ગુજરાતની નહીં પરંતુ દેશના હવામાન વિશે કરીએ વાત, જાણો કયા રાજ્યો માટે અપાયું એલર્ટ?


  • Published By :
  • Published Date : 2023-07-06 09:59:03

હંમેશા ગુજરાતના હવામાનની વાતો કરતા હોઈએ છીએ. ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ અને ક્યારે વરસાદ પડશે તેની માહિતી તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. ત્યારે આજે ગુજરાતના નહીં પરંતુ દેશના હવામાનની વાત કરવી છે. દેશના લગભગ રાજ્યોમાં ચોમાસુ પહોંચી ગયું છે. અનેક રાજ્યોમાં ધમાકેદાર બેટિંગ મેઘરાજાની જોવા મળી રહી છે. ઉત્તર ભારતને મેઘરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ અનેક રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ગોવા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, છત્તીસગઢ, નાગાલેન્ડ સહિતના રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


દેશના અનેક રાજ્યોમાં ફરી જોવા મળશે મેઘમહેર 

દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. કોઈ રાજ્યમાં ધીરો ધીરો વરસાદ વરસ્યો હતો તો કોઈ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેઘસવારીએ થોડા દિવસોથી વિરામ લીધો હતો પરંતુ ફરી એક વખત વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં, ગુજરાત, છત્તીસગઢ, સિક્કિમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે.  આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે.જો પશ્ચિમ ભારતની વાત કરીએ તો આગામી પાંચ દિવસ ત્યાં મેઘમહેર જોવા મળી શકે છે.  


આ રાજ્યોમાં વરસી શકે છે ભારે વરસાદ 

અનેક રાજ્યો માટે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કરી દીધું છે. કેરળમાં આગામી દિવસો દરમિયાન મેઘતાંડવ જોવા મળી શકે છે. જેને લઈ કેરળમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, પૂર્વી રાજસ્થાન અને ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. તે સિવાય મધ્ય પ્રદેશના જબલપુર, નર્મદાપુરમ અને ઈન્દોરના અનેક ભાગોમાં પણ મેઘરાજાનું આગમન થઈ શકે છે. આગામી 24 કલાકની અંદર લદ્દાખ, રાજસ્થાનના પશ્ચિમી ભાગ, સૌરાષ્ટ્ર, કચ્છ અને તટીય આંધ્ર પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. સિક્કિમ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડૂમાં જોરદાર વરસાદની આગાહી કરી છે.  

  

   

ગુજરાતમાં પણ મેઘરાજાની થઈ શકે છે પધરામણી 

જો આગામી 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો પૂર્વાત્તર ભારત, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, આંધ્ર પ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ, કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક અને કેરલમાં ભારે વરસાદ થઈ શકે છે. તે સિવાય આ રાજ્યો જેવા કે કરીએ તો દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાતના અમુક ભાગ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.