અદાણી ગ્રુપમાં રોકાણથી LICને પણ જબરજસ્ત આર્થિક ફટકો, જાણો કેટલા રૂપિયા ડૂબ્યા?


  • Published By :
  • Published Date : 2023-02-24 17:04:13

હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેરો છેલ્લા એક મહિનાથી ધડાધડ તુટી રહ્યા છે, તેના કારણે ગૌતમ અદાણીને કરોડો ડોલરનું નુકસાન થયું છે. જો કે તેની સાથે સાથે-સાથે દેશની સૌથી મોટી વિમા કંપની LICને પણ જોરદાર આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. LICએ અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટાપાયે રોકાણ કર્યું છે.


LICને કેટલું નુકસાન થયું?


આજે ગુરૂવારે શેર માર્કેટ બંધ થયા બાદ અદાણી ગ્રુપના શેરોમાં LICના મૂડી રોકાણનું મૂલ્ય ઘટીને 27 હજાર કરોડ રૂપિયા જેટલું રહી ગયું છે. LICના શેર હોલ્ડિંગ પેટર્નનું ડેટા એનાલિસીસ કર્યા બાદ આ આંકડો સામે આવ્યો છે. LICએ અદાણી ગ્રુપના શેરોમાં ઈક્વિટી અને ડેટ હેઠળ ડિસેમ્બરના અંત સુધી કુલ 35,917 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. LICના જણાવ્યા પ્રમાણે અદાણી ગ્રુપના શેરોની કુલ ખરીદ વેલ્યું 30,127 કરોડ રૂપિયા હતી, જે વધીને 27 જાન્યુઆરીએ 56,142 કરોડ રૂપિયાએ પહોંચી હતી.   


LICનું અદાણી ગ્રુપમાં રોકાણ કેટલું?


LIC અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના 4,81,74,654 શેર ધરાવે છે. આ ડિસેમ્બર 2022 સુધીમાં કંપનીની કુલ ચૂકવેલ મૂડીના 4.23 ટકા છે. ડિસેમ્બર સુધીમાં LIC અદાણી પોર્ટ્સમાં 9.14 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.65 ટકા, અદાણી ગ્રીનમાં 1.28 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકા હિસ્સો ધરાવે છે. 30 સપ્ટેમ્બર 2022ના રોજ LICની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 41.66 લાખ કરોડ રૂપિયા હતી. તે હિસાબે જોઈએ તો,આ રોકાણ એક ટકાથી પણ ઓછું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.