અદાણી ગ્રુપમાં રોકાણથી LICને પણ જબરજસ્ત આર્થિક ફટકો, જાણો કેટલા રૂપિયા ડૂબ્યા?


  • Published By :
  • Published Date : 2023-02-24 17:04:13

હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેરો છેલ્લા એક મહિનાથી ધડાધડ તુટી રહ્યા છે, તેના કારણે ગૌતમ અદાણીને કરોડો ડોલરનું નુકસાન થયું છે. જો કે તેની સાથે સાથે-સાથે દેશની સૌથી મોટી વિમા કંપની LICને પણ જોરદાર આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. LICએ અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટાપાયે રોકાણ કર્યું છે.


LICને કેટલું નુકસાન થયું?


આજે ગુરૂવારે શેર માર્કેટ બંધ થયા બાદ અદાણી ગ્રુપના શેરોમાં LICના મૂડી રોકાણનું મૂલ્ય ઘટીને 27 હજાર કરોડ રૂપિયા જેટલું રહી ગયું છે. LICના શેર હોલ્ડિંગ પેટર્નનું ડેટા એનાલિસીસ કર્યા બાદ આ આંકડો સામે આવ્યો છે. LICએ અદાણી ગ્રુપના શેરોમાં ઈક્વિટી અને ડેટ હેઠળ ડિસેમ્બરના અંત સુધી કુલ 35,917 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. LICના જણાવ્યા પ્રમાણે અદાણી ગ્રુપના શેરોની કુલ ખરીદ વેલ્યું 30,127 કરોડ રૂપિયા હતી, જે વધીને 27 જાન્યુઆરીએ 56,142 કરોડ રૂપિયાએ પહોંચી હતી.   


LICનું અદાણી ગ્રુપમાં રોકાણ કેટલું?


LIC અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના 4,81,74,654 શેર ધરાવે છે. આ ડિસેમ્બર 2022 સુધીમાં કંપનીની કુલ ચૂકવેલ મૂડીના 4.23 ટકા છે. ડિસેમ્બર સુધીમાં LIC અદાણી પોર્ટ્સમાં 9.14 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.65 ટકા, અદાણી ગ્રીનમાં 1.28 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકા હિસ્સો ધરાવે છે. 30 સપ્ટેમ્બર 2022ના રોજ LICની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 41.66 લાખ કરોડ રૂપિયા હતી. તે હિસાબે જોઈએ તો,આ રોકાણ એક ટકાથી પણ ઓછું છે.



અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.