'તમે લગ્ન કરો, અમે જાનૈયા બનીશું...સોનિયાજી પણ એવું જ ઈચ્છે છે', પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને લાલુની સલાહ


  • Published By :
  • Published Date : 2023-06-23 19:15:53

બિહારની રાજધાની પટનામાં શુક્રવારે ભાજપ વિરોધી વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 17 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. લાંબા સમય બાદ આરજેડી ચીફ લાલુ યાદવ રાજકીય બેઠકમાં જોવા મળ્યા. બેઠક બાદ તમામ નેતાઓએ પોતાની વાત પત્રકારો સમક્ષ રજુ કરી હતી. આ દરમિયાન આરજેડી પ્રમુખ લાલુ યાદવે પણ પોતાની વાત રજુ કરી હતી. પત્રકારો સાથે વાત કરતા આરજેડી ચીફ લાલુ યાદવે કહ્યું કે આજની બેઠકમાં બધાએ ખુલ્લા મને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને નક્કી કરવામાં આવ્યું છે કે આગામી બેઠક શિમલામાં યોજાશે અને તેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમણે વિરોધ પક્ષોને અપીલ કરી કે આપણે એક થઈને લડવું પડશે. આ દરમિયાન લાલુ યાદવે કહ્યું કે હવે હું સંપૂર્ણ રીતે ફિટ છું અને હવે મોદીને સંપૂર્ણ રીતે ફિટ કરવા પડશે. આ દરમિયાન આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લઈને આવું નિવેદન આપ્યું હતું જેની હવે ચર્ચા થઈ રહી છે. લાલુ યાદવે રાહુલ ગાંધીને દાઢી ટ્રીમ કરાવીને લગ્ન કરવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી વરરાજા બનશે તો અમે જાનૈયા બની જઈશું. આરજેડી સુપ્રીમોએ કહ્યું કે સોનિયા ગાંધી પણ તેમની વાત પર સહમત છે. લાલુ યાદવે કહ્યું- સોનિયાજી પણ ઈચ્છે છે કે રાહુલ ગાંધી લગ્ન કરે.


લાલુએ રાહુલ ગાંધીને કહ્યું- લગ્ન કરો, અમે જાનૈયા બનીશું


લાલુ યાદવ લાંબા સમય બાદ મૂડમાં જોવા મળ્યા હતા. તે પોતાની શૈલીમાં બોલી રહ્યા હતા. તેમણે વચ્ચે વચ્ચે હળવાશથી વાત પણ કરી રહ્યા હતા. આરજેડી સુપ્રીમો લાલુ યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કહ્યું કે હજું પણ સમય પસાર થયો નથી. જલ્દી લગ્ન કરો. લાલુ યાદવે વધુમાં કહ્યું કે જો રાહુલ ગાંધી લગ્ન કરશે તો તેઓ જાનમાં જશે. આ પછી લાલુ યાદવે રાહુલ ગાંધીને કહ્યું કે દાઢી ન વધારો, લગ્ન કરો. લાલુ યાદવે રાહુલ ગાંધીને કહ્યું કે તમારી માતા (સોનિયા ગાંધી) કહેતી હતી કે તે મારી વાત સાંભળતો નથી. તમે લોકો રાહુલના લગ્ન કરાવો. આરજેડી ચીફ લાલુ યાદવે કહ્યું કે રાહુલ ગાંધીએ અદાણીનો મુદ્દો ઉઠાવીને સારું કામ કર્યું છે. અને સારું કામ કરી રહ્યા છે.


આ અગ્રણી નેતાઓ રહ્યા હાજર


બિહારની રાજધાની પટનામાં આજે શુક્રવારે (23 જૂન)ના રોજ 17 વિરોધ પક્ષોની એકતા બેઠક યોજાઈ હતી. આમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન સહિત અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, મહેબૂબા મુફ્તી અને 5 રાજ્યોના પૂર્વ સીએમ પણ સામેલ થયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. વિપક્ષની સામાન્ય સભામાં કુલ 27 નેતાઓએ ભાગ લીધો હતો.


આગામી બેઠક  12 જુલાઈના રોજ શિમલામાં યોજાશે


વિપક્ષોની આ પાર્ટીની ફરી એક સંયુક્ત બેઠક આગામી 12 જુલાઈના રોજ 'શિમલામાં યોજાશે.   કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે  જાહેરાત કરતા કહ્યું કે અમે 12 જુલાઈએ શિમલામાં ફરી બેઠક કરવાના છીએ, જેમાં અમે એક સામાન્ય એજન્ડા તૈયાર કરીશું. આ સાથે સંયોજક તરીકે એક નેતાની પસંદગી કરવામાં આવશે.



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.