મધ્યપ્રદેશ પેશાબકાંડ: ભોગ બનનાર આદિવાસી યુવકના સીએમે ધોયા પગ, પછી કરી સહાય આપવાની જાહેરાત!


  • Published By :
  • Published Date : 2023-07-07 13:25:05

મધ્યપ્રદેશમાં થયેલા પેશાબકાંડની થોડા દિવસોથી ચર્ચા થઈ રહી છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ભાજપના કાર્યકર્તા આદિવાસી યુવક પર પૈશાબ કરી રહ્યો હતો. ઘટના સામે આવતા દેશભરના લોકોએ રોષ ઠાલવ્યો હતો. પ્રવેશ શુક્લા વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે અને તેની ધરપકડ પણ કરી લીધી છે. ઉપરાંત તેના ગેરકાયદેસર પ્રોપર્ટી પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે ઘટનામાં ભોગ બનનાર આદિવાસી યુવક સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મુલાકાત કરી હતી. ન માત્ર મુલાકાત પરંતુ તે યુવકના પગ પણ ધોયા હતા.

પગ ધોયા બાદ મુખ્યમંત્રીએ કર્યું યુવક સાથે ભોજન 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મધ્યપ્રદેશના પેશાબકાંડની વાતો થતી હતી. આ ઘટના અંગે મુખ્યમંત્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. થોડા કલાકોની અંદર પ્રવેશ શુક્લાની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી જાણે કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલા કૃત્યને છૂપાવવાની કોશિશ કરતા હોય તેવી રીતે ભોગ બનેલા આદિવાસી યુવકને મળવા બોલાવ્યા અને તેમને માન સન્માન આપ્યું. ખુરશી પર બેસાડ્યો. તિલક કર્યું, આરતી ઉતારી અને પગ ધોયા. મુખ્યમંત્રીએ તેની માફી પણ માગી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર મુલાકાતનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી યુવક સાથે જમી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. 


મધ્યપ્રદેશ સરકાર કરશે આર્થિક સહાય

આદિવાસી યુવકને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ સરકાર પેશાબકાંડમાં ભોગ બનેલા યુવક દશમત રાવતને પાંચ લાખ રુપિયા આપવામાં આવશે ઉપરાંત ઘર બનાવવા માટે 1.50 લાખ રુપિયાની સહાય પણ કરવામાં આવશે. જિલ્લાધીકારી તરફથી આ માહિતી આપવામાં આવી છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.