રાજસ્થાનમાં રૂ.500માં મળશે LPG સિલિન્ડર 1 એપ્રીલથી અમલી બનશે નવી યોજના


  • Published By :
  • Published Date : 2022-12-19 22:12:17

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યના ગરીબ પરિવારોને માત્ર 500 રૂપિયામાં રાંધણ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. ગેહલોતે આ જાહેરાત એવા પરિવારો માટે કરી છે જેઓ ગરીબી રેખા નીચે છે અને તેમને ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની નવી યોજના 1 એપ્રિલ, 2023 થી લાગુ કરવામાં આવશે, જેના માટે તેઓ આવતા મહિને રજૂ થનારા બજેટમાં જોગવાઈ કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન રાજસ્થાનના અલ્વરમાં આયોજિત વિશાળ રેલીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મોટી જાહેરાત કરી હતી.


એક વર્ષમાં 12 સિલિન્ડર માત્ર 500 રૂપિયામાં


પોતાની નવી યોજના વિશે માહિતી આપતાં ગેહલોતે કહ્યું કે આવતા મહિને તેમની સરકાર રાજ્યનું નવું બજેટ રજૂ કરશે, જેમાં ગરીબી રેખા નીચે રહેતા પરિવારોને સસ્તો રસોઈ ગેસ આપવાની જોગવાઈ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 1 એપ્રિલ, 2023થી રાજ્યની ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા ગરીબ લોકોને 1,040 રૂપિયાના LPG સિલિન્ડર માત્ર 500 રૂપિયામાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે યોજના હેઠળ આવા પરિવારોને એક વર્ષમાં 12 સિલિન્ડર સસ્તા ભાવે આપવામાં આવશે. ગેહલોતે એમ પણ કહ્યું હતું કે આવતા મહિને રજૂ થનારા તેમના નવા બજેટમાં જનતા પર મોંઘવારીનો બોજ ઘટાડવા માટે કિટ વિતરણની યોજના પણ લાવવામાં આવશે.


મોદી સરકારે ગેસ કનેક્શન આપ્યું પણ સિલિન્ડર ખાલી-ગેહલોત


અશોક ગેહલોતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના નામે ગરીબોને રાંધણગેસ કનેક્શન આપ્યા, પરંતુ ગેસ સિલિન્ડરની કિંમત રૂા.400થી વધીને રૂ.1040 થઇ જવાના કારણે તેમના ઘરમાં સિલિન્ડર ખાલી પડ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યની કોંગ્રેસ સરકાર સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ ઘટાડવા માટે એક પછી એક અનેક પગલાં લેવા જઈ રહી છે. ગેહલોતે કહ્યું કે તેમની સરકાર માત્ર 50 યુનિટ સુધી મફત વીજળી જ નથી આપી રહી, પરંતુ ખેડૂતોને દર મહિને 1000 રૂપિયા પણ આપવામાં આવી રહી છે. આના કારણે રાજ્યના 46 લાખ ખેડૂતોને વીજળી ખર્ચવા માટે તેમના ખિસ્સામાંથી કોઈ પૈસા ખર્ચવા પડતા નથી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.