'તમે લગ્ન કરો, અમે જાનૈયા બનીશું...સોનિયાજી પણ એવું જ ઈચ્છે છે', પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને લાલુની સલાહ


  • Published By :
  • Published Date : 2023-06-23 19:15:53

બિહારની રાજધાની પટનામાં શુક્રવારે ભાજપ વિરોધી વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 17 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. લાંબા સમય બાદ આરજેડી ચીફ લાલુ યાદવ રાજકીય બેઠકમાં જોવા મળ્યા. બેઠક બાદ તમામ નેતાઓએ પોતાની વાત પત્રકારો સમક્ષ રજુ કરી હતી. આ દરમિયાન આરજેડી પ્રમુખ લાલુ યાદવે પણ પોતાની વાત રજુ કરી હતી. પત્રકારો સાથે વાત કરતા આરજેડી ચીફ લાલુ યાદવે કહ્યું કે આજની બેઠકમાં બધાએ ખુલ્લા મને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને નક્કી કરવામાં આવ્યું છે કે આગામી બેઠક શિમલામાં યોજાશે અને તેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમણે વિરોધ પક્ષોને અપીલ કરી કે આપણે એક થઈને લડવું પડશે. આ દરમિયાન લાલુ યાદવે કહ્યું કે હવે હું સંપૂર્ણ રીતે ફિટ છું અને હવે મોદીને સંપૂર્ણ રીતે ફિટ કરવા પડશે. આ દરમિયાન આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લઈને આવું નિવેદન આપ્યું હતું જેની હવે ચર્ચા થઈ રહી છે. લાલુ યાદવે રાહુલ ગાંધીને દાઢી ટ્રીમ કરાવીને લગ્ન કરવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી વરરાજા બનશે તો અમે જાનૈયા બની જઈશું. આરજેડી સુપ્રીમોએ કહ્યું કે સોનિયા ગાંધી પણ તેમની વાત પર સહમત છે. લાલુ યાદવે કહ્યું- સોનિયાજી પણ ઈચ્છે છે કે રાહુલ ગાંધી લગ્ન કરે.


લાલુએ રાહુલ ગાંધીને કહ્યું- લગ્ન કરો, અમે જાનૈયા બનીશું


લાલુ યાદવ લાંબા સમય બાદ મૂડમાં જોવા મળ્યા હતા. તે પોતાની શૈલીમાં બોલી રહ્યા હતા. તેમણે વચ્ચે વચ્ચે હળવાશથી વાત પણ કરી રહ્યા હતા. આરજેડી સુપ્રીમો લાલુ યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કહ્યું કે હજું પણ સમય પસાર થયો નથી. જલ્દી લગ્ન કરો. લાલુ યાદવે વધુમાં કહ્યું કે જો રાહુલ ગાંધી લગ્ન કરશે તો તેઓ જાનમાં જશે. આ પછી લાલુ યાદવે રાહુલ ગાંધીને કહ્યું કે દાઢી ન વધારો, લગ્ન કરો. લાલુ યાદવે રાહુલ ગાંધીને કહ્યું કે તમારી માતા (સોનિયા ગાંધી) કહેતી હતી કે તે મારી વાત સાંભળતો નથી. તમે લોકો રાહુલના લગ્ન કરાવો. આરજેડી ચીફ લાલુ યાદવે કહ્યું કે રાહુલ ગાંધીએ અદાણીનો મુદ્દો ઉઠાવીને સારું કામ કર્યું છે. અને સારું કામ કરી રહ્યા છે.


આ અગ્રણી નેતાઓ રહ્યા હાજર


બિહારની રાજધાની પટનામાં આજે શુક્રવારે (23 જૂન)ના રોજ 17 વિરોધ પક્ષોની એકતા બેઠક યોજાઈ હતી. આમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન સહિત અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, મહેબૂબા મુફ્તી અને 5 રાજ્યોના પૂર્વ સીએમ પણ સામેલ થયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. વિપક્ષની સામાન્ય સભામાં કુલ 27 નેતાઓએ ભાગ લીધો હતો.


આગામી બેઠક  12 જુલાઈના રોજ શિમલામાં યોજાશે


વિપક્ષોની આ પાર્ટીની ફરી એક સંયુક્ત બેઠક આગામી 12 જુલાઈના રોજ 'શિમલામાં યોજાશે.   કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે  જાહેરાત કરતા કહ્યું કે અમે 12 જુલાઈએ શિમલામાં ફરી બેઠક કરવાના છીએ, જેમાં અમે એક સામાન્ય એજન્ડા તૈયાર કરીશું. આ સાથે સંયોજક તરીકે એક નેતાની પસંદગી કરવામાં આવશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.