કર્ણાટકમાં ચૂંટણી નજીક આવતા જામશે નેતાઓનો જમાવડો! પીએમ મોદી 6 દિવસમાં ગજવશે આટલી જનસભા! જાણો સમગ્ર કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-04-26 09:11:04

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની તૈયારીઓ માટે રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કર્ણાટકમાં પ્રચાર માટે વડાપ્રધાન મોદી પણ પહોંચવાના છે. વડાપ્રધાન તૂફાની રફતારથી કર્ણાટકમાં પ્રચાર કરવા મેદાનમાં ઉતરવાના છે અને એનો કાર્યક્રમ પણ બનાવવામાં આવી ગયો છે. મળતી માહિતી અનુસાર પીએમ 6 દિવસમાં 16 રેલી તેમજ રોડ શો કરવાના છે. આ કાર્યક્રમની શરૂઆત 28 એપ્રિલથી થઈ જવાની છે. 


પ્રચાર માટે વડાપ્રધાન મોદી આવશે મેદાનમાં! 

આવતા મહિને કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારો તથા સ્ટાર પ્રચારકોનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક ગણાતા પીએમ મોદી પણ કર્ણાટકમાં રેલી તેમજ જાહેર સભા કરી ભાજપનો પ્રચાર કરવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી 6 દિવસોમાં 16 જેટલી રેલી તેમજ રોડ શો કરવાના છે. કાર્યક્રમ પણ બનાવવામાં આવ્યો છે. પ્રચારની શરૂઆત 28 એપ્રિલથી થવાની છે. પીએમ મોદી 29 એપ્રિલે, ત્રીજી અને ચોથી મે તેમજ 6 અને 7મેના રોજ કર્ણાટકમાં ભાજપનો પ્રચાર કરવાના છે. 16 જિલ્લાઓને કવર કરવાના છે. 


પીએમ મોદી કરશે અનેક રેલી તેમજ જનસભા! 

આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. નિષ્ણાંતોના મતે કર્ણાટકની ચૂંટણી ભાજપ માટે લોકસભાનું સેમિફાઈનલ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બીજા રાજ્યો કરતા કર્ણાટક પર ભાજપનું ધ્યાન વધારે રહેશે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી પ્રચારની શરૂઆત રાજ્યના સૌથી મોટા જિલ્લા બેલગાવીથી કરશે. 


કોંગ્રેસે પણ શરૂ કર્યો કર્ણાટકમાં પ્રચાર! 

મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા પણ પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કર્ણાટકમાં પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા કર્ણાટકમાં પ્રચાર કર્યો હતો ત્યારે પ્રિયંકા ગાંધીએ પણ કર્ણાટકમાં સભાને સંબોધી હતી. મૈસુરમાં રેલી કરી હતી. પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું.          



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.