South Africaના Cape Town Cityમાં આવ્યું ભયંકર જળ સંકટ! જો આપણે પણ પાણી સમજી વિચારીને નહીં વાપરીએ તો....


  • Published By :
  • Published Date : 2024-03-30 12:13:14

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળા દરમિયાન અનેક લોકો પાણી બેફામ બનીને વાપરતા હોય છે... ઘરની બહાર ઠંડક કરવા છાંટતા હોય છે, ઘરમાં છાંટતા હોય છે એમ માનીને કે ગરમી થોડી લાગે... ઘણી વખત એવી પરિસ્થિતિ થાય છે કે કામ નથી હોતું તો પણ પાણીનો વેડફાટ થાય છે કારણ કે આપણને પાણી વાપરવાની છુટ મળી છે.! પાણી વાપરવા પર કોઈ પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો પરંતુ સાઉથ આફ્રિકાનું એક રાજ્ય કેપ ટાઉન એવું છે જે જળસંકટનો સામનો કરી રહ્યું છે. 


જો તમને આવું કહેવામાં આવે તો....   

આપણે નાના હતા ત્યારે શાળામાં ભણતા હતા ," જળ એ જીવન છે ", બીજું 'વૃક્ષ વાવો વરસાદ લાવો'. આ બેઉ કહેવતો જે  હજીપણ આપણા માનસ પટલ પરથી અંકિત થયેલી છે. આપણા જીવનમાં પાણી ખુબ મહત્વનો ભાગ ભજવે છે. તમે સવારે ઉઠો અને તમને કોઈ કહે કે આજ થી તમારા ગામ કે શહેરમાં પાણી જ નહીં આવે તો? તમારી સ્થિતિ  શું થાય? કોઈ તમને કહી દે કે તમને નાહવા માત્ર ૯૦ સેકન્ડનો સમય આપવામાં આવશે તો? માત્ર અડધો ગેલન જેટલું પાણી પીવા મળશે તો? આ બધું વાંચ્યા પછી તમારા મનમાં વિચાર આવતો હશે કે આવું થોડી હોય...!  આપણે ત્યાં ભલે આવી સ્થિતિ નથી આવી જ કંઈક સ્થિતિ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં બની છે. અને આપણા દક્ષિણ ભારતના રાજ્યો પણ અતિભયંકર જળસંકટનો સામનો કરી રહ્યા છે .  


પીવા લાયક પાણીની વાત કરીએ તો આટલું જ છે..! 

તમે કહેશો કે પાણી તો ઘણું બધુ છે, પરંતુ પીવા લાયક પાણી કેટલું છે? હવે વાત કરીએ માણસના ઉપયોગના લાયક મીઠા પાણીની તો આપણે એક નાનકડું ગણિત સમજીએ. ટોટલ પૃથ્વીના ૧૦૦ ટકા પાણીમાંથી ૯૭.૪ ટકા પાણી ખારું છે જે પીવાલાયક નથી એટલે કે આપણો દરિયો. વધ્યું  ૨.૫ ટકા પાણી.સમસ્ત માનવ જાતિએ માત્ર આ ૨.૫ ટકાના મીઠા પાણી પર નભવાનું છે! હવે આ ૨.૫ ટકા પાણીમાંથી પણ ૬૮.૭ ટકા પાણી આપણા દક્ષિણ ધ્રુવ , ઉત્તર ધ્રુવ અને હિમાલયની પર્વતમાળામાં ગ્લેશિયર રૂપે અથવા તો આઈસ કેપ રૂપે રહેલું છે . બાકીનું ૩૦.૧ પાણી ભૂગર્ભ જળ છે.બાકીનું સપાટી પરનું એટલે કે ડેમ , તળાવોમાં પાણી ૧.૨ ટકા છે.


 

પાણીની તંગી પાછળ આ કારણો છે જવાબદાર!

હવે વાત કરીએ ક્લાઈમેટ ચેન્જની તો તેનાથી આપણા glacier સુકાતા જાય છે. જે મોટા પ્રમાણમાં આપણી નદીઓના ઉદ્ભવ સ્થાન છે, એક ઉદાહરણ તરીકે ભારતની સૌથી મોટી નદી ગંગા નદીનું glacier ગંગોત્રી. આખું ઉત્તર અને પૂર્વોત્તર ભારત આ ગંગા નદી પર નભે છે , પણ હવે આ glacier સુકાતું જાય છે . ભુગર્ભ જળના સ્ત્રોત પણ સુકાતા જાય છે , બાકી રહ્યા ડેમ કે તળાવ તેનું પાણી પ્રદુષિત થાય છે ખાતરોથી,રસાયણોથી. આવનાર દિવસોમાં ભારત દેશમાં પણ જળ સંકટનો ખતરો તોડાઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે...! 

 

કેપ ટાઉનમાં મૂકવામાં આવ્યા આ પ્રતિબંધ! 

હવે આપણે વાત કરીએ કેપ ટાઉન શહેરની જે આવી વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે.. આ શહેર દક્ષિણ આફ્રિકા નામના દેશમાં સ્થિત છે, આ શહેરની ૪૦ લાખ જેટલી વસ્તી છે, ફેબ્રુઆરીની શરૂઆતથી આ શહેરના મેયરે પાણી માટે કેટલાક કડક નિયમો જાહેર કરી દીધા હતા. જેમ કે એક વ્યક્તિને દરરોજ માત્ર ૧૩ ગેલન જેટલું પાણી મળશે , જેમાં નાહવા માટે ૯૦ સેકન્ડનો shower,હાલ્ફ ગેલન જેટલું પાણી પીવા માટે મળશે. બાકીનું પાણી બીજા કામોમાં જેમ કે હાથ ધોવા, કપડાં , વાસણ ધોવા ઉપયોગ કરી શકાશે. પાણીની કટોકટીને કારણે કેપ ટાઉનને વિશ્વનું કમ્પલીટ ડ્રાય શહેર બની ગયું છે... એવું શહેર જ્યાં બિલકુલ પાણી નથી... આ કેપ ટાઉન શહેર સાઉથ આફ્રિકાની GDPમાં ૯.૯ ટકા જેટલું યોગદાન આપે છે . તે દેશનું મુખ્ય tourist ડેસ્ટિનેશનમાનું એક  છે . 


હજી સુધી કેવી રીતે કેપ ટાઉનમાં મળી રહ્યું હતું પાણી? 

પ્રશ્ન થાય કે આ શહેરમાં અત્યાર સુધી પાણી કેવી રીતે મળતું હતું?  તેની વાત કરીએ તો કેપ ટાઉનનું વાતાવરણ એ ભૂમધ્ય એટલે કે mediterranenan પ્રકારનું છે.ગરમ છે, ડ્રાય સમર છે , શિયાળામાં વરસાદ પડે છે. આ શહેરની વોટર સપ્લાય સિસ્ટમ એ WESTERN CAPE WATER SUPPLY SYSTEM કહેવાય છે. જે સંપૂર્ણ પણે વરસાદ પર આધારિત છે. અને શહેરના ૬ ડેમ આ વરસાદના પાણી વડે ભરવામાં આવે છે. આ શહેરમાં શિયાળાનો સમય મે થી ઓગસ્ટ નો છે , આ દરમ્યાન જે પણ વરસાદ પડે તેને સંગ્રહવામા આવે છે . ગરમીના મહિનાઓ નવેમ્બરથી એપ્રિલ દરમ્યાન આ ડેમોનું જળસ્તર ઘટવા લાગે છે.


કેવી રીતે કેપ ટાઉનમાં સર્જાઈ પાણીની આટલી વિકરાળ સમસ્યા?   

હવે જાણીએ કે કેપ ટાઉન કમ્પ્લીટ ડ્રાય શહેર કેવી રીતે બની ગયું? પહેલું કારણ ૨૦૧૫- ૨૦૧૭ સુધી ભયકંર દુકાળ પડ્યો હતો. અને પાછલા કેટલાક વર્ષોમાં વરસાદનું પ્રમાણ ઘટવા લાગ્યું છે.આ શહેરની વસ્તીમાં ખુબજ વધારો જોવા મળ્યો છે , જેમ કે ૧૯૯૫માં વસ્તી ૨૪ લાખ હતી જે હવે ૨૦૧૫માં વધી ૪૦ લાખ સુધી પહોંચવા આવી છે . ત્રીજું સૌથી મહત્વનું કારણ એ છે કે , ત્યાંની સરકારે કેપ ટાઉનમાં ખારા પાણીને મીઠા પાણીમાં બદલતો DESALINATION પ્લાન્ટ જે ૨૦૧૮ માં ISRALE દ્વારા નાખવાંમાં આવતો તેને ના પાડી દીધી હતી. અને હવે આ શહેર એકદમ સૂકું શહેર બની ગયું છે.

 

ભારતના અનેક રાજ્યોમાં પણ આવી શકે છે જળસંકટ!

હવે વાત કરીએ આપણા ભારતની, અને તેમાં પણ કર્ણાટક રાજ્યની. કર્ણાટકની રાજધાની બંગ્લોરમાં તો જબરદસ્ત જળસંકટ હમણાંથી જોવા મળી રહ્યું છે. તેના કારણો આ મુજબ છે -  કર્ણાટક રાજ્યની જીવાદોરી એ કાવેરી નદી છે, માત્ર કર્ણાટકની જ નહિ પણ તમિલનાડુમાં પણ તે પાણી આવે છે. આ વખતે કર્ણાટક રાજ્યમાં ૩૮ ટકા ઓછો વરસાદ NORTH EAST મોન્સૂનમાં જોવા મળ્યો છે. જ્યારે ૨૫ ટકા ઘટ સાઉથ વેસ્ટ મોન્સૂનમાં જોવા મળી. આપને કહી દઈએ કે દક્ષિણના રાજ્યો વર્ષમાં બે વાર વરસાદ મેળવે છે. નોર્થ EAST મોન્સૂન કે જે શિયાળામાં આવે, સાઉથ વેસ્ટ મોન્સૂન જે ઉનાળામાં એટલે કે જૂન પછી આવે છે. બીજું સૌથી મોટું કારણ બેંગ્લોર શહેરના આડેધડ કરવામાં આવેલો વિકાસ છે. 


પાણીનો વેડફાટ કરતા પહેલા આપણે વિચારવું પડશે... 

ભૂગર્ભેમાં પાણી શોષાવાની ક્ષમતા ઓછી થઈ છે તેથી ભૂગર્ભ જળના સ્ત્રોત સંપૂર્ણ પણે ડ્રાય થઈ ગયા છે. ત્રીજું સૌથી મોટું કારણ બેંગ્લોર શહેરની વસ્તી એક દમ વધી રહી છે. પણ વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર આ વધેલી વસ્તીને પહોંચી વળવા સક્ષમ નથી. પાંચમું કારણ પ્રદુષણ, છઠ્ઠું સૌથી મહત્વનું ક્લાઈમેટ ચેન્જ. આ ઉપરાંત કાવેરી જળવિવાદે તો ખુબ રાજકીય રંગ હાસિલ કરી લીધો છે. આ પરિસ્થિતિ બાદ પાણીનું મહત્વ આપણે સમજીશું તેવી આશા છે અમને...તો એટલે જ પાણી વાપરો પણ સંયમ સાથે, વિવેક પૂર્વક વાપરો કારણ કે જળ છે તો જીવન છે...!



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"