લુના-25 ક્રેશ: રશિયાનું મૂન મિશન નિષ્ફળ, ચંદ્રની સપાટી પર પટકાયું, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-08-20 19:28:10

રશિયા તેના લુના-25 અવકાશયાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવા માંગતું હતું, પરંતુ તેની આશા ઠગારી નીવડી છે. રશિયાનું લુના 25 અવકાશયાન ચંદ્રની સપાટી પર ક્રેશ થયું છે. રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસમોસે સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી છે. ઑગસ્ટ 19ના રોજ, લ્યુના 25 પ્રી-લેન્ડિંગ લંબગોળ ભ્રમણકક્ષામાં જઈ રહ્યું હતું ત્યારે તેનો મોસ્કો સાથેનો સંપર્ક સ્થાનિક સમય મુજબ 14:57 વાગ્યે તૂટી ગયો હતો. અગાઉ, ભારતનું ચંદ્રયાન-2 પણ સપાટી પર ઉતરતા પહેલા ક્રેશ થયું હતું.


રશિયન સ્પેશ એજન્સીએ શું કહ્યું?


રશિયન અવકાશ એજન્સી રોસ્કોસ્મોસે રવિવારે જણાવ્યું હતું કે રશિયાનું ચંદ્ર મિશન તે સમયે નિષ્ફળ ગયું જ્યારે તેનું અવકાશયાન લુના-25 નિયંત્રણ બહાર થઈ ગયું અને ચંદ્રની સપાટી સાથે ટકરાતા જ તૂટી પડ્યું હતું,  લુના-25 ભારતના ચંદ્રયાન-3ના બે દિવસ પહેલા સોમવારે ચંદ્ર પર ઉતરવાનું હતું. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરવાનું હતું. આ ક્રેશની માહિતી રોસ્કોસ્મોસ તરફથી આવી છે જ્યારે એક દિવસ પહેલા જ રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસે લુના-25ના 'અસામાન્ય સ્થિતિમાં' ફસાયા હોવાની માહિતી આપી હતી. અવકાશ એજન્સીએ રિપોર્ટ આપ્યો હતો કે અવકાશયાન લેન્ડિંગ પહેલા ભ્રમણકક્ષામાં ગયું હોવાથી તેનો સંપર્ક તૂટી ગયો હતો.


હવે Luna-26 લોન્ચ કરવામાં આવશે


રશિયા માટે, યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધના મધ્યમાં ચંદ્ર પર મિશન મોકલવું એ માત્ર રિસર્ચનો જ નહીં પરંતુ તેની પ્રતિષ્ઠાનો પણ પ્રશ્ન હતો. લુના-25નું નામ ચંદ્ર મિશનની લુના શ્રેણીના ભાગ રૂપે રાખવામાં આવ્યું હતું. 1960 અને 1970 ના દાયકામાં, સોવિયેત સંઘે લુના શ્રેણીમાં ઘણા પ્રયોગો કર્યા. 1976માં લોન્ચ થયેલું લુના-24 ચંદ્રની સપાટી પર ઉતરનાર છેલ્લું અવકાશયાન હતું. Luna 25 પછી રશિયા આગામી ત્રણ વર્ષમાં Luna-26 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.