મધ્યપ્રદેશના મુરૈનામાં જુની અદાવતમાં 6 લોકોના મોત, હ્રદયદ્રાવક ઘટનાનો વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-05 15:45:50

મધ્યપ્રદેશના મુરૈનામાં હૈયું હચમચાવી દે તેવી ઘટના બની છે. જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની હત્યા કરવામાં આવી છે. મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના લેપા ગામમાં જૂની અદાવતના કારણે 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. બંને પરિવારો વચ્ચે વર્ષોથી જૂની અદાવત ચાલી રહી હતી. આજે શુક્રવારે 5 મેના રોજ સવારે જમીન મુદ્દે લોહિયાળ જંગ ખેલાયો હતો. આ હત્યાકાંડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ છે.


સમગ્ર મામલો શું  હતો?


લેપા ગામના ગજેન્દ્રસિંહ તોમર અને ધીરસિંહ તોમર વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો. 2013માં ગજેન્દ્ર સિંહ તોમરના પરિવારજનો પર ધીર સિંહ તોમરના પરિવારના બે લોકોની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો, આ મામલે કેસ ચાલી રહ્યો છે. ગજેન્દ્ર સિંહે વળતર તરીકે 6 લાખ રૂપિયા પણ આપ્યા હતા, પરંતુ પૈસા લીધા પછી પણ ધીર સિંહના પરિવારે કેસ પાછો ખેંચ્યો ન હતો. ગજેન્દ્ર સિંહનો પરિવાર તેના ડરને કારણે મુરેનામાં રહેતો હતો.


ગજેન્દ્ર સિંહ તોમરના પુત્ર રાકેશ સિંહ તોમરે જણાવ્યું કે શુક્રવારે સવારે અમારો પરિવાર મોરેનાથી ગામ પહોંચ્યો. ધીરસિંહનો પરિવાર છત પર બેઠો હતો. જેવી અમારી ગાડી આવી કે તરત જ બધા લોકો દોડી આવ્યા અને લાકડીઓ અને બંદૂકોથી હુમલો કર્યો હતો. દરમિયાન અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અમારી બાજુના છ લોકોને ગોળીથી ઈજા થઈ છે, જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. વીડિયોમાં જે વ્યક્તિ ગોળીઓ ચલાવી રહ્યો છે તેનું નામ અજીત છે. આ સાથે મોનુ, બલરામ, ગૌરવ સિંહે પણ ફાયરિંગ કર્યું છે.


આ લોકો મોતને ભેટ્યા 


લેપા ગામમાં જમીન વિવાદ દરમિયાન મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ છે. તમામ મૃતકો રણજીત તોમરના પક્ષના છે. મૃતકોના નામ વીરેન્દ્ર સિંહની પત્ની લેસ કુમારી, નરેન્દ્ર સિંહ તોમરની પત્ની બબલી, સુનીલ તોમરની પત્ની મધુ કુમારી,  બદલૂ સિંહનો પુત્ર ગજેન્દ્ર સિંહ, ગજેન્દ્ર સિંહનો પુત્ર સત્યપ્રકાશ અને ગજેન્દ્ર સિંહનો પુત્ર  સંજુ છે. તે ઉપરાંત ઘાયલોમાં સુરેશ સિંહ તોમરના પુત્ર વિનોદ સિંહ અને ગજેન્દ્ર સિંહનો પુત્ર વીરેન્દ્રનો સમાવેશ થાય છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.