અદાણી ગ્રુપમાં રોકાણથી LICને પણ જબરજસ્ત આર્થિક ફટકો, જાણો કેટલા રૂપિયા ડૂબ્યા?


  • Published By :
  • Published Date : 2023-02-24 17:04:13

હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેરો છેલ્લા એક મહિનાથી ધડાધડ તુટી રહ્યા છે, તેના કારણે ગૌતમ અદાણીને કરોડો ડોલરનું નુકસાન થયું છે. જો કે તેની સાથે સાથે-સાથે દેશની સૌથી મોટી વિમા કંપની LICને પણ જોરદાર આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. LICએ અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટાપાયે રોકાણ કર્યું છે.


LICને કેટલું નુકસાન થયું?


આજે ગુરૂવારે શેર માર્કેટ બંધ થયા બાદ અદાણી ગ્રુપના શેરોમાં LICના મૂડી રોકાણનું મૂલ્ય ઘટીને 27 હજાર કરોડ રૂપિયા જેટલું રહી ગયું છે. LICના શેર હોલ્ડિંગ પેટર્નનું ડેટા એનાલિસીસ કર્યા બાદ આ આંકડો સામે આવ્યો છે. LICએ અદાણી ગ્રુપના શેરોમાં ઈક્વિટી અને ડેટ હેઠળ ડિસેમ્બરના અંત સુધી કુલ 35,917 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. LICના જણાવ્યા પ્રમાણે અદાણી ગ્રુપના શેરોની કુલ ખરીદ વેલ્યું 30,127 કરોડ રૂપિયા હતી, જે વધીને 27 જાન્યુઆરીએ 56,142 કરોડ રૂપિયાએ પહોંચી હતી.   


LICનું અદાણી ગ્રુપમાં રોકાણ કેટલું?


LIC અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના 4,81,74,654 શેર ધરાવે છે. આ ડિસેમ્બર 2022 સુધીમાં કંપનીની કુલ ચૂકવેલ મૂડીના 4.23 ટકા છે. ડિસેમ્બર સુધીમાં LIC અદાણી પોર્ટ્સમાં 9.14 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.65 ટકા, અદાણી ગ્રીનમાં 1.28 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકા હિસ્સો ધરાવે છે. 30 સપ્ટેમ્બર 2022ના રોજ LICની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 41.66 લાખ કરોડ રૂપિયા હતી. તે હિસાબે જોઈએ તો,આ રોકાણ એક ટકાથી પણ ઓછું છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.