લિઝ ટ્રસ બ્રિટનના નવા પ્રધાનમંત્રી, ઋષિ સુનકને હરાવ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 22:18:45

બ્રિટનની પ્રધાનમંત્રીની ચૂંટણીમાં નવા પ્રધાનમંત્રી પદની ચૂંટણી થઈ જેમાં ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવી 47 વર્ષના લિઝ ટ્રસ નવા પ્રધાનમંત્રી બનશે. કુલ 1,72,437 મતમાંથી 1.60 લોકોએ મતદાન કર્યું હતું જેમાં 81,326 મત મેળવી લિઝ ટ્રસ બોરિસની જગ્યા લેશે.  


કોણ છે લિઝ ટ્રસ?

46 વર્ષના લિઝ ટ્રસનું પુરું નામ એલિઝાબેથ મેરી ટ્રુસ છે. તેઓ થેચરને પોતાના આદર્શ માને છે. તેઓના પિતા ગણિતના પ્રોફેસર હતા અને માતા નર્સ હતા. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી આવે છે અને હાલ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેઈન પદે સેવા આપી રહ્યા છે. તેઓએ યુકેની અનેક રાજનીતિક પદો પર સેવા આપી છે. 


આવતીકાલે નવા પ્રધાનમંત્રી શપથ ગ્રહણ કરશે

આવતીકાલે બોરીસ જોનસન પ્રધાનમંત્રી આવાસમાં છેલ્લું ભાષણ આપશે અને બ્રિટનવાસીઓને સંબોધશે. આવતીકાલે રાણી એલિઝાબેથ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલ ખાતે લિઝ ટ્રસની પ્રધાનમંત્રી પદે નિમણૂક કરશે. 'કિસિંગ હેન્ડ્સ' એટલે કે ક્વિન સાથે પ્રધાનમંત્રીની છેલ્લી મુલાકાત થાય છે તે આવતીકાલે નહીં કરવામાં આવે. હાઉસ ઓફ કોમન્સ ખાતે લિઝ ટ્રસની પ્રથમ કેબિનેટ બેઠક 7 સપ્ટેમ્બરના રોજ યોજાશે. 


લિઝના પ્રધાનમંત્રી બનવાથી ભારતને શું ફરક પડશે?    

લિઝે અગાઉ બ્રિટનના વિદેશમંત્રી પદે ભારત સાથે સારા સંબંધ બનાવી રાખ્યા હતા માટે લિઝના આવવાથી ભારત માટે સારા સમાચાર છે. બોરિસ જોનસનનો સમયગાળો ભારતના સંબંધ મુજબ સારો ન હતો પરંતુ લિઝન આવવાથી ભારત અને બ્રિટનના સારા સંબંધની આશા બંધાઈ રહી છે. 




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે