નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, યુપી, બિહાર અને દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા


  • Published By :
  • Published Date : 2023-10-22 11:15:51

નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે રવિવારે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 7.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળનમા બાગમતી અને ગંડકી પ્રાંતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. નેશનલ ભૂકંપ મોનિટરિંગ અને રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધાડિંગ જિલ્લામાં હતું. આ સાથે જઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા 5.2 માપવામાં આવી છે.


નેપાળમાં ભૂકંપ શા માટે આવ્યો?


નેપાળમાં તિબેટીયન અને ભારતીય ટેકટોનિક પ્લેટો અથડાતા તેના સ્થાનને કારણે ભૂકંપ અસામાન્ય નથી. આ પ્લેટો પ્રત્યેક સદીમાં બે મીટરના અંતરે એકબીજાની નજીક જાય છે, જે દબાણ બનાવે છે અને ત્યારબાદ ભૂકંપ આવે છે. થોડા દિવસ પહેલા જ 16 ઓક્ટોબરે નેપાળના દુર પશ્ચિમ ભાગમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેપાળને 2015 માં 7.8 તીવ્રતાનો વિનાશક ભૂકંપ અને આફ્ટરશોક્સનો સામનો કરવો પડ્યો હતો, જેમાં લગભગ 9,000 લોકો માર્યા ગયા હતા.


સર્વત્ર માનવ ચીસો સાંભળવા મળી


આ સિવાય નેપાળની સરહદ સાથે જોડાયેલા બિહારના ઘણા જિલ્લાઓમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. લોકોએ સવારે ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જણાવ્યું હતું. ભૂકંપના આંચકાના કારણે સામાન્ય લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. સર્વત્ર ચીસાચીસનો માહોલ હતો. જો કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.