મધ્યપ્રદેશ પેશાબકાંડ: ભોગ બનનાર આદિવાસી યુવકના સીએમે ધોયા પગ, પછી કરી સહાય આપવાની જાહેરાત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-07 13:25:05

મધ્યપ્રદેશમાં થયેલા પેશાબકાંડની થોડા દિવસોથી ચર્ચા થઈ રહી છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ભાજપના કાર્યકર્તા આદિવાસી યુવક પર પૈશાબ કરી રહ્યો હતો. ઘટના સામે આવતા દેશભરના લોકોએ રોષ ઠાલવ્યો હતો. પ્રવેશ શુક્લા વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે અને તેની ધરપકડ પણ કરી લીધી છે. ઉપરાંત તેના ગેરકાયદેસર પ્રોપર્ટી પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે ઘટનામાં ભોગ બનનાર આદિવાસી યુવક સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મુલાકાત કરી હતી. ન માત્ર મુલાકાત પરંતુ તે યુવકના પગ પણ ધોયા હતા.

પગ ધોયા બાદ મુખ્યમંત્રીએ કર્યું યુવક સાથે ભોજન 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મધ્યપ્રદેશના પેશાબકાંડની વાતો થતી હતી. આ ઘટના અંગે મુખ્યમંત્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. થોડા કલાકોની અંદર પ્રવેશ શુક્લાની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી જાણે કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલા કૃત્યને છૂપાવવાની કોશિશ કરતા હોય તેવી રીતે ભોગ બનેલા આદિવાસી યુવકને મળવા બોલાવ્યા અને તેમને માન સન્માન આપ્યું. ખુરશી પર બેસાડ્યો. તિલક કર્યું, આરતી ઉતારી અને પગ ધોયા. મુખ્યમંત્રીએ તેની માફી પણ માગી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર મુલાકાતનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી યુવક સાથે જમી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. 


મધ્યપ્રદેશ સરકાર કરશે આર્થિક સહાય

આદિવાસી યુવકને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ સરકાર પેશાબકાંડમાં ભોગ બનેલા યુવક દશમત રાવતને પાંચ લાખ રુપિયા આપવામાં આવશે ઉપરાંત ઘર બનાવવા માટે 1.50 લાખ રુપિયાની સહાય પણ કરવામાં આવશે. જિલ્લાધીકારી તરફથી આ માહિતી આપવામાં આવી છે.      



સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.