લુના-25 ક્રેશ: રશિયાનું મૂન મિશન નિષ્ફળ, ચંદ્રની સપાટી પર પટકાયું, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-08-20 19:28:10

રશિયા તેના લુના-25 અવકાશયાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવા માંગતું હતું, પરંતુ તેની આશા ઠગારી નીવડી છે. રશિયાનું લુના 25 અવકાશયાન ચંદ્રની સપાટી પર ક્રેશ થયું છે. રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસમોસે સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી છે. ઑગસ્ટ 19ના રોજ, લ્યુના 25 પ્રી-લેન્ડિંગ લંબગોળ ભ્રમણકક્ષામાં જઈ રહ્યું હતું ત્યારે તેનો મોસ્કો સાથેનો સંપર્ક સ્થાનિક સમય મુજબ 14:57 વાગ્યે તૂટી ગયો હતો. અગાઉ, ભારતનું ચંદ્રયાન-2 પણ સપાટી પર ઉતરતા પહેલા ક્રેશ થયું હતું.


રશિયન સ્પેશ એજન્સીએ શું કહ્યું?


રશિયન અવકાશ એજન્સી રોસ્કોસ્મોસે રવિવારે જણાવ્યું હતું કે રશિયાનું ચંદ્ર મિશન તે સમયે નિષ્ફળ ગયું જ્યારે તેનું અવકાશયાન લુના-25 નિયંત્રણ બહાર થઈ ગયું અને ચંદ્રની સપાટી સાથે ટકરાતા જ તૂટી પડ્યું હતું,  લુના-25 ભારતના ચંદ્રયાન-3ના બે દિવસ પહેલા સોમવારે ચંદ્ર પર ઉતરવાનું હતું. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરવાનું હતું. આ ક્રેશની માહિતી રોસ્કોસ્મોસ તરફથી આવી છે જ્યારે એક દિવસ પહેલા જ રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસે લુના-25ના 'અસામાન્ય સ્થિતિમાં' ફસાયા હોવાની માહિતી આપી હતી. અવકાશ એજન્સીએ રિપોર્ટ આપ્યો હતો કે અવકાશયાન લેન્ડિંગ પહેલા ભ્રમણકક્ષામાં ગયું હોવાથી તેનો સંપર્ક તૂટી ગયો હતો.


હવે Luna-26 લોન્ચ કરવામાં આવશે


રશિયા માટે, યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધના મધ્યમાં ચંદ્ર પર મિશન મોકલવું એ માત્ર રિસર્ચનો જ નહીં પરંતુ તેની પ્રતિષ્ઠાનો પણ પ્રશ્ન હતો. લુના-25નું નામ ચંદ્ર મિશનની લુના શ્રેણીના ભાગ રૂપે રાખવામાં આવ્યું હતું. 1960 અને 1970 ના દાયકામાં, સોવિયેત સંઘે લુના શ્રેણીમાં ઘણા પ્રયોગો કર્યા. 1976માં લોન્ચ થયેલું લુના-24 ચંદ્રની સપાટી પર ઉતરનાર છેલ્લું અવકાશયાન હતું. Luna 25 પછી રશિયા આગામી ત્રણ વર્ષમાં Luna-26 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.