કર્ણાટકમાં ચૂંટણી નજીક આવતા જામશે નેતાઓનો જમાવડો! પીએમ મોદી 6 દિવસમાં ગજવશે આટલી જનસભા! જાણો સમગ્ર કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-04-26 09:11:04

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની તૈયારીઓ માટે રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કર્ણાટકમાં પ્રચાર માટે વડાપ્રધાન મોદી પણ પહોંચવાના છે. વડાપ્રધાન તૂફાની રફતારથી કર્ણાટકમાં પ્રચાર કરવા મેદાનમાં ઉતરવાના છે અને એનો કાર્યક્રમ પણ બનાવવામાં આવી ગયો છે. મળતી માહિતી અનુસાર પીએમ 6 દિવસમાં 16 રેલી તેમજ રોડ શો કરવાના છે. આ કાર્યક્રમની શરૂઆત 28 એપ્રિલથી થઈ જવાની છે. 


પ્રચાર માટે વડાપ્રધાન મોદી આવશે મેદાનમાં! 

આવતા મહિને કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારો તથા સ્ટાર પ્રચારકોનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક ગણાતા પીએમ મોદી પણ કર્ણાટકમાં રેલી તેમજ જાહેર સભા કરી ભાજપનો પ્રચાર કરવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી 6 દિવસોમાં 16 જેટલી રેલી તેમજ રોડ શો કરવાના છે. કાર્યક્રમ પણ બનાવવામાં આવ્યો છે. પ્રચારની શરૂઆત 28 એપ્રિલથી થવાની છે. પીએમ મોદી 29 એપ્રિલે, ત્રીજી અને ચોથી મે તેમજ 6 અને 7મેના રોજ કર્ણાટકમાં ભાજપનો પ્રચાર કરવાના છે. 16 જિલ્લાઓને કવર કરવાના છે. 


પીએમ મોદી કરશે અનેક રેલી તેમજ જનસભા! 

આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. નિષ્ણાંતોના મતે કર્ણાટકની ચૂંટણી ભાજપ માટે લોકસભાનું સેમિફાઈનલ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બીજા રાજ્યો કરતા કર્ણાટક પર ભાજપનું ધ્યાન વધારે રહેશે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી પ્રચારની શરૂઆત રાજ્યના સૌથી મોટા જિલ્લા બેલગાવીથી કરશે. 


કોંગ્રેસે પણ શરૂ કર્યો કર્ણાટકમાં પ્રચાર! 

મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા પણ પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કર્ણાટકમાં પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા કર્ણાટકમાં પ્રચાર કર્યો હતો ત્યારે પ્રિયંકા ગાંધીએ પણ કર્ણાટકમાં સભાને સંબોધી હતી. મૈસુરમાં રેલી કરી હતી. પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું.          



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.