નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, યુપી, બિહાર અને દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા


  • Published By :
  • Published Date : 2023-10-22 11:15:51

નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે રવિવારે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 7.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળનમા બાગમતી અને ગંડકી પ્રાંતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. નેશનલ ભૂકંપ મોનિટરિંગ અને રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધાડિંગ જિલ્લામાં હતું. આ સાથે જઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા 5.2 માપવામાં આવી છે.


નેપાળમાં ભૂકંપ શા માટે આવ્યો?


નેપાળમાં તિબેટીયન અને ભારતીય ટેકટોનિક પ્લેટો અથડાતા તેના સ્થાનને કારણે ભૂકંપ અસામાન્ય નથી. આ પ્લેટો પ્રત્યેક સદીમાં બે મીટરના અંતરે એકબીજાની નજીક જાય છે, જે દબાણ બનાવે છે અને ત્યારબાદ ભૂકંપ આવે છે. થોડા દિવસ પહેલા જ 16 ઓક્ટોબરે નેપાળના દુર પશ્ચિમ ભાગમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેપાળને 2015 માં 7.8 તીવ્રતાનો વિનાશક ભૂકંપ અને આફ્ટરશોક્સનો સામનો કરવો પડ્યો હતો, જેમાં લગભગ 9,000 લોકો માર્યા ગયા હતા.


સર્વત્ર માનવ ચીસો સાંભળવા મળી


આ સિવાય નેપાળની સરહદ સાથે જોડાયેલા બિહારના ઘણા જિલ્લાઓમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. લોકોએ સવારે ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જણાવ્યું હતું. ભૂકંપના આંચકાના કારણે સામાન્ય લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. સર્વત્ર ચીસાચીસનો માહોલ હતો. જો કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે