Libya Flood : લીબિયામાં આવ્યું વિનાશકારી તોફાન અને પૂર, જનજીવન પર પડી ગંભીર અસર, થયા હજારો લોકોના મોત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-12 13:35:39

કુદરતી આફતોને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કુદરત આગળ માણસ લાચાર છે. એવું કહેવાય છે કે કુદરત જ્યારે પાછું લેવા બેસે ત્યારે કંઈ પણ નથી છોડતી. કુદરતી આફતનો સામનો વિશ્વના અનેક દેશો કરી રહ્યા છે. ક્યાંક ધરતીકંપના આંચકાનો અનુભવ થાય છે તો ક્યાંક સુનામી અથવા તો તોફાનને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે લીબિયામાં આવેલા તૂફાન અને પૂરને કારણે હજારોની સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે, જ્યારે અનેક લોકો ગૂમ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પૂરને કારણે 2 હજારથી વધારે લોકોના મોત થયા છે.


2 હજાર લોકોના થયા મોત!

આફ્રિકી દેશ લીબિયાની પરિસ્થિતિ કુદરતી આફતને કારણે વણસી ગઈ છે. વિનાશકારી તૂફાન અને પૂરને કારણે પૂર્વ લીબિયામાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. પૂર આવવાને કારણે બે હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે જ્યારે હજારો લોકો પ્રભાવિત થયા છે. પૂર્વ લીબિયાઈ સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડેરના શહેરમાં પૂર આવવાને કારણે બે હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે, જ્યારે પાંચથી છ હજાર લોકો આ પૂરને કારણે પ્રભાવિત થયા છે. એવી પણ માહિતી સામે આવી કે આ તોફોનને કારણે ડેમ પર અસર પડી જેને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 


રાષ્ટ્રીય શોકની કરાઈ જાહેરાત 

આ મામલે લીબિયાના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પૂરને કારણે ડેરના શહેર તબાહ થઈ ગયું છે. 2 હજાર જેટલા લોકો માર્યા જવાની આશંકા છે. ડેરના શહેરની હાલત અતીગંભીર છે. આપદા દોષિત કરવામાં આવી છે. પૂર્વ લીબિયા સરકારના પ્રધાનમંત્રી ઓસામા હમાદે સોમવારે ત્રણ દિવસ શોકની જાહેરાત કરી છે. મહત્વનું છે કે લીબિયાના ડેર્નામાં ડેનિયલ નામનું તોફાન આવ્યું છે જે તબાહિ મચાવી રહ્યું છે. આની પહેલા ગ્રીસમાં આવા તોફાને તબાહી મચાવી હતી. તોફાનને કારણે લોકોની જિંદગી તો જાય છે પરંતુ ઈમારતોને પણ નુકસાન પહોંચે છે.    

  



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.