મધ્યપ્રદેશના મુરૈનામાં જુની અદાવતમાં 6 લોકોના મોત, હ્રદયદ્રાવક ઘટનાનો વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-05 15:45:50

મધ્યપ્રદેશના મુરૈનામાં હૈયું હચમચાવી દે તેવી ઘટના બની છે. જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની હત્યા કરવામાં આવી છે. મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના લેપા ગામમાં જૂની અદાવતના કારણે 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. બંને પરિવારો વચ્ચે વર્ષોથી જૂની અદાવત ચાલી રહી હતી. આજે શુક્રવારે 5 મેના રોજ સવારે જમીન મુદ્દે લોહિયાળ જંગ ખેલાયો હતો. આ હત્યાકાંડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ છે.


સમગ્ર મામલો શું  હતો?


લેપા ગામના ગજેન્દ્રસિંહ તોમર અને ધીરસિંહ તોમર વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો. 2013માં ગજેન્દ્ર સિંહ તોમરના પરિવારજનો પર ધીર સિંહ તોમરના પરિવારના બે લોકોની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો, આ મામલે કેસ ચાલી રહ્યો છે. ગજેન્દ્ર સિંહે વળતર તરીકે 6 લાખ રૂપિયા પણ આપ્યા હતા, પરંતુ પૈસા લીધા પછી પણ ધીર સિંહના પરિવારે કેસ પાછો ખેંચ્યો ન હતો. ગજેન્દ્ર સિંહનો પરિવાર તેના ડરને કારણે મુરેનામાં રહેતો હતો.


ગજેન્દ્ર સિંહ તોમરના પુત્ર રાકેશ સિંહ તોમરે જણાવ્યું કે શુક્રવારે સવારે અમારો પરિવાર મોરેનાથી ગામ પહોંચ્યો. ધીરસિંહનો પરિવાર છત પર બેઠો હતો. જેવી અમારી ગાડી આવી કે તરત જ બધા લોકો દોડી આવ્યા અને લાકડીઓ અને બંદૂકોથી હુમલો કર્યો હતો. દરમિયાન અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અમારી બાજુના છ લોકોને ગોળીથી ઈજા થઈ છે, જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. વીડિયોમાં જે વ્યક્તિ ગોળીઓ ચલાવી રહ્યો છે તેનું નામ અજીત છે. આ સાથે મોનુ, બલરામ, ગૌરવ સિંહે પણ ફાયરિંગ કર્યું છે.


આ લોકો મોતને ભેટ્યા 


લેપા ગામમાં જમીન વિવાદ દરમિયાન મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ છે. તમામ મૃતકો રણજીત તોમરના પક્ષના છે. મૃતકોના નામ વીરેન્દ્ર સિંહની પત્ની લેસ કુમારી, નરેન્દ્ર સિંહ તોમરની પત્ની બબલી, સુનીલ તોમરની પત્ની મધુ કુમારી,  બદલૂ સિંહનો પુત્ર ગજેન્દ્ર સિંહ, ગજેન્દ્ર સિંહનો પુત્ર સત્યપ્રકાશ અને ગજેન્દ્ર સિંહનો પુત્ર  સંજુ છે. તે ઉપરાંત ઘાયલોમાં સુરેશ સિંહ તોમરના પુત્ર વિનોદ સિંહ અને ગજેન્દ્ર સિંહનો પુત્ર વીરેન્દ્રનો સમાવેશ થાય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.