Libya Flood : લીબિયામાં આવ્યું વિનાશકારી તોફાન અને પૂર, જનજીવન પર પડી ગંભીર અસર, થયા હજારો લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-09-12 13:35:39

કુદરતી આફતોને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કુદરત આગળ માણસ લાચાર છે. એવું કહેવાય છે કે કુદરત જ્યારે પાછું લેવા બેસે ત્યારે કંઈ પણ નથી છોડતી. કુદરતી આફતનો સામનો વિશ્વના અનેક દેશો કરી રહ્યા છે. ક્યાંક ધરતીકંપના આંચકાનો અનુભવ થાય છે તો ક્યાંક સુનામી અથવા તો તોફાનને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે લીબિયામાં આવેલા તૂફાન અને પૂરને કારણે હજારોની સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે, જ્યારે અનેક લોકો ગૂમ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પૂરને કારણે 2 હજારથી વધારે લોકોના મોત થયા છે.


2 હજાર લોકોના થયા મોત!

આફ્રિકી દેશ લીબિયાની પરિસ્થિતિ કુદરતી આફતને કારણે વણસી ગઈ છે. વિનાશકારી તૂફાન અને પૂરને કારણે પૂર્વ લીબિયામાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. પૂર આવવાને કારણે બે હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે જ્યારે હજારો લોકો પ્રભાવિત થયા છે. પૂર્વ લીબિયાઈ સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડેરના શહેરમાં પૂર આવવાને કારણે બે હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે, જ્યારે પાંચથી છ હજાર લોકો આ પૂરને કારણે પ્રભાવિત થયા છે. એવી પણ માહિતી સામે આવી કે આ તોફોનને કારણે ડેમ પર અસર પડી જેને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 


રાષ્ટ્રીય શોકની કરાઈ જાહેરાત 

આ મામલે લીબિયાના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પૂરને કારણે ડેરના શહેર તબાહ થઈ ગયું છે. 2 હજાર જેટલા લોકો માર્યા જવાની આશંકા છે. ડેરના શહેરની હાલત અતીગંભીર છે. આપદા દોષિત કરવામાં આવી છે. પૂર્વ લીબિયા સરકારના પ્રધાનમંત્રી ઓસામા હમાદે સોમવારે ત્રણ દિવસ શોકની જાહેરાત કરી છે. મહત્વનું છે કે લીબિયાના ડેર્નામાં ડેનિયલ નામનું તોફાન આવ્યું છે જે તબાહિ મચાવી રહ્યું છે. આની પહેલા ગ્રીસમાં આવા તોફાને તબાહી મચાવી હતી. તોફાનને કારણે લોકોની જિંદગી તો જાય છે પરંતુ ઈમારતોને પણ નુકસાન પહોંચે છે.    

  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી