મધ્યપ્રદેશ પેશાબકાંડ: ભોગ બનનાર આદિવાસી યુવકના સીએમે ધોયા પગ, પછી કરી સહાય આપવાની જાહેરાત!


  • Published By :
  • Published Date : 2023-07-07 13:25:05

મધ્યપ્રદેશમાં થયેલા પેશાબકાંડની થોડા દિવસોથી ચર્ચા થઈ રહી છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ભાજપના કાર્યકર્તા આદિવાસી યુવક પર પૈશાબ કરી રહ્યો હતો. ઘટના સામે આવતા દેશભરના લોકોએ રોષ ઠાલવ્યો હતો. પ્રવેશ શુક્લા વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે અને તેની ધરપકડ પણ કરી લીધી છે. ઉપરાંત તેના ગેરકાયદેસર પ્રોપર્ટી પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે ઘટનામાં ભોગ બનનાર આદિવાસી યુવક સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મુલાકાત કરી હતી. ન માત્ર મુલાકાત પરંતુ તે યુવકના પગ પણ ધોયા હતા.

પગ ધોયા બાદ મુખ્યમંત્રીએ કર્યું યુવક સાથે ભોજન 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મધ્યપ્રદેશના પેશાબકાંડની વાતો થતી હતી. આ ઘટના અંગે મુખ્યમંત્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. થોડા કલાકોની અંદર પ્રવેશ શુક્લાની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી જાણે કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલા કૃત્યને છૂપાવવાની કોશિશ કરતા હોય તેવી રીતે ભોગ બનેલા આદિવાસી યુવકને મળવા બોલાવ્યા અને તેમને માન સન્માન આપ્યું. ખુરશી પર બેસાડ્યો. તિલક કર્યું, આરતી ઉતારી અને પગ ધોયા. મુખ્યમંત્રીએ તેની માફી પણ માગી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર મુલાકાતનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી યુવક સાથે જમી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. 


મધ્યપ્રદેશ સરકાર કરશે આર્થિક સહાય

આદિવાસી યુવકને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ સરકાર પેશાબકાંડમાં ભોગ બનેલા યુવક દશમત રાવતને પાંચ લાખ રુપિયા આપવામાં આવશે ઉપરાંત ઘર બનાવવા માટે 1.50 લાખ રુપિયાની સહાય પણ કરવામાં આવશે. જિલ્લાધીકારી તરફથી આ માહિતી આપવામાં આવી છે.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.