લુના-25 ક્રેશ: રશિયાનું મૂન મિશન નિષ્ફળ, ચંદ્રની સપાટી પર પટકાયું, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-08-20 19:28:10

રશિયા તેના લુના-25 અવકાશયાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવા માંગતું હતું, પરંતુ તેની આશા ઠગારી નીવડી છે. રશિયાનું લુના 25 અવકાશયાન ચંદ્રની સપાટી પર ક્રેશ થયું છે. રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસમોસે સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી છે. ઑગસ્ટ 19ના રોજ, લ્યુના 25 પ્રી-લેન્ડિંગ લંબગોળ ભ્રમણકક્ષામાં જઈ રહ્યું હતું ત્યારે તેનો મોસ્કો સાથેનો સંપર્ક સ્થાનિક સમય મુજબ 14:57 વાગ્યે તૂટી ગયો હતો. અગાઉ, ભારતનું ચંદ્રયાન-2 પણ સપાટી પર ઉતરતા પહેલા ક્રેશ થયું હતું.


રશિયન સ્પેશ એજન્સીએ શું કહ્યું?


રશિયન અવકાશ એજન્સી રોસ્કોસ્મોસે રવિવારે જણાવ્યું હતું કે રશિયાનું ચંદ્ર મિશન તે સમયે નિષ્ફળ ગયું જ્યારે તેનું અવકાશયાન લુના-25 નિયંત્રણ બહાર થઈ ગયું અને ચંદ્રની સપાટી સાથે ટકરાતા જ તૂટી પડ્યું હતું,  લુના-25 ભારતના ચંદ્રયાન-3ના બે દિવસ પહેલા સોમવારે ચંદ્ર પર ઉતરવાનું હતું. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરવાનું હતું. આ ક્રેશની માહિતી રોસ્કોસ્મોસ તરફથી આવી છે જ્યારે એક દિવસ પહેલા જ રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસે લુના-25ના 'અસામાન્ય સ્થિતિમાં' ફસાયા હોવાની માહિતી આપી હતી. અવકાશ એજન્સીએ રિપોર્ટ આપ્યો હતો કે અવકાશયાન લેન્ડિંગ પહેલા ભ્રમણકક્ષામાં ગયું હોવાથી તેનો સંપર્ક તૂટી ગયો હતો.


હવે Luna-26 લોન્ચ કરવામાં આવશે


રશિયા માટે, યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધના મધ્યમાં ચંદ્ર પર મિશન મોકલવું એ માત્ર રિસર્ચનો જ નહીં પરંતુ તેની પ્રતિષ્ઠાનો પણ પ્રશ્ન હતો. લુના-25નું નામ ચંદ્ર મિશનની લુના શ્રેણીના ભાગ રૂપે રાખવામાં આવ્યું હતું. 1960 અને 1970 ના દાયકામાં, સોવિયેત સંઘે લુના શ્રેણીમાં ઘણા પ્રયોગો કર્યા. 1976માં લોન્ચ થયેલું લુના-24 ચંદ્રની સપાટી પર ઉતરનાર છેલ્લું અવકાશયાન હતું. Luna 25 પછી રશિયા આગામી ત્રણ વર્ષમાં Luna-26 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી