LICના શેરોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો, IPO ભાવથી 40 ટકા તુટ્યા, માર્કેટ કેપ પણ 6ઠ્ઠા થી 12માં સ્‍થાને પહોચ્‍યું


  • Published By :
  • Published Date : 2023-02-28 19:43:59

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC અદાણી ગ્રુપમાં મોટાપાયે રોકાણ કરીને જબરદસ્ત નુકસાનનો સામનો કરી રહી છે. LICના શેર દરરોજ તુટી રહ્યા છે, LICને આ રીતે બે પ્રકારના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. એક તો તેના મુડી રોકાણ પર ફટકો પડી રહ્યો છે જ્યારે બીજી બાજુ તેના શેર પણ માર્કેટમાં તુટીને રેકોર્ડબ્રેક નીચી સપાટીએ પહોંચ્‍યા છે.  


અદાણીના વાંકે LICને સજા


LICનો શેર 2.9 ટકા ઘટીને રૂ. 567.8 પર બંધ થયો હતો. કંપનીના માર્કેટ વેલ્‍યુએશનમાં IPO સ્‍તરથી 40 ટકા એટલે કે રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો થયો છે. LICના શેરમાં ગયા મહિને 15 ટકાનો ઘટાડો થયો હતો, જે મેગા-કેપમાં સૌથી વધુ છે. LICનું એમકેપ લિસ્‍ટિંગ સમયે ૬ઠ્ઠા સ્‍થાનેથી હવે 12માં સ્‍થાને પહોંચી ગયું છે. અદાણી ગ્રૂપના શેર્સ LICના ઈક્‍વિટી પોર્ટફોલિયોમાં એક ટકા કરતા પણ ઓછા હિસ્‍સો ધરાવતા હોવા છતાં, બજારે તેના શેરને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડ્‍યું છે.


LICનું હોલ્ડિંગ કેટલું છે?


અદાણીની કંપનીઓમાં ઇક્‍વિટી અને ડેટના સ્‍વરૂપમાં LICનું હોલ્‍ડિંગ 31 જાન્‍યુઆરીના રોજ, રૂ. 36,000 કરોડથી ઓછું હતું. વીમા કંપનીએ જણાવ્‍યું હતું કે ઇક્‍વિટી ખરીદીનું મૂલ્‍ય રૂ. 30,127 કરોડ હતું. અદાણીના શેરમાં સતત ઘટાડાને પગલે LICના હોલ્‍ડિંગનું મૂલ્‍ય એક્‍વિઝિશન કોસ્‍ટ કરતાં નીચે ગયું છે, જેના કારણે ચિંતા વધી છે. 


LICના બિઝનેસ અંગે ચિંતા વધી


શેર બજારના નિષ્ણાતોના જણાવ્‍યા મુજબ અદાણી ગ્રૂપના શેર્સમાં LICના રોકાણથી પેદા થયેલા નકારાત્‍મક સેન્‍ટિમેન્‍ટને કારણે રોકાણકારો LICના બિઝનેસ પર અસર અંગે પણ ચિંતિત છે. આ સિવાય તેમનું કહેવું છે કે સરકારી ડિસઇન્‍વેસ્‍ટમેન્‍ટના મામલે LICનો સતત દુરૂપયોગ થઈ રહ્યો છે. હાલમાં, LICમાં સરકારનો હિસ્‍સો 96.5 ટકા છે અને રિટેલ ભાગીદારી લગભગ 2 ટકા છે. દરમિયાન, વિદેશી ફંડ્‍સ તેમાં માત્ર 0.17 ટકા હિસ્‍સો ધરાવે છે. આવી સ્‍થિતિમાં, LICના મૂલ્‍યમાં ઘટાડો સરકાર અને નાગરિકોને અન્‍ય કોઈ કરતાં વધુ નુકસાન પહોંચાડી રહ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.