'તમે લગ્ન કરો, અમે જાનૈયા બનીશું...સોનિયાજી પણ એવું જ ઈચ્છે છે', પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને લાલુની સલાહ


  • Published By :
  • Published Date : 2023-06-23 19:15:53

બિહારની રાજધાની પટનામાં શુક્રવારે ભાજપ વિરોધી વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 17 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. લાંબા સમય બાદ આરજેડી ચીફ લાલુ યાદવ રાજકીય બેઠકમાં જોવા મળ્યા. બેઠક બાદ તમામ નેતાઓએ પોતાની વાત પત્રકારો સમક્ષ રજુ કરી હતી. આ દરમિયાન આરજેડી પ્રમુખ લાલુ યાદવે પણ પોતાની વાત રજુ કરી હતી. પત્રકારો સાથે વાત કરતા આરજેડી ચીફ લાલુ યાદવે કહ્યું કે આજની બેઠકમાં બધાએ ખુલ્લા મને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને નક્કી કરવામાં આવ્યું છે કે આગામી બેઠક શિમલામાં યોજાશે અને તેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમણે વિરોધ પક્ષોને અપીલ કરી કે આપણે એક થઈને લડવું પડશે. આ દરમિયાન લાલુ યાદવે કહ્યું કે હવે હું સંપૂર્ણ રીતે ફિટ છું અને હવે મોદીને સંપૂર્ણ રીતે ફિટ કરવા પડશે. આ દરમિયાન આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લઈને આવું નિવેદન આપ્યું હતું જેની હવે ચર્ચા થઈ રહી છે. લાલુ યાદવે રાહુલ ગાંધીને દાઢી ટ્રીમ કરાવીને લગ્ન કરવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી વરરાજા બનશે તો અમે જાનૈયા બની જઈશું. આરજેડી સુપ્રીમોએ કહ્યું કે સોનિયા ગાંધી પણ તેમની વાત પર સહમત છે. લાલુ યાદવે કહ્યું- સોનિયાજી પણ ઈચ્છે છે કે રાહુલ ગાંધી લગ્ન કરે.


લાલુએ રાહુલ ગાંધીને કહ્યું- લગ્ન કરો, અમે જાનૈયા બનીશું


લાલુ યાદવ લાંબા સમય બાદ મૂડમાં જોવા મળ્યા હતા. તે પોતાની શૈલીમાં બોલી રહ્યા હતા. તેમણે વચ્ચે વચ્ચે હળવાશથી વાત પણ કરી રહ્યા હતા. આરજેડી સુપ્રીમો લાલુ યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કહ્યું કે હજું પણ સમય પસાર થયો નથી. જલ્દી લગ્ન કરો. લાલુ યાદવે વધુમાં કહ્યું કે જો રાહુલ ગાંધી લગ્ન કરશે તો તેઓ જાનમાં જશે. આ પછી લાલુ યાદવે રાહુલ ગાંધીને કહ્યું કે દાઢી ન વધારો, લગ્ન કરો. લાલુ યાદવે રાહુલ ગાંધીને કહ્યું કે તમારી માતા (સોનિયા ગાંધી) કહેતી હતી કે તે મારી વાત સાંભળતો નથી. તમે લોકો રાહુલના લગ્ન કરાવો. આરજેડી ચીફ લાલુ યાદવે કહ્યું કે રાહુલ ગાંધીએ અદાણીનો મુદ્દો ઉઠાવીને સારું કામ કર્યું છે. અને સારું કામ કરી રહ્યા છે.


આ અગ્રણી નેતાઓ રહ્યા હાજર


બિહારની રાજધાની પટનામાં આજે શુક્રવારે (23 જૂન)ના રોજ 17 વિરોધ પક્ષોની એકતા બેઠક યોજાઈ હતી. આમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન સહિત અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, મહેબૂબા મુફ્તી અને 5 રાજ્યોના પૂર્વ સીએમ પણ સામેલ થયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. વિપક્ષની સામાન્ય સભામાં કુલ 27 નેતાઓએ ભાગ લીધો હતો.


આગામી બેઠક  12 જુલાઈના રોજ શિમલામાં યોજાશે


વિપક્ષોની આ પાર્ટીની ફરી એક સંયુક્ત બેઠક આગામી 12 જુલાઈના રોજ 'શિમલામાં યોજાશે.   કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે  જાહેરાત કરતા કહ્યું કે અમે 12 જુલાઈએ શિમલામાં ફરી બેઠક કરવાના છીએ, જેમાં અમે એક સામાન્ય એજન્ડા તૈયાર કરીશું. આ સાથે સંયોજક તરીકે એક નેતાની પસંદગી કરવામાં આવશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.