લિઝ ટ્રસ બ્રિટનના નવા પ્રધાનમંત્રી, ઋષિ સુનકને હરાવ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 22:18:45

બ્રિટનની પ્રધાનમંત્રીની ચૂંટણીમાં નવા પ્રધાનમંત્રી પદની ચૂંટણી થઈ જેમાં ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવી 47 વર્ષના લિઝ ટ્રસ નવા પ્રધાનમંત્રી બનશે. કુલ 1,72,437 મતમાંથી 1.60 લોકોએ મતદાન કર્યું હતું જેમાં 81,326 મત મેળવી લિઝ ટ્રસ બોરિસની જગ્યા લેશે.  


કોણ છે લિઝ ટ્રસ?

46 વર્ષના લિઝ ટ્રસનું પુરું નામ એલિઝાબેથ મેરી ટ્રુસ છે. તેઓ થેચરને પોતાના આદર્શ માને છે. તેઓના પિતા ગણિતના પ્રોફેસર હતા અને માતા નર્સ હતા. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી આવે છે અને હાલ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેઈન પદે સેવા આપી રહ્યા છે. તેઓએ યુકેની અનેક રાજનીતિક પદો પર સેવા આપી છે. 


આવતીકાલે નવા પ્રધાનમંત્રી શપથ ગ્રહણ કરશે

આવતીકાલે બોરીસ જોનસન પ્રધાનમંત્રી આવાસમાં છેલ્લું ભાષણ આપશે અને બ્રિટનવાસીઓને સંબોધશે. આવતીકાલે રાણી એલિઝાબેથ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલ ખાતે લિઝ ટ્રસની પ્રધાનમંત્રી પદે નિમણૂક કરશે. 'કિસિંગ હેન્ડ્સ' એટલે કે ક્વિન સાથે પ્રધાનમંત્રીની છેલ્લી મુલાકાત થાય છે તે આવતીકાલે નહીં કરવામાં આવે. હાઉસ ઓફ કોમન્સ ખાતે લિઝ ટ્રસની પ્રથમ કેબિનેટ બેઠક 7 સપ્ટેમ્બરના રોજ યોજાશે. 


લિઝના પ્રધાનમંત્રી બનવાથી ભારતને શું ફરક પડશે?    

લિઝે અગાઉ બ્રિટનના વિદેશમંત્રી પદે ભારત સાથે સારા સંબંધ બનાવી રાખ્યા હતા માટે લિઝના આવવાથી ભારત માટે સારા સમાચાર છે. બોરિસ જોનસનનો સમયગાળો ભારતના સંબંધ મુજબ સારો ન હતો પરંતુ લિઝન આવવાથી ભારત અને બ્રિટનના સારા સંબંધની આશા બંધાઈ રહી છે. 




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.