Libya Flood : લીબિયામાં આવ્યું વિનાશકારી તોફાન અને પૂર, જનજીવન પર પડી ગંભીર અસર, થયા હજારો લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-09-12 13:35:39

કુદરતી આફતોને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કુદરત આગળ માણસ લાચાર છે. એવું કહેવાય છે કે કુદરત જ્યારે પાછું લેવા બેસે ત્યારે કંઈ પણ નથી છોડતી. કુદરતી આફતનો સામનો વિશ્વના અનેક દેશો કરી રહ્યા છે. ક્યાંક ધરતીકંપના આંચકાનો અનુભવ થાય છે તો ક્યાંક સુનામી અથવા તો તોફાનને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે લીબિયામાં આવેલા તૂફાન અને પૂરને કારણે હજારોની સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે, જ્યારે અનેક લોકો ગૂમ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પૂરને કારણે 2 હજારથી વધારે લોકોના મોત થયા છે.


2 હજાર લોકોના થયા મોત!

આફ્રિકી દેશ લીબિયાની પરિસ્થિતિ કુદરતી આફતને કારણે વણસી ગઈ છે. વિનાશકારી તૂફાન અને પૂરને કારણે પૂર્વ લીબિયામાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. પૂર આવવાને કારણે બે હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે જ્યારે હજારો લોકો પ્રભાવિત થયા છે. પૂર્વ લીબિયાઈ સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડેરના શહેરમાં પૂર આવવાને કારણે બે હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે, જ્યારે પાંચથી છ હજાર લોકો આ પૂરને કારણે પ્રભાવિત થયા છે. એવી પણ માહિતી સામે આવી કે આ તોફોનને કારણે ડેમ પર અસર પડી જેને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 


રાષ્ટ્રીય શોકની કરાઈ જાહેરાત 

આ મામલે લીબિયાના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પૂરને કારણે ડેરના શહેર તબાહ થઈ ગયું છે. 2 હજાર જેટલા લોકો માર્યા જવાની આશંકા છે. ડેરના શહેરની હાલત અતીગંભીર છે. આપદા દોષિત કરવામાં આવી છે. પૂર્વ લીબિયા સરકારના પ્રધાનમંત્રી ઓસામા હમાદે સોમવારે ત્રણ દિવસ શોકની જાહેરાત કરી છે. મહત્વનું છે કે લીબિયાના ડેર્નામાં ડેનિયલ નામનું તોફાન આવ્યું છે જે તબાહિ મચાવી રહ્યું છે. આની પહેલા ગ્રીસમાં આવા તોફાને તબાહી મચાવી હતી. તોફાનને કારણે લોકોની જિંદગી તો જાય છે પરંતુ ઈમારતોને પણ નુકસાન પહોંચે છે.    

  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.