદીએ મોદી સરનેમ પર રાહુલ ગાંધીને ધમકાવતા કહ્યું  કે "મેં રાહુલ ગાંધીને યુકેની કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે. મને ખાતરી છે કે તેમને કેટલાક નક્કર પુરાવાઓ સાથે આવવું પડશે. હું તેમને પોતાના પર સંપુર્ણપણે મૂર્ખ બનતા જોવા માટે ઉત્સુક છું." તેમણે વધુમાં કહ્યું કે 15 વર્ષમાં મેં એક પૈસો પણ લીધો નથી, અને તે સાબિત પણ થયું નથી. ખરેખરમાં IPL નામની વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ બનાવી છે. જેણે રેકોર્ડ તોડ 100 અબજ ડોલરની કમાણી કરી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.