ગુજરાતની નહીં પરંતુ દેશના હવામાન વિશે કરીએ વાત, જાણો કયા રાજ્યો માટે અપાયું એલર્ટ?


  • Published By :
  • Published Date : 2023-07-06 09:59:03

હંમેશા ગુજરાતના હવામાનની વાતો કરતા હોઈએ છીએ. ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ અને ક્યારે વરસાદ પડશે તેની માહિતી તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. ત્યારે આજે ગુજરાતના નહીં પરંતુ દેશના હવામાનની વાત કરવી છે. દેશના લગભગ રાજ્યોમાં ચોમાસુ પહોંચી ગયું છે. અનેક રાજ્યોમાં ધમાકેદાર બેટિંગ મેઘરાજાની જોવા મળી રહી છે. ઉત્તર ભારતને મેઘરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ અનેક રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ગોવા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, છત્તીસગઢ, નાગાલેન્ડ સહિતના રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


દેશના અનેક રાજ્યોમાં ફરી જોવા મળશે મેઘમહેર 

દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. કોઈ રાજ્યમાં ધીરો ધીરો વરસાદ વરસ્યો હતો તો કોઈ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેઘસવારીએ થોડા દિવસોથી વિરામ લીધો હતો પરંતુ ફરી એક વખત વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં, ગુજરાત, છત્તીસગઢ, સિક્કિમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે.  આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે.જો પશ્ચિમ ભારતની વાત કરીએ તો આગામી પાંચ દિવસ ત્યાં મેઘમહેર જોવા મળી શકે છે.  


આ રાજ્યોમાં વરસી શકે છે ભારે વરસાદ 

અનેક રાજ્યો માટે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કરી દીધું છે. કેરળમાં આગામી દિવસો દરમિયાન મેઘતાંડવ જોવા મળી શકે છે. જેને લઈ કેરળમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, પૂર્વી રાજસ્થાન અને ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. તે સિવાય મધ્ય પ્રદેશના જબલપુર, નર્મદાપુરમ અને ઈન્દોરના અનેક ભાગોમાં પણ મેઘરાજાનું આગમન થઈ શકે છે. આગામી 24 કલાકની અંદર લદ્દાખ, રાજસ્થાનના પશ્ચિમી ભાગ, સૌરાષ્ટ્ર, કચ્છ અને તટીય આંધ્ર પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. સિક્કિમ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડૂમાં જોરદાર વરસાદની આગાહી કરી છે.  

  

   

ગુજરાતમાં પણ મેઘરાજાની થઈ શકે છે પધરામણી 

જો આગામી 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો પૂર્વાત્તર ભારત, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, આંધ્ર પ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ, કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક અને કેરલમાં ભારે વરસાદ થઈ શકે છે. તે સિવાય આ રાજ્યો જેવા કે કરીએ તો દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાતના અમુક ભાગ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.