માફિયા મુખ્તાર અંસારી પાછળ પંજાબમાં 55 લાખનો ખર્ચ, CM ભગવંત માને બિલ ભરવાનો કર્યો ઇનકાર


  • Published By :
  • Published Date : 2023-04-23 13:21:36

પંજાબની રોપડ જેલમાં બંધ ઉત્તર પ્રદેશના કુખ્યાત બાહુબલી માફિયા મુખ્તાર અંસારીની  VIP ટ્રીટમેન્ટ પાછળ અત્યાર સુધીમાં 55 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. રોપડ જેલમાં મુખ્તાર અંસારીની સરભરા પાછળ 55 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેને ભગવંત માને ભરવાનો ઈનકાર કરી દીધો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કોંગ્રેસ સરકાર પર માફિયા મુખ્તાર અંસારીને કર્ન્ફટેબલ સ્ટે આપવાનો આરોપ લગાવ્યો છે.


બિલની ફાઈલને પાછી મોકલાઈ


મુખ્તાર અંસારી પાછળ કરવામાં આવેલા લાખો રૂપિયાના ખર્ચ સંબંધિત બિલની ફાઈલને માને પાછી મોકલી દીધી છે. ભગવંત માને કહ્યું કે, આ ખુલ્લી લૂંટ છે તેને કોઈ પણ ભોગે ચલાવી નહીં લેવાય. ભગવંત માને એમ પણ કહ્યું કે, મુખ્તાર અંસારીને જેલમાં મળતી સુવિધાઓ અંગે ગત સરકાર કોંગ્રેસને ખબર હશે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે અગાઉની સરકાર પંજાબમાં કુખ્યાત આરોપીઓ પર કેવી મહેરબાન હતી. મેં ફાઈલ પરત મોકલી દીધી છે. કેમ આ બિલ એમની પાસેથી વસુલવામાં ન આવે જે એ સમયે મંત્રી હતા?


બિલોની ચૂકવણી કેવી રીતે થશે?


હવે મોટો સવાલ એ છે કે આ બિલોની ચૂકવણી કેવી રીતે થશે, કારણ કે જેલમાં કેદીઓ પર કરવામાં આવેલા ખર્ચના બીલોની સરકાર ચૂકવણી કરે છે. પરતું ભગવંત માને તો બીલ ભરવાથી સ્પષ્ટ ના પાડી દીધી છે. એવામાં આ બિલની ચુકવણી કોણ કરશે? જો સીએમ માન બીલ નહીં ચૂકવે તો જેલ વિભાગ સામે મોટી મુશ્કેલી ઉભી થશે.


CM ભગવંત માને શું કહ્યું હતું?


પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ગુરુવારે અગાઉની કોંગ્રેસ સરકાર પર યુપીના ગેંગસ્ટર-રાજકારણી મુખ્તાર અંસારીને રૂપનગર જેલમાં આરામદાયક સુવિધાઓ આપવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે તે તત્કાલિન મંત્રીઓને સરકારી તિજોરીમાંથી 55 લાખ રૂપિયાની કાનૂની ફી ચૂકવશે નહીં. તેની વસુલાત માટે સલાહ લેવામાં આવી રહી છે.  ભગવંત માને જાલંધરમાં એક રેલીમાં કહ્યું હતું કે "અમે કાયદાકીય નિષ્ણાતોને પૂછીએ છીએ કે આ વસૂલાત કોની પાસેથી કરવાની છે, અમે સલાહ લઈ રહ્યા છીએ".



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.