લિઝ ટ્રસ બ્રિટનના નવા પ્રધાનમંત્રી, ઋષિ સુનકને હરાવ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 22:18:45

બ્રિટનની પ્રધાનમંત્રીની ચૂંટણીમાં નવા પ્રધાનમંત્રી પદની ચૂંટણી થઈ જેમાં ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવી 47 વર્ષના લિઝ ટ્રસ નવા પ્રધાનમંત્રી બનશે. કુલ 1,72,437 મતમાંથી 1.60 લોકોએ મતદાન કર્યું હતું જેમાં 81,326 મત મેળવી લિઝ ટ્રસ બોરિસની જગ્યા લેશે.  


કોણ છે લિઝ ટ્રસ?

46 વર્ષના લિઝ ટ્રસનું પુરું નામ એલિઝાબેથ મેરી ટ્રુસ છે. તેઓ થેચરને પોતાના આદર્શ માને છે. તેઓના પિતા ગણિતના પ્રોફેસર હતા અને માતા નર્સ હતા. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી આવે છે અને હાલ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેઈન પદે સેવા આપી રહ્યા છે. તેઓએ યુકેની અનેક રાજનીતિક પદો પર સેવા આપી છે. 


આવતીકાલે નવા પ્રધાનમંત્રી શપથ ગ્રહણ કરશે

આવતીકાલે બોરીસ જોનસન પ્રધાનમંત્રી આવાસમાં છેલ્લું ભાષણ આપશે અને બ્રિટનવાસીઓને સંબોધશે. આવતીકાલે રાણી એલિઝાબેથ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલ ખાતે લિઝ ટ્રસની પ્રધાનમંત્રી પદે નિમણૂક કરશે. 'કિસિંગ હેન્ડ્સ' એટલે કે ક્વિન સાથે પ્રધાનમંત્રીની છેલ્લી મુલાકાત થાય છે તે આવતીકાલે નહીં કરવામાં આવે. હાઉસ ઓફ કોમન્સ ખાતે લિઝ ટ્રસની પ્રથમ કેબિનેટ બેઠક 7 સપ્ટેમ્બરના રોજ યોજાશે. 


લિઝના પ્રધાનમંત્રી બનવાથી ભારતને શું ફરક પડશે?    

લિઝે અગાઉ બ્રિટનના વિદેશમંત્રી પદે ભારત સાથે સારા સંબંધ બનાવી રાખ્યા હતા માટે લિઝના આવવાથી ભારત માટે સારા સમાચાર છે. બોરિસ જોનસનનો સમયગાળો ભારતના સંબંધ મુજબ સારો ન હતો પરંતુ લિઝન આવવાથી ભારત અને બ્રિટનના સારા સંબંધની આશા બંધાઈ રહી છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.