નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, યુપી, બિહાર અને દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા


  • Published By :
  • Published Date : 2023-10-22 11:15:51

નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે રવિવારે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 7.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળનમા બાગમતી અને ગંડકી પ્રાંતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. નેશનલ ભૂકંપ મોનિટરિંગ અને રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધાડિંગ જિલ્લામાં હતું. આ સાથે જઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા 5.2 માપવામાં આવી છે.


નેપાળમાં ભૂકંપ શા માટે આવ્યો?


નેપાળમાં તિબેટીયન અને ભારતીય ટેકટોનિક પ્લેટો અથડાતા તેના સ્થાનને કારણે ભૂકંપ અસામાન્ય નથી. આ પ્લેટો પ્રત્યેક સદીમાં બે મીટરના અંતરે એકબીજાની નજીક જાય છે, જે દબાણ બનાવે છે અને ત્યારબાદ ભૂકંપ આવે છે. થોડા દિવસ પહેલા જ 16 ઓક્ટોબરે નેપાળના દુર પશ્ચિમ ભાગમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેપાળને 2015 માં 7.8 તીવ્રતાનો વિનાશક ભૂકંપ અને આફ્ટરશોક્સનો સામનો કરવો પડ્યો હતો, જેમાં લગભગ 9,000 લોકો માર્યા ગયા હતા.


સર્વત્ર માનવ ચીસો સાંભળવા મળી


આ સિવાય નેપાળની સરહદ સાથે જોડાયેલા બિહારના ઘણા જિલ્લાઓમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. લોકોએ સવારે ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જણાવ્યું હતું. ભૂકંપના આંચકાના કારણે સામાન્ય લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. સર્વત્ર ચીસાચીસનો માહોલ હતો. જો કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.