અદાણી ગ્રુપમાં રોકાણથી LICને પણ જબરજસ્ત આર્થિક ફટકો, જાણો કેટલા રૂપિયા ડૂબ્યા?


  • Published By :
  • Published Date : 2023-02-24 17:04:13

હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેરો છેલ્લા એક મહિનાથી ધડાધડ તુટી રહ્યા છે, તેના કારણે ગૌતમ અદાણીને કરોડો ડોલરનું નુકસાન થયું છે. જો કે તેની સાથે સાથે-સાથે દેશની સૌથી મોટી વિમા કંપની LICને પણ જોરદાર આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. LICએ અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટાપાયે રોકાણ કર્યું છે.


LICને કેટલું નુકસાન થયું?


આજે ગુરૂવારે શેર માર્કેટ બંધ થયા બાદ અદાણી ગ્રુપના શેરોમાં LICના મૂડી રોકાણનું મૂલ્ય ઘટીને 27 હજાર કરોડ રૂપિયા જેટલું રહી ગયું છે. LICના શેર હોલ્ડિંગ પેટર્નનું ડેટા એનાલિસીસ કર્યા બાદ આ આંકડો સામે આવ્યો છે. LICએ અદાણી ગ્રુપના શેરોમાં ઈક્વિટી અને ડેટ હેઠળ ડિસેમ્બરના અંત સુધી કુલ 35,917 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. LICના જણાવ્યા પ્રમાણે અદાણી ગ્રુપના શેરોની કુલ ખરીદ વેલ્યું 30,127 કરોડ રૂપિયા હતી, જે વધીને 27 જાન્યુઆરીએ 56,142 કરોડ રૂપિયાએ પહોંચી હતી.   


LICનું અદાણી ગ્રુપમાં રોકાણ કેટલું?


LIC અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના 4,81,74,654 શેર ધરાવે છે. આ ડિસેમ્બર 2022 સુધીમાં કંપનીની કુલ ચૂકવેલ મૂડીના 4.23 ટકા છે. ડિસેમ્બર સુધીમાં LIC અદાણી પોર્ટ્સમાં 9.14 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.65 ટકા, અદાણી ગ્રીનમાં 1.28 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકા હિસ્સો ધરાવે છે. 30 સપ્ટેમ્બર 2022ના રોજ LICની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 41.66 લાખ કરોડ રૂપિયા હતી. તે હિસાબે જોઈએ તો,આ રોકાણ એક ટકાથી પણ ઓછું છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.