LICના શેરોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો, IPO ભાવથી 40 ટકા તુટ્યા, માર્કેટ કેપ પણ 6ઠ્ઠા થી 12માં સ્‍થાને પહોચ્‍યું


  • Published By :
  • Published Date : 2023-02-28 19:43:59

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC અદાણી ગ્રુપમાં મોટાપાયે રોકાણ કરીને જબરદસ્ત નુકસાનનો સામનો કરી રહી છે. LICના શેર દરરોજ તુટી રહ્યા છે, LICને આ રીતે બે પ્રકારના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. એક તો તેના મુડી રોકાણ પર ફટકો પડી રહ્યો છે જ્યારે બીજી બાજુ તેના શેર પણ માર્કેટમાં તુટીને રેકોર્ડબ્રેક નીચી સપાટીએ પહોંચ્‍યા છે.  


અદાણીના વાંકે LICને સજા


LICનો શેર 2.9 ટકા ઘટીને રૂ. 567.8 પર બંધ થયો હતો. કંપનીના માર્કેટ વેલ્‍યુએશનમાં IPO સ્‍તરથી 40 ટકા એટલે કે રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો થયો છે. LICના શેરમાં ગયા મહિને 15 ટકાનો ઘટાડો થયો હતો, જે મેગા-કેપમાં સૌથી વધુ છે. LICનું એમકેપ લિસ્‍ટિંગ સમયે ૬ઠ્ઠા સ્‍થાનેથી હવે 12માં સ્‍થાને પહોંચી ગયું છે. અદાણી ગ્રૂપના શેર્સ LICના ઈક્‍વિટી પોર્ટફોલિયોમાં એક ટકા કરતા પણ ઓછા હિસ્‍સો ધરાવતા હોવા છતાં, બજારે તેના શેરને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડ્‍યું છે.


LICનું હોલ્ડિંગ કેટલું છે?


અદાણીની કંપનીઓમાં ઇક્‍વિટી અને ડેટના સ્‍વરૂપમાં LICનું હોલ્‍ડિંગ 31 જાન્‍યુઆરીના રોજ, રૂ. 36,000 કરોડથી ઓછું હતું. વીમા કંપનીએ જણાવ્‍યું હતું કે ઇક્‍વિટી ખરીદીનું મૂલ્‍ય રૂ. 30,127 કરોડ હતું. અદાણીના શેરમાં સતત ઘટાડાને પગલે LICના હોલ્‍ડિંગનું મૂલ્‍ય એક્‍વિઝિશન કોસ્‍ટ કરતાં નીચે ગયું છે, જેના કારણે ચિંતા વધી છે. 


LICના બિઝનેસ અંગે ચિંતા વધી


શેર બજારના નિષ્ણાતોના જણાવ્‍યા મુજબ અદાણી ગ્રૂપના શેર્સમાં LICના રોકાણથી પેદા થયેલા નકારાત્‍મક સેન્‍ટિમેન્‍ટને કારણે રોકાણકારો LICના બિઝનેસ પર અસર અંગે પણ ચિંતિત છે. આ સિવાય તેમનું કહેવું છે કે સરકારી ડિસઇન્‍વેસ્‍ટમેન્‍ટના મામલે LICનો સતત દુરૂપયોગ થઈ રહ્યો છે. હાલમાં, LICમાં સરકારનો હિસ્‍સો 96.5 ટકા છે અને રિટેલ ભાગીદારી લગભગ 2 ટકા છે. દરમિયાન, વિદેશી ફંડ્‍સ તેમાં માત્ર 0.17 ટકા હિસ્‍સો ધરાવે છે. આવી સ્‍થિતિમાં, LICના મૂલ્‍યમાં ઘટાડો સરકાર અને નાગરિકોને અન્‍ય કોઈ કરતાં વધુ નુકસાન પહોંચાડી રહ્યો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.