પંજાબના લુધિયાણામાં ગેસ લીકેજ, 11 લોકોના મોત, NDRFએ શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન


  • Published By :
  • Published Date : 2023-04-30 11:50:28

પંજાબના લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં એક દુકાનમાંથી ગેસ લીકેજ થવાથી 11 લોકોના મોત થયા છે જ્યારે 11થી વધુ લોકો બેભાન છે. મૃતકોમાં પાંચ મહિલાઓ, છ પુરૂષો અને 10 અને 13 વર્ષની વયના બે બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 


NDRFની ટીમે શરૂ કર્યું  રેસ્ક્યુ


NDRFની ટીમે ઘટના સ્થળે પહોંચીને મોરચો સંભાળી લીધો છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. રેસ્ક્યુ ટીમ દરેક ઘરની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રોન દ્વારા ઘરોની છતની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગેસ લીક ​​થવાથી એક બિલાડીનું પણ મોત થયું છે. મૃતકોના મૃતદેહને લુધિયાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


300 મીટર વિસ્તારને ખાલી કરાવાયો


ગેસ લીક ​​થવાથી વધુ નુકસાન ન થાય તે માટે પોલીસે આસપાસના 300 મીટર વિસ્તારને ખાલી કરાવ્યો છે. આ સાથે ગેસ લીકેજને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર કરિયાણાની દુકાનમાંથી ગેસ કેવી રીતે લીક થયો હતો. કયો ગેસ હતો તે તપાસ બાદ જ ખબર પડશે. જોકે એમોનિયા ગેસ લીક ​​થયો હોવાની આશંકા છે.


CM માને દુઃખ વ્યક્ત કર્યું


CM ભગવંત માને ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. CMએ ટ્વિટ કર્યું- લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ફેક્ટરીમાંથી ગેસ લીકેજની ઘટના ખૂબ જ દુઃખદ છે. પોલીસ, સરકાર અને NDRFની ટીમો ઘટના સ્થળે હાજર છે.સંભવિત તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.