મધ્યપ્રદેશના મુરૈનામાં જુની અદાવતમાં 6 લોકોના મોત, હ્રદયદ્રાવક ઘટનાનો વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-05 15:45:50

મધ્યપ્રદેશના મુરૈનામાં હૈયું હચમચાવી દે તેવી ઘટના બની છે. જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની હત્યા કરવામાં આવી છે. મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના લેપા ગામમાં જૂની અદાવતના કારણે 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. બંને પરિવારો વચ્ચે વર્ષોથી જૂની અદાવત ચાલી રહી હતી. આજે શુક્રવારે 5 મેના રોજ સવારે જમીન મુદ્દે લોહિયાળ જંગ ખેલાયો હતો. આ હત્યાકાંડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ છે.


સમગ્ર મામલો શું  હતો?


લેપા ગામના ગજેન્દ્રસિંહ તોમર અને ધીરસિંહ તોમર વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો. 2013માં ગજેન્દ્ર સિંહ તોમરના પરિવારજનો પર ધીર સિંહ તોમરના પરિવારના બે લોકોની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો, આ મામલે કેસ ચાલી રહ્યો છે. ગજેન્દ્ર સિંહે વળતર તરીકે 6 લાખ રૂપિયા પણ આપ્યા હતા, પરંતુ પૈસા લીધા પછી પણ ધીર સિંહના પરિવારે કેસ પાછો ખેંચ્યો ન હતો. ગજેન્દ્ર સિંહનો પરિવાર તેના ડરને કારણે મુરેનામાં રહેતો હતો.


ગજેન્દ્ર સિંહ તોમરના પુત્ર રાકેશ સિંહ તોમરે જણાવ્યું કે શુક્રવારે સવારે અમારો પરિવાર મોરેનાથી ગામ પહોંચ્યો. ધીરસિંહનો પરિવાર છત પર બેઠો હતો. જેવી અમારી ગાડી આવી કે તરત જ બધા લોકો દોડી આવ્યા અને લાકડીઓ અને બંદૂકોથી હુમલો કર્યો હતો. દરમિયાન અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અમારી બાજુના છ લોકોને ગોળીથી ઈજા થઈ છે, જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. વીડિયોમાં જે વ્યક્તિ ગોળીઓ ચલાવી રહ્યો છે તેનું નામ અજીત છે. આ સાથે મોનુ, બલરામ, ગૌરવ સિંહે પણ ફાયરિંગ કર્યું છે.


આ લોકો મોતને ભેટ્યા 


લેપા ગામમાં જમીન વિવાદ દરમિયાન મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ છે. તમામ મૃતકો રણજીત તોમરના પક્ષના છે. મૃતકોના નામ વીરેન્દ્ર સિંહની પત્ની લેસ કુમારી, નરેન્દ્ર સિંહ તોમરની પત્ની બબલી, સુનીલ તોમરની પત્ની મધુ કુમારી,  બદલૂ સિંહનો પુત્ર ગજેન્દ્ર સિંહ, ગજેન્દ્ર સિંહનો પુત્ર સત્યપ્રકાશ અને ગજેન્દ્ર સિંહનો પુત્ર  સંજુ છે. તે ઉપરાંત ઘાયલોમાં સુરેશ સિંહ તોમરના પુત્ર વિનોદ સિંહ અને ગજેન્દ્ર સિંહનો પુત્ર વીરેન્દ્રનો સમાવેશ થાય છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.