માફિયા અતીકની પત્ની શાઈસ્તા દિલ્હી કે ગુજરાતમાં કરી શકે છે સરેન્ડર, યુપી ATFની ટીમ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-04-21 17:29:04

પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકાંડ બાદ ફરાર માફિયા અતીક અહમદની પત્ની શાઈસ્તા પરવીન અને ગુડ્ડુ મુસ્લિમ આત્મસમર્પણ કરી શકે છે. ઉત્તર પ્રદેશ પોલીસ શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લીમને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે.


શાઈસ્તા અને ગુડ્ડુ ફરાર છે


ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અને તેના પતિ માફિયા અતીક અહમદ અને અશરફની હત્યા તથા પુત્રના એન્કાઉન્ટર થયું ત્યારથી શાઈસ્તા ગુમ છે અને જાહેરમાં જોવા મળી નથી. હવે સમાચાર આવ્યા છે કે અતીકનો વફાદાર ગુડ્ડુ મુસ્લિમ શાઈસ્તાને બચાવવામાં લાગ્યો છે. અત્યાર સુધી બંને જણા પોલીસની પકડથી દુર છે. 


ગુજરાત કે દિલ્હીમાં આત્મસમર્પણ કરી શકે


શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લિમ દિલ્હી કે ગુજરાત પોલીસ સમક્ષ સરેન્ડર કરી શકે તેવી જાણકારી મળી રહી છે.  શાઈસ્તાના આત્મસમર્પણની ચર્ચાઓ વચ્ચે યુપી ATFની ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે. શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લિમને પ્રયાગરાજ લાવી શકાય તે માટે દિલ્હી અને ગુજરાત માટે ટીમ મોકલવામાં આવી છે.


શાઈસ્તા ઉમેશ પાલ હત્યાકાંડની માસ્ટર માઈન્ડ

 

અત્રે ઉલ્લેખનિય છે કે ગુડ્ડુ મુસ્લિમ પર યુપી પોલીસે પાંચ લાખનું જ્યારે શાઈસ્તા પર પચાસ હજારનું ઈનામ જાહેર કર્યું છે. શાઈસ્તા પરવીનને ઉમેશ પાલ હત્યાકાંડની મુખ્ય ષડયંત્રકાર માનવામાં આવે છે. જો કે શાઈસ્તા કે ગુડ્ડુ મુસ્લિમ સરેન્ડર કરશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.