LICના શેરોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો, IPO ભાવથી 40 ટકા તુટ્યા, માર્કેટ કેપ પણ 6ઠ્ઠા થી 12માં સ્‍થાને પહોચ્‍યું


  • Published By :
  • Published Date : 2023-02-28 19:43:59

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC અદાણી ગ્રુપમાં મોટાપાયે રોકાણ કરીને જબરદસ્ત નુકસાનનો સામનો કરી રહી છે. LICના શેર દરરોજ તુટી રહ્યા છે, LICને આ રીતે બે પ્રકારના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. એક તો તેના મુડી રોકાણ પર ફટકો પડી રહ્યો છે જ્યારે બીજી બાજુ તેના શેર પણ માર્કેટમાં તુટીને રેકોર્ડબ્રેક નીચી સપાટીએ પહોંચ્‍યા છે.  


અદાણીના વાંકે LICને સજા


LICનો શેર 2.9 ટકા ઘટીને રૂ. 567.8 પર બંધ થયો હતો. કંપનીના માર્કેટ વેલ્‍યુએશનમાં IPO સ્‍તરથી 40 ટકા એટલે કે રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો થયો છે. LICના શેરમાં ગયા મહિને 15 ટકાનો ઘટાડો થયો હતો, જે મેગા-કેપમાં સૌથી વધુ છે. LICનું એમકેપ લિસ્‍ટિંગ સમયે ૬ઠ્ઠા સ્‍થાનેથી હવે 12માં સ્‍થાને પહોંચી ગયું છે. અદાણી ગ્રૂપના શેર્સ LICના ઈક્‍વિટી પોર્ટફોલિયોમાં એક ટકા કરતા પણ ઓછા હિસ્‍સો ધરાવતા હોવા છતાં, બજારે તેના શેરને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડ્‍યું છે.


LICનું હોલ્ડિંગ કેટલું છે?


અદાણીની કંપનીઓમાં ઇક્‍વિટી અને ડેટના સ્‍વરૂપમાં LICનું હોલ્‍ડિંગ 31 જાન્‍યુઆરીના રોજ, રૂ. 36,000 કરોડથી ઓછું હતું. વીમા કંપનીએ જણાવ્‍યું હતું કે ઇક્‍વિટી ખરીદીનું મૂલ્‍ય રૂ. 30,127 કરોડ હતું. અદાણીના શેરમાં સતત ઘટાડાને પગલે LICના હોલ્‍ડિંગનું મૂલ્‍ય એક્‍વિઝિશન કોસ્‍ટ કરતાં નીચે ગયું છે, જેના કારણે ચિંતા વધી છે. 


LICના બિઝનેસ અંગે ચિંતા વધી


શેર બજારના નિષ્ણાતોના જણાવ્‍યા મુજબ અદાણી ગ્રૂપના શેર્સમાં LICના રોકાણથી પેદા થયેલા નકારાત્‍મક સેન્‍ટિમેન્‍ટને કારણે રોકાણકારો LICના બિઝનેસ પર અસર અંગે પણ ચિંતિત છે. આ સિવાય તેમનું કહેવું છે કે સરકારી ડિસઇન્‍વેસ્‍ટમેન્‍ટના મામલે LICનો સતત દુરૂપયોગ થઈ રહ્યો છે. હાલમાં, LICમાં સરકારનો હિસ્‍સો 96.5 ટકા છે અને રિટેલ ભાગીદારી લગભગ 2 ટકા છે. દરમિયાન, વિદેશી ફંડ્‍સ તેમાં માત્ર 0.17 ટકા હિસ્‍સો ધરાવે છે. આવી સ્‍થિતિમાં, LICના મૂલ્‍યમાં ઘટાડો સરકાર અને નાગરિકોને અન્‍ય કોઈ કરતાં વધુ નુકસાન પહોંચાડી રહ્યો છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.