Libya Flood : લીબિયામાં આવ્યું વિનાશકારી તોફાન અને પૂર, જનજીવન પર પડી ગંભીર અસર, થયા હજારો લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-09-12 13:35:39

કુદરતી આફતોને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કુદરત આગળ માણસ લાચાર છે. એવું કહેવાય છે કે કુદરત જ્યારે પાછું લેવા બેસે ત્યારે કંઈ પણ નથી છોડતી. કુદરતી આફતનો સામનો વિશ્વના અનેક દેશો કરી રહ્યા છે. ક્યાંક ધરતીકંપના આંચકાનો અનુભવ થાય છે તો ક્યાંક સુનામી અથવા તો તોફાનને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે લીબિયામાં આવેલા તૂફાન અને પૂરને કારણે હજારોની સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે, જ્યારે અનેક લોકો ગૂમ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પૂરને કારણે 2 હજારથી વધારે લોકોના મોત થયા છે.


2 હજાર લોકોના થયા મોત!

આફ્રિકી દેશ લીબિયાની પરિસ્થિતિ કુદરતી આફતને કારણે વણસી ગઈ છે. વિનાશકારી તૂફાન અને પૂરને કારણે પૂર્વ લીબિયામાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. પૂર આવવાને કારણે બે હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે જ્યારે હજારો લોકો પ્રભાવિત થયા છે. પૂર્વ લીબિયાઈ સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડેરના શહેરમાં પૂર આવવાને કારણે બે હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે, જ્યારે પાંચથી છ હજાર લોકો આ પૂરને કારણે પ્રભાવિત થયા છે. એવી પણ માહિતી સામે આવી કે આ તોફોનને કારણે ડેમ પર અસર પડી જેને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 


રાષ્ટ્રીય શોકની કરાઈ જાહેરાત 

આ મામલે લીબિયાના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પૂરને કારણે ડેરના શહેર તબાહ થઈ ગયું છે. 2 હજાર જેટલા લોકો માર્યા જવાની આશંકા છે. ડેરના શહેરની હાલત અતીગંભીર છે. આપદા દોષિત કરવામાં આવી છે. પૂર્વ લીબિયા સરકારના પ્રધાનમંત્રી ઓસામા હમાદે સોમવારે ત્રણ દિવસ શોકની જાહેરાત કરી છે. મહત્વનું છે કે લીબિયાના ડેર્નામાં ડેનિયલ નામનું તોફાન આવ્યું છે જે તબાહિ મચાવી રહ્યું છે. આની પહેલા ગ્રીસમાં આવા તોફાને તબાહી મચાવી હતી. તોફાનને કારણે લોકોની જિંદગી તો જાય છે પરંતુ ઈમારતોને પણ નુકસાન પહોંચે છે.    

  



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.