Statue Of Unity જવાના રસ્તાની હાલત તો જુઓ, રસ્તો તો તૂટી ગયો પરંતુ રસ્તાના નિર્માણ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલતો ગયો! ડભોઇ- વડોદરા હાઇવે


  • Published By :
  • Published Date : 2024-08-31 15:46:09

જ્યારે કોઈ જૂની ઈમારત આપણે જોઈએ છીએ, વર્ષો જૂની ઈમારત ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આટલા વર્ષો બાદ પણ આવી ઈમારતો અડીખમ કેવી રીતે ઉભી છે.. આવી ઈમારતો પર જો જવાનું થાય તો કદાચ આપણને ડર નહીં લાગે.. પરંતુ જો હવે રસ્તા પર જતા પણ  આપણને ડર લાગે છે.. રસ્તા પર જતા આપણને એક વખત તો સવાલ આવતો જ હશે કે જો રસ્તા પર ભૂવો પડી જશે તો? જો રસ્તા તૂટી જશે તો..! થોડા સમયની અંદર આપણી સામે એવા અનેક વીડિયો આવ્યા છે, સોશિયલ મીડિયા પર અનેક વીડિયો તમે જોયા હશે જેમાં આંખના પલકારામાં રસ્તાઓ તૂટી જાય છે...  ત્યારે ડભોઇથી વડોદરા રોડ પર નવો બનાવેલ ડામર રોડ ધોવાઇ ગયો.. રસ્તાઓ પર જાણે રસ્તાના ટૂકડા મૂક્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તે રસ્તાને એક માણસ હાથથી ઉખાડી રહ્યો હતો... Statue Of Unity જવાનો આ રસ્તો છે..     

70 કરોડના ખર્ચે બન્યો રોડ અને... 

ગુજરાતમાં ખૂબ વરસાદ પડ્યો એના કારણે એનેક તસવીરો સામે આવી જેમાં રસ્તા ધોવાઈ ગયા હોય કે રસ્તા પર ખાડા જ ખાડા હોય.. હમણાં સોશિયલ મીડિયા પર એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક રસ્તો સાવ તૂટેલો છે અને એક માણસ એને ઉખાડી રહ્યો છે હાથથી... વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં દેવ અને ધાધર નદીમાં આવેલા પૂરને કારણે ડભોઇથી વડોદરા રોડ પર નવો બનાવેલ ડામર રોડ ધોવાઇ ગયો.. 19 કિલોમીટર લાંબો આ રોડ મે 2024માં બનાવવામાં આવ્યો હતો અને તેની કિંમત લગભગ 70 કરોડ રૂપિયા હતી. તેનું નિર્માણ વડોદરાના શિવમ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું હતું. ધાધરના પૂરના કારણે રાજલી પાસેનો 500 મીટર જેટલો રોડ ધોવાઈ ગયો હવે આ 70 કરોડ કોના ખિસ્સામાં ગયા એ આપણને ખબર હોવી જોઈએ અને આ તો માત્ર ઉદાહરણ છે કે આ વિસ્તારમાં આ ભયાનક હાલત છે આવું તો અનેક જગ્યાએ થયું છે...



કરપ્શન એ હદે વધી ગયું છે કે રસ્તા પરથી પસાર થતા બીક લાગે.. 

નવા બનેલા રોડની હાલતથી સ્થાનિક લોકો રોષે ભરાયા છે. તેઓનો આક્ષેપ છે કે રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે. ઘટનાસ્થળેથી કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં કેટલાક લોકો રોડના તૂટેલા ભાગમાંથી ડામર હટાવતા જોવા મળે છે અને ડામર ખૂબ જ સરળતાથી રોડથી અલગ થઈ જાય છે. અને આરોપો ખોટા પણ નથી હમણાં બનેલા રસ્તાની આ હાલત કઈ રીતે હોય શકે એ વિચારવું પડે. ભ્રષ્ટાચાર કરે છે કોઈ અને ભોગવવાનો વારો કોઈ બીજાને આવે છે.. કરપ્શન એ હદે આપણી સિસ્ટમમાં ફેલાઈ ગયું છે કે જો અધિકારી કરપ્શન કરવાનો ઈન્કાર કરે તો તેને મુર્ખ સમજવામાં આવે.. ભ્રષ્ટાચાર એ હદે આપણી સિસ્ટમમાં ઘર કરી ગયું છે કે જ્યાં સુધી આપણે પૈસા ના આપીએ ત્યાં સુધી તે ફાઈલને આગળ નથી વધવા દેતા.. જ્યારે રસ્તા બનાવતા લોકો ભ્રષ્ટાચાર કરે છે ત્યારે તે એ નથી વિચારતા કે તે રસ્તા પર તેમને પણ, તેમના પરિવારના લોકો પણ પસાર થઈ શકે છે.. 



હવેના સમયમાં ટેક્નોલોજી વધી છે પણ પ્રામાણિક્તા ઘટી છે 

ગુજરાત જેમ વિકાસ માટે જાણીતું છે તેમ થોડા સમય બાદ ખાડાઓનું સામ્રાજ્ય ધરાવતું રાજ્ય તરીકે ખ્યાતી પામે તો પણ નવાઈ નહીં.. રસ્તા પર નીકળીએ ત્યારે વાહનચાલકોને ટેન્શન હોય છે કે હું નીકળીશ અને રસ્તો તૂટી તો નહીં જાયને..જ્યાં સુધી ઘરે પાછા ના આવીએ ત્યાં સુધી ટેન્શન રહે છે.. બચી જઈએ તો આપણે  ભગવાનનો આભાર માનવો જોઈએ...જેમ જેમ આપણે આગળ વધતા ગયા તેમ તેમ રાજ્યનો વિકાસ તો થયો છે પરંતુ તેની સાથે સાથે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓનો પણ વિકાસ થયો છે.. આજકાલ એટલા તકલાદી રસ્તાઓ બને છે કે પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે.. એટલું તકલાદી કામકાજ થઈ ગયું છે કે આપણને શરમ આવે...ટેક્નોલોજી વધી છે પરંતુ ઈમાનદારી ઘટી છે તેવું પણ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં થાય.. સવાલ થાય આટલું બધું ભેગું કરીને લોકો જશે ક્યાં? શું તમને પણ રસ્તા પર નીકળતા ડર લાગે છે?



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી