રાજસ્થાનમાં રૂ.500માં મળશે LPG સિલિન્ડર 1 એપ્રીલથી અમલી બનશે નવી યોજના


  • Published By :
  • Published Date : 2022-12-19 22:12:17

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યના ગરીબ પરિવારોને માત્ર 500 રૂપિયામાં રાંધણ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. ગેહલોતે આ જાહેરાત એવા પરિવારો માટે કરી છે જેઓ ગરીબી રેખા નીચે છે અને તેમને ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની નવી યોજના 1 એપ્રિલ, 2023 થી લાગુ કરવામાં આવશે, જેના માટે તેઓ આવતા મહિને રજૂ થનારા બજેટમાં જોગવાઈ કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન રાજસ્થાનના અલ્વરમાં આયોજિત વિશાળ રેલીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મોટી જાહેરાત કરી હતી.


એક વર્ષમાં 12 સિલિન્ડર માત્ર 500 રૂપિયામાં


પોતાની નવી યોજના વિશે માહિતી આપતાં ગેહલોતે કહ્યું કે આવતા મહિને તેમની સરકાર રાજ્યનું નવું બજેટ રજૂ કરશે, જેમાં ગરીબી રેખા નીચે રહેતા પરિવારોને સસ્તો રસોઈ ગેસ આપવાની જોગવાઈ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 1 એપ્રિલ, 2023થી રાજ્યની ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા ગરીબ લોકોને 1,040 રૂપિયાના LPG સિલિન્ડર માત્ર 500 રૂપિયામાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે યોજના હેઠળ આવા પરિવારોને એક વર્ષમાં 12 સિલિન્ડર સસ્તા ભાવે આપવામાં આવશે. ગેહલોતે એમ પણ કહ્યું હતું કે આવતા મહિને રજૂ થનારા તેમના નવા બજેટમાં જનતા પર મોંઘવારીનો બોજ ઘટાડવા માટે કિટ વિતરણની યોજના પણ લાવવામાં આવશે.


મોદી સરકારે ગેસ કનેક્શન આપ્યું પણ સિલિન્ડર ખાલી-ગેહલોત


અશોક ગેહલોતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના નામે ગરીબોને રાંધણગેસ કનેક્શન આપ્યા, પરંતુ ગેસ સિલિન્ડરની કિંમત રૂા.400થી વધીને રૂ.1040 થઇ જવાના કારણે તેમના ઘરમાં સિલિન્ડર ખાલી પડ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યની કોંગ્રેસ સરકાર સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ ઘટાડવા માટે એક પછી એક અનેક પગલાં લેવા જઈ રહી છે. ગેહલોતે કહ્યું કે તેમની સરકાર માત્ર 50 યુનિટ સુધી મફત વીજળી જ નથી આપી રહી, પરંતુ ખેડૂતોને દર મહિને 1000 રૂપિયા પણ આપવામાં આવી રહી છે. આના કારણે રાજ્યના 46 લાખ ખેડૂતોને વીજળી ખર્ચવા માટે તેમના ખિસ્સામાંથી કોઈ પૈસા ખર્ચવા પડતા નથી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે