મહારાષ્ટ્રમાં BJPને અજીત પવારની શું જરૂર પડી, જાણો ભાજપની રણનીતિ શું છે?


  • Published By :
  • Published Date : 2023-07-02 19:44:34

મહારાષ્ટ્રમાં શિવસેનાના વિભાજન પછી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પણ હવે તે જ માર્ગ પર છે, અજિત પવારે છેલ્લા 12 વર્ષમાં પાંચમી વખત નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. પોતાની પહેલી પ્રતિક્રિયામાં તેમણે PM મોદીના વખાણ કર્યા છે અને મહારાષ્ટ્રના વિકાસ માટે ભાજપ સાથે આવવાની વાત કરી છે. તો બદલામાં તેમને એક સારા વહીવટકર્તા તરીકે વર્ણવવામાં આવ્યા છે, પરંતુ આ બધા વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે ભાજપને અજિત પવારની જરૂર કેમ પડી? તો જવાબ એકદમ સરળ છે કે ભાજપ 2024માં કોઈ નુકસાન ઉઠાવવા માંગતી નથી. વર્ષ 2024માં પહેલીવાર ભાજપ તેના પરંપરાગત સહયોગી ઠાકરે પરિવારથી અલગ થઈને લોકસભાની ચૂંટણી લડશે.


ભાજપ માટે મહારાષ્ટ્ર કેમ મહત્વનું છે?


યુપી પછી મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં લોકસભાની સૌથી વધુ 48 બેઠકો છે. ભાજપે ગત ચૂંટણીમાં શિવસેના સાથે ગઠબંધન કરીને 41 બેઠકો જીતી હતી. એનસીપીને 4 અને કોંગ્રેસ અને એઆઈએમઆઈએમને 1-1 સીટ મળી છે. એક બેઠક પર અપક્ષ નવનીત રાણાનો વિજય થયો હતો. 41 બેઠકોમાં ભાજપને 23 અને શિવસેનાને 18 બેઠકો મળી હતી. ભાજપે 25 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 23 બેઠકો જીતી હતી. તો બીજી તરફ શિવસેનાએ 23 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 18 બેઠકો જીતી હતી.


શું છે ભાજપનો પ્લાન?


વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ મહારાષ્ટ્રમાં તેના પગ ફેલાવવા માંગે છે અને તે ઉપરાંત ઠાકરે પરિવારથી થનારા નુકસાનને ટાળવા માંગે છે. આવી સ્થિતિમાં, જ્યારે પાર્ટી આ વખતે 400ને પાર કરવાનો નારા લગાવી રહી છે, ત્યારે પાર્ટી તેની લોકસભા બેઠકોની સંખ્યા કોઈ પણ સંજોગોમાં ઘટવા દેવા માંગતી નથી. અજિત પવાર સાથે હાથ મિલાવવા પાછળના કારણો ગમે તે હોય, પણ ભાજપ મિશન 2024ને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. જો પવાર અને ઉદ્ધવ નબળા હશે તો ભાજપની રાજકીય સ્થિતિ સારી રહેશે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.