ગુજરાતની નહીં પરંતુ દેશના હવામાન વિશે કરીએ વાત, જાણો કયા રાજ્યો માટે અપાયું એલર્ટ?


  • Published By :
  • Published Date : 2023-07-06 09:59:03

હંમેશા ગુજરાતના હવામાનની વાતો કરતા હોઈએ છીએ. ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ અને ક્યારે વરસાદ પડશે તેની માહિતી તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. ત્યારે આજે ગુજરાતના નહીં પરંતુ દેશના હવામાનની વાત કરવી છે. દેશના લગભગ રાજ્યોમાં ચોમાસુ પહોંચી ગયું છે. અનેક રાજ્યોમાં ધમાકેદાર બેટિંગ મેઘરાજાની જોવા મળી રહી છે. ઉત્તર ભારતને મેઘરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ અનેક રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ગોવા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, છત્તીસગઢ, નાગાલેન્ડ સહિતના રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


દેશના અનેક રાજ્યોમાં ફરી જોવા મળશે મેઘમહેર 

દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. કોઈ રાજ્યમાં ધીરો ધીરો વરસાદ વરસ્યો હતો તો કોઈ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેઘસવારીએ થોડા દિવસોથી વિરામ લીધો હતો પરંતુ ફરી એક વખત વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં, ગુજરાત, છત્તીસગઢ, સિક્કિમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે.  આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે.જો પશ્ચિમ ભારતની વાત કરીએ તો આગામી પાંચ દિવસ ત્યાં મેઘમહેર જોવા મળી શકે છે.  


આ રાજ્યોમાં વરસી શકે છે ભારે વરસાદ 

અનેક રાજ્યો માટે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કરી દીધું છે. કેરળમાં આગામી દિવસો દરમિયાન મેઘતાંડવ જોવા મળી શકે છે. જેને લઈ કેરળમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, પૂર્વી રાજસ્થાન અને ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. તે સિવાય મધ્ય પ્રદેશના જબલપુર, નર્મદાપુરમ અને ઈન્દોરના અનેક ભાગોમાં પણ મેઘરાજાનું આગમન થઈ શકે છે. આગામી 24 કલાકની અંદર લદ્દાખ, રાજસ્થાનના પશ્ચિમી ભાગ, સૌરાષ્ટ્ર, કચ્છ અને તટીય આંધ્ર પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. સિક્કિમ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડૂમાં જોરદાર વરસાદની આગાહી કરી છે.  

  

   

ગુજરાતમાં પણ મેઘરાજાની થઈ શકે છે પધરામણી 

જો આગામી 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો પૂર્વાત્તર ભારત, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, આંધ્ર પ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ, કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક અને કેરલમાં ભારે વરસાદ થઈ શકે છે. તે સિવાય આ રાજ્યો જેવા કે કરીએ તો દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાતના અમુક ભાગ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.