લિઝ ટ્રસ બ્રિટનના નવા પ્રધાનમંત્રી, ઋષિ સુનકને હરાવ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 22:18:45

બ્રિટનની પ્રધાનમંત્રીની ચૂંટણીમાં નવા પ્રધાનમંત્રી પદની ચૂંટણી થઈ જેમાં ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવી 47 વર્ષના લિઝ ટ્રસ નવા પ્રધાનમંત્રી બનશે. કુલ 1,72,437 મતમાંથી 1.60 લોકોએ મતદાન કર્યું હતું જેમાં 81,326 મત મેળવી લિઝ ટ્રસ બોરિસની જગ્યા લેશે.  


કોણ છે લિઝ ટ્રસ?

46 વર્ષના લિઝ ટ્રસનું પુરું નામ એલિઝાબેથ મેરી ટ્રુસ છે. તેઓ થેચરને પોતાના આદર્શ માને છે. તેઓના પિતા ગણિતના પ્રોફેસર હતા અને માતા નર્સ હતા. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી આવે છે અને હાલ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેઈન પદે સેવા આપી રહ્યા છે. તેઓએ યુકેની અનેક રાજનીતિક પદો પર સેવા આપી છે. 


આવતીકાલે નવા પ્રધાનમંત્રી શપથ ગ્રહણ કરશે

આવતીકાલે બોરીસ જોનસન પ્રધાનમંત્રી આવાસમાં છેલ્લું ભાષણ આપશે અને બ્રિટનવાસીઓને સંબોધશે. આવતીકાલે રાણી એલિઝાબેથ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલ ખાતે લિઝ ટ્રસની પ્રધાનમંત્રી પદે નિમણૂક કરશે. 'કિસિંગ હેન્ડ્સ' એટલે કે ક્વિન સાથે પ્રધાનમંત્રીની છેલ્લી મુલાકાત થાય છે તે આવતીકાલે નહીં કરવામાં આવે. હાઉસ ઓફ કોમન્સ ખાતે લિઝ ટ્રસની પ્રથમ કેબિનેટ બેઠક 7 સપ્ટેમ્બરના રોજ યોજાશે. 


લિઝના પ્રધાનમંત્રી બનવાથી ભારતને શું ફરક પડશે?    

લિઝે અગાઉ બ્રિટનના વિદેશમંત્રી પદે ભારત સાથે સારા સંબંધ બનાવી રાખ્યા હતા માટે લિઝના આવવાથી ભારત માટે સારા સમાચાર છે. બોરિસ જોનસનનો સમયગાળો ભારતના સંબંધ મુજબ સારો ન હતો પરંતુ લિઝન આવવાથી ભારત અને બ્રિટનના સારા સંબંધની આશા બંધાઈ રહી છે. 




પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.