મહારાષ્ટ્રમાં BJPને અજીત પવારની શું જરૂર પડી, જાણો ભાજપની રણનીતિ શું છે?


  • Published By :
  • Published Date : 2023-07-02 19:44:34

મહારાષ્ટ્રમાં શિવસેનાના વિભાજન પછી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પણ હવે તે જ માર્ગ પર છે, અજિત પવારે છેલ્લા 12 વર્ષમાં પાંચમી વખત નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. પોતાની પહેલી પ્રતિક્રિયામાં તેમણે PM મોદીના વખાણ કર્યા છે અને મહારાષ્ટ્રના વિકાસ માટે ભાજપ સાથે આવવાની વાત કરી છે. તો બદલામાં તેમને એક સારા વહીવટકર્તા તરીકે વર્ણવવામાં આવ્યા છે, પરંતુ આ બધા વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે ભાજપને અજિત પવારની જરૂર કેમ પડી? તો જવાબ એકદમ સરળ છે કે ભાજપ 2024માં કોઈ નુકસાન ઉઠાવવા માંગતી નથી. વર્ષ 2024માં પહેલીવાર ભાજપ તેના પરંપરાગત સહયોગી ઠાકરે પરિવારથી અલગ થઈને લોકસભાની ચૂંટણી લડશે.


ભાજપ માટે મહારાષ્ટ્ર કેમ મહત્વનું છે?


યુપી પછી મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં લોકસભાની સૌથી વધુ 48 બેઠકો છે. ભાજપે ગત ચૂંટણીમાં શિવસેના સાથે ગઠબંધન કરીને 41 બેઠકો જીતી હતી. એનસીપીને 4 અને કોંગ્રેસ અને એઆઈએમઆઈએમને 1-1 સીટ મળી છે. એક બેઠક પર અપક્ષ નવનીત રાણાનો વિજય થયો હતો. 41 બેઠકોમાં ભાજપને 23 અને શિવસેનાને 18 બેઠકો મળી હતી. ભાજપે 25 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 23 બેઠકો જીતી હતી. તો બીજી તરફ શિવસેનાએ 23 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 18 બેઠકો જીતી હતી.


શું છે ભાજપનો પ્લાન?


વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ મહારાષ્ટ્રમાં તેના પગ ફેલાવવા માંગે છે અને તે ઉપરાંત ઠાકરે પરિવારથી થનારા નુકસાનને ટાળવા માંગે છે. આવી સ્થિતિમાં, જ્યારે પાર્ટી આ વખતે 400ને પાર કરવાનો નારા લગાવી રહી છે, ત્યારે પાર્ટી તેની લોકસભા બેઠકોની સંખ્યા કોઈ પણ સંજોગોમાં ઘટવા દેવા માંગતી નથી. અજિત પવાર સાથે હાથ મિલાવવા પાછળના કારણો ગમે તે હોય, પણ ભાજપ મિશન 2024ને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. જો પવાર અને ઉદ્ધવ નબળા હશે તો ભાજપની રાજકીય સ્થિતિ સારી રહેશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી