મધ્યપ્રદેશ પેશાબ કાંડ: આદિવાસી યુવક પર પેશાબ કરનાર BJPના કાર્યકર્તાના ઘરે પહોંચ્યું બુલડોઝર, તોડી પડાયું ઘર!


  • Published By :
  • Published Date : 2023-07-06 11:28:57

છેલ્લા એક બે દિવસથી દરેક જગ્યાએ મધ્યપ્રદેશથી સામે આવેલા વીડિયોની ચર્ચા થઈ રહી છે. એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં કથિત રીતે ભાજપના કાર્યકર કહેવાતા પ્રવેશ શુક્લા નામના વ્યક્તિએ એક આદિવાસી યુવક પર પેશાબ કરી હતી.હાથમાં સિગરેટ હતી અને તે આદિવાસી પર પેશાબ કરી રહ્યો હતો. જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યારથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મધ્યપ્રદેશ સરકાર પણ આ મામલે કડક કાર્યવાહી કરશે તેવી વાત મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી હતી. ત્યારે કાર્યવાહીના ભાગ રૂપે પ્રવેશ શુક્લા વિરૂદ્ધ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે.  

થોડા કલાકોની અંદર થઈ હતી પ્રવેશ શુક્લાની ધરપકડ  

પેશાબ કાંડને લઈ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર થોડા કલાકોની અંદર મંગળવારે મોડી રાત્રે પ્રવેશ શુક્લાની ધરપકડ કરવામાં આવી હતી. NSA દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના ગેરકાયદેસર કબજાવાળા ઘર પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી નખાયું છે.મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મધ્યપ્રદેશના સિધી જિલ્લામાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક અન્ય યુવક પર પેશાબ કરતો જોવા મળ્યો હતો. બાદમાં માહિતી સામે આવી હતી કે પેશાબ કરનાર યુવક ભાજપનો નેતા છે. પેશાબ કરનાર યુવક ભાજપના ધારાસભ્ય કેદાર શુક્લાના પ્રતિનિધિ પ્રવેશ શુક્લા છે અને પછી તે પ્રવેશ શુક્લાની ધરપકડ થઈ તેના પર NSAની કલમો લગાવવામાં  આવી છે. પહેલા પોલીસે તેની ધરપકડ કરી અને બાદમાં તેની ગેરકાયદેસર પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દીધું.  

આ ઘટના અંગે શું છે પીડિતનું કહેવું?  

આ બધી ચર્ચાઓની વચ્ચે પ્રવેશ શુક્લાએ જે વ્યક્તિ પર પેશાબ કર્યો હતો તે દશમત રાવતનું સોગંદનામું પણ સામે આવ્યું છે, જેમાં પીડિતે કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ખોટો અને નકલી છે. પ્રવેશ શુક્લાએ તેની સાથે આવું કોઈ કૃત્ય કર્યું નથી. આ સોગંદનામામાં પીડિતે કહ્યું છે કે, આદર્શ શુક્લા અને તેના અન્ય સાથીઓએ તેના પર પોલીસ રિપોર્ટ નોંધાવવા માટે દબાણ કર્યું હતું. તેના બદલામાં પૈસા આપવાનું કહ્યું હતું. આ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે આ ફેક વીડિયો પ્રવેશ શુક્લાની ઈમેજને ખરાબ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

પીડિતના પત્નીની સામે આવી હતી પ્રતિક્રિયા 

પણ શું તે દશમત રાવતને વાંચતાં પણ આવડતું હશે? જે કાગળ પર તેની સાઇન કરવામાં આવી તે તેણે વાંચ્યા પણ હશે? આ ઘટના બાદ પીડિતની પત્નીનું નિવેદન આવ્યું તું જેમાં તેણે કહ્યું કે મારા પતિએ કઈ ખોટું કર્યું નથી જો તેણે કઈ ખોટું કર્યું હસેતો તેને સજા મળશે જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું કે શું કોઈ તેના પર દબાણ કરી રહ્યું છે અથવા પોલીસ તેને પરેશાન કરી રહી છે, તો તેણે ના પાડી હતી.


રાહુલ ગાંધીએ કરી આ ઘટનાની નિંદા 

આ ઘટનાને રાજકીય ત્રાજવે પણ તોલવામાં પણ આવી રહી છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી આવવાની છે તો આદિવાસી વોટ બેન્ક તૂટે તેવો પણ ડર છે જ્યારે આ ઘટના બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહએ નિવેદન આપ્યું હતું કે આરોપી સામે કડક કાર્યવાહી થશે એના સિવાય અલગ અલગ નેતાઓના નિવેદન પણ સામે આવ્યા હતા આ મુદે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે આનાથી આદિવાસીઓ અને દલિતો પ્રતિ ભાજપની નફરતનો ઘૃણાસ્પદ ચહેરો સામે આવ્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે, ભાજપા રાજમાં આદિવાસી ભાઈઓ અને બહેનો પર અત્યાચાર વધતા જ રહ્યા છે. મધ્યપ્રદેશમાં એક ભાજપા નેતાએ અમાનવીય કૃત્યથી માનવતાને શર્મસાર કરી છે. આ ભાજપાનો આદિવાસીઓ અને દલિતો પ્રતિ નફરત અને ઘૃણાસ્પદ સાથેનો અસલી ચહેરો છે. આવી ઘટનાને જોતા હરિશંકર પરસાઈ દ્વારા કહેવામાં આવેલી વાત યાદ આવે છે. हम अपने को प्राचीनतम महान संस्कृति वाले आदर्शवादी और नैतिक मानते है परंतु हमसे ज्यादा नीच और क्रूर जाति दुनिया मे कोई नही । 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.