રાજસ્થાનમાં રૂ.500માં મળશે LPG સિલિન્ડર 1 એપ્રીલથી અમલી બનશે નવી યોજના


  • Published By :
  • Published Date : 2022-12-19 22:12:17

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યના ગરીબ પરિવારોને માત્ર 500 રૂપિયામાં રાંધણ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. ગેહલોતે આ જાહેરાત એવા પરિવારો માટે કરી છે જેઓ ગરીબી રેખા નીચે છે અને તેમને ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની નવી યોજના 1 એપ્રિલ, 2023 થી લાગુ કરવામાં આવશે, જેના માટે તેઓ આવતા મહિને રજૂ થનારા બજેટમાં જોગવાઈ કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન રાજસ્થાનના અલ્વરમાં આયોજિત વિશાળ રેલીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મોટી જાહેરાત કરી હતી.


એક વર્ષમાં 12 સિલિન્ડર માત્ર 500 રૂપિયામાં


પોતાની નવી યોજના વિશે માહિતી આપતાં ગેહલોતે કહ્યું કે આવતા મહિને તેમની સરકાર રાજ્યનું નવું બજેટ રજૂ કરશે, જેમાં ગરીબી રેખા નીચે રહેતા પરિવારોને સસ્તો રસોઈ ગેસ આપવાની જોગવાઈ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 1 એપ્રિલ, 2023થી રાજ્યની ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા ગરીબ લોકોને 1,040 રૂપિયાના LPG સિલિન્ડર માત્ર 500 રૂપિયામાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે યોજના હેઠળ આવા પરિવારોને એક વર્ષમાં 12 સિલિન્ડર સસ્તા ભાવે આપવામાં આવશે. ગેહલોતે એમ પણ કહ્યું હતું કે આવતા મહિને રજૂ થનારા તેમના નવા બજેટમાં જનતા પર મોંઘવારીનો બોજ ઘટાડવા માટે કિટ વિતરણની યોજના પણ લાવવામાં આવશે.


મોદી સરકારે ગેસ કનેક્શન આપ્યું પણ સિલિન્ડર ખાલી-ગેહલોત


અશોક ગેહલોતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના નામે ગરીબોને રાંધણગેસ કનેક્શન આપ્યા, પરંતુ ગેસ સિલિન્ડરની કિંમત રૂા.400થી વધીને રૂ.1040 થઇ જવાના કારણે તેમના ઘરમાં સિલિન્ડર ખાલી પડ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યની કોંગ્રેસ સરકાર સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ ઘટાડવા માટે એક પછી એક અનેક પગલાં લેવા જઈ રહી છે. ગેહલોતે કહ્યું કે તેમની સરકાર માત્ર 50 યુનિટ સુધી મફત વીજળી જ નથી આપી રહી, પરંતુ ખેડૂતોને દર મહિને 1000 રૂપિયા પણ આપવામાં આવી રહી છે. આના કારણે રાજ્યના 46 લાખ ખેડૂતોને વીજળી ખર્ચવા માટે તેમના ખિસ્સામાંથી કોઈ પૈસા ખર્ચવા પડતા નથી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.