પંજાબના લુધિયાણામાં ગેસ લીકેજ, 11 લોકોના મોત, NDRFએ શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન


  • Published By :
  • Published Date : 2023-04-30 11:50:28

પંજાબના લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં એક દુકાનમાંથી ગેસ લીકેજ થવાથી 11 લોકોના મોત થયા છે જ્યારે 11થી વધુ લોકો બેભાન છે. મૃતકોમાં પાંચ મહિલાઓ, છ પુરૂષો અને 10 અને 13 વર્ષની વયના બે બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 


NDRFની ટીમે શરૂ કર્યું  રેસ્ક્યુ


NDRFની ટીમે ઘટના સ્થળે પહોંચીને મોરચો સંભાળી લીધો છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. રેસ્ક્યુ ટીમ દરેક ઘરની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રોન દ્વારા ઘરોની છતની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગેસ લીક ​​થવાથી એક બિલાડીનું પણ મોત થયું છે. મૃતકોના મૃતદેહને લુધિયાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


300 મીટર વિસ્તારને ખાલી કરાવાયો


ગેસ લીક ​​થવાથી વધુ નુકસાન ન થાય તે માટે પોલીસે આસપાસના 300 મીટર વિસ્તારને ખાલી કરાવ્યો છે. આ સાથે ગેસ લીકેજને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર કરિયાણાની દુકાનમાંથી ગેસ કેવી રીતે લીક થયો હતો. કયો ગેસ હતો તે તપાસ બાદ જ ખબર પડશે. જોકે એમોનિયા ગેસ લીક ​​થયો હોવાની આશંકા છે.


CM માને દુઃખ વ્યક્ત કર્યું


CM ભગવંત માને ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. CMએ ટ્વિટ કર્યું- લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ફેક્ટરીમાંથી ગેસ લીકેજની ઘટના ખૂબ જ દુઃખદ છે. પોલીસ, સરકાર અને NDRFની ટીમો ઘટના સ્થળે હાજર છે.સંભવિત તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.