મધ્યપ્રદેશ પેશાબકાંડ: ભોગ બનનાર આદિવાસી યુવકના સીએમે ધોયા પગ, પછી કરી સહાય આપવાની જાહેરાત!


  • Published By :
  • Published Date : 2023-07-07 13:25:05

મધ્યપ્રદેશમાં થયેલા પેશાબકાંડની થોડા દિવસોથી ચર્ચા થઈ રહી છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ભાજપના કાર્યકર્તા આદિવાસી યુવક પર પૈશાબ કરી રહ્યો હતો. ઘટના સામે આવતા દેશભરના લોકોએ રોષ ઠાલવ્યો હતો. પ્રવેશ શુક્લા વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે અને તેની ધરપકડ પણ કરી લીધી છે. ઉપરાંત તેના ગેરકાયદેસર પ્રોપર્ટી પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે ઘટનામાં ભોગ બનનાર આદિવાસી યુવક સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મુલાકાત કરી હતી. ન માત્ર મુલાકાત પરંતુ તે યુવકના પગ પણ ધોયા હતા.

પગ ધોયા બાદ મુખ્યમંત્રીએ કર્યું યુવક સાથે ભોજન 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મધ્યપ્રદેશના પેશાબકાંડની વાતો થતી હતી. આ ઘટના અંગે મુખ્યમંત્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. થોડા કલાકોની અંદર પ્રવેશ શુક્લાની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી જાણે કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલા કૃત્યને છૂપાવવાની કોશિશ કરતા હોય તેવી રીતે ભોગ બનેલા આદિવાસી યુવકને મળવા બોલાવ્યા અને તેમને માન સન્માન આપ્યું. ખુરશી પર બેસાડ્યો. તિલક કર્યું, આરતી ઉતારી અને પગ ધોયા. મુખ્યમંત્રીએ તેની માફી પણ માગી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર મુલાકાતનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી યુવક સાથે જમી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. 


મધ્યપ્રદેશ સરકાર કરશે આર્થિક સહાય

આદિવાસી યુવકને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ સરકાર પેશાબકાંડમાં ભોગ બનેલા યુવક દશમત રાવતને પાંચ લાખ રુપિયા આપવામાં આવશે ઉપરાંત ઘર બનાવવા માટે 1.50 લાખ રુપિયાની સહાય પણ કરવામાં આવશે. જિલ્લાધીકારી તરફથી આ માહિતી આપવામાં આવી છે.      



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.