કર્ણાટકમાં ચૂંટણી નજીક આવતા જામશે નેતાઓનો જમાવડો! પીએમ મોદી 6 દિવસમાં ગજવશે આટલી જનસભા! જાણો સમગ્ર કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-04-26 09:11:04

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની તૈયારીઓ માટે રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કર્ણાટકમાં પ્રચાર માટે વડાપ્રધાન મોદી પણ પહોંચવાના છે. વડાપ્રધાન તૂફાની રફતારથી કર્ણાટકમાં પ્રચાર કરવા મેદાનમાં ઉતરવાના છે અને એનો કાર્યક્રમ પણ બનાવવામાં આવી ગયો છે. મળતી માહિતી અનુસાર પીએમ 6 દિવસમાં 16 રેલી તેમજ રોડ શો કરવાના છે. આ કાર્યક્રમની શરૂઆત 28 એપ્રિલથી થઈ જવાની છે. 


પ્રચાર માટે વડાપ્રધાન મોદી આવશે મેદાનમાં! 

આવતા મહિને કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારો તથા સ્ટાર પ્રચારકોનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક ગણાતા પીએમ મોદી પણ કર્ણાટકમાં રેલી તેમજ જાહેર સભા કરી ભાજપનો પ્રચાર કરવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી 6 દિવસોમાં 16 જેટલી રેલી તેમજ રોડ શો કરવાના છે. કાર્યક્રમ પણ બનાવવામાં આવ્યો છે. પ્રચારની શરૂઆત 28 એપ્રિલથી થવાની છે. પીએમ મોદી 29 એપ્રિલે, ત્રીજી અને ચોથી મે તેમજ 6 અને 7મેના રોજ કર્ણાટકમાં ભાજપનો પ્રચાર કરવાના છે. 16 જિલ્લાઓને કવર કરવાના છે. 


પીએમ મોદી કરશે અનેક રેલી તેમજ જનસભા! 

આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. નિષ્ણાંતોના મતે કર્ણાટકની ચૂંટણી ભાજપ માટે લોકસભાનું સેમિફાઈનલ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બીજા રાજ્યો કરતા કર્ણાટક પર ભાજપનું ધ્યાન વધારે રહેશે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી પ્રચારની શરૂઆત રાજ્યના સૌથી મોટા જિલ્લા બેલગાવીથી કરશે. 


કોંગ્રેસે પણ શરૂ કર્યો કર્ણાટકમાં પ્રચાર! 

મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા પણ પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કર્ણાટકમાં પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા કર્ણાટકમાં પ્રચાર કર્યો હતો ત્યારે પ્રિયંકા ગાંધીએ પણ કર્ણાટકમાં સભાને સંબોધી હતી. મૈસુરમાં રેલી કરી હતી. પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું.          



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.