ગુજરાતની નહીં પરંતુ દેશના હવામાન વિશે કરીએ વાત, જાણો કયા રાજ્યો માટે અપાયું એલર્ટ?


  • Published By :
  • Published Date : 2023-07-06 09:59:03

હંમેશા ગુજરાતના હવામાનની વાતો કરતા હોઈએ છીએ. ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ અને ક્યારે વરસાદ પડશે તેની માહિતી તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. ત્યારે આજે ગુજરાતના નહીં પરંતુ દેશના હવામાનની વાત કરવી છે. દેશના લગભગ રાજ્યોમાં ચોમાસુ પહોંચી ગયું છે. અનેક રાજ્યોમાં ધમાકેદાર બેટિંગ મેઘરાજાની જોવા મળી રહી છે. ઉત્તર ભારતને મેઘરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ અનેક રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ગોવા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, છત્તીસગઢ, નાગાલેન્ડ સહિતના રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


દેશના અનેક રાજ્યોમાં ફરી જોવા મળશે મેઘમહેર 

દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. કોઈ રાજ્યમાં ધીરો ધીરો વરસાદ વરસ્યો હતો તો કોઈ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેઘસવારીએ થોડા દિવસોથી વિરામ લીધો હતો પરંતુ ફરી એક વખત વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં, ગુજરાત, છત્તીસગઢ, સિક્કિમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે.  આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે.જો પશ્ચિમ ભારતની વાત કરીએ તો આગામી પાંચ દિવસ ત્યાં મેઘમહેર જોવા મળી શકે છે.  


આ રાજ્યોમાં વરસી શકે છે ભારે વરસાદ 

અનેક રાજ્યો માટે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કરી દીધું છે. કેરળમાં આગામી દિવસો દરમિયાન મેઘતાંડવ જોવા મળી શકે છે. જેને લઈ કેરળમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, પૂર્વી રાજસ્થાન અને ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. તે સિવાય મધ્ય પ્રદેશના જબલપુર, નર્મદાપુરમ અને ઈન્દોરના અનેક ભાગોમાં પણ મેઘરાજાનું આગમન થઈ શકે છે. આગામી 24 કલાકની અંદર લદ્દાખ, રાજસ્થાનના પશ્ચિમી ભાગ, સૌરાષ્ટ્ર, કચ્છ અને તટીય આંધ્ર પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. સિક્કિમ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડૂમાં જોરદાર વરસાદની આગાહી કરી છે.  

  

   

ગુજરાતમાં પણ મેઘરાજાની થઈ શકે છે પધરામણી 

જો આગામી 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો પૂર્વાત્તર ભારત, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, આંધ્ર પ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ, કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક અને કેરલમાં ભારે વરસાદ થઈ શકે છે. તે સિવાય આ રાજ્યો જેવા કે કરીએ તો દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાતના અમુક ભાગ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.