માફિયા અતીકની પત્ની શાઈસ્તા દિલ્હી કે ગુજરાતમાં કરી શકે છે સરેન્ડર, યુપી ATFની ટીમ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-04-21 17:29:04

પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકાંડ બાદ ફરાર માફિયા અતીક અહમદની પત્ની શાઈસ્તા પરવીન અને ગુડ્ડુ મુસ્લિમ આત્મસમર્પણ કરી શકે છે. ઉત્તર પ્રદેશ પોલીસ શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લીમને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે.


શાઈસ્તા અને ગુડ્ડુ ફરાર છે


ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અને તેના પતિ માફિયા અતીક અહમદ અને અશરફની હત્યા તથા પુત્રના એન્કાઉન્ટર થયું ત્યારથી શાઈસ્તા ગુમ છે અને જાહેરમાં જોવા મળી નથી. હવે સમાચાર આવ્યા છે કે અતીકનો વફાદાર ગુડ્ડુ મુસ્લિમ શાઈસ્તાને બચાવવામાં લાગ્યો છે. અત્યાર સુધી બંને જણા પોલીસની પકડથી દુર છે. 


ગુજરાત કે દિલ્હીમાં આત્મસમર્પણ કરી શકે


શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લિમ દિલ્હી કે ગુજરાત પોલીસ સમક્ષ સરેન્ડર કરી શકે તેવી જાણકારી મળી રહી છે.  શાઈસ્તાના આત્મસમર્પણની ચર્ચાઓ વચ્ચે યુપી ATFની ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે. શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લિમને પ્રયાગરાજ લાવી શકાય તે માટે દિલ્હી અને ગુજરાત માટે ટીમ મોકલવામાં આવી છે.


શાઈસ્તા ઉમેશ પાલ હત્યાકાંડની માસ્ટર માઈન્ડ

 

અત્રે ઉલ્લેખનિય છે કે ગુડ્ડુ મુસ્લિમ પર યુપી પોલીસે પાંચ લાખનું જ્યારે શાઈસ્તા પર પચાસ હજારનું ઈનામ જાહેર કર્યું છે. શાઈસ્તા પરવીનને ઉમેશ પાલ હત્યાકાંડની મુખ્ય ષડયંત્રકાર માનવામાં આવે છે. જો કે શાઈસ્તા કે ગુડ્ડુ મુસ્લિમ સરેન્ડર કરશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.