ન્યુઝીલેન્ડમાં આવ્યો 6.1 તીવ્રતાનો ભૂકંપ, ચક્રવાત બાદ ધરતીકંપ આવતા લોકોમાં ડર


  • Published By :
  • Published Date : 2023-02-15 15:54:05

તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે. ભૂકંપને કારણે ભારે નુકસાન થયું છે. ત્યારે ધરતીકંપના આંચકા ન્યુઝીલેન્ડમાં અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પ્રમાણે આ ભૂકંપના આંચકા 6.1ની તીવ્રતા વાળા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પરમપરાઉમુ દ્વીપથી 50 કિલોમીટર દૂર હતું. આ ઝાટકા ખૂબ જ ઝડપથી આવ્યા હતા. આ પછી લગભગ 30 સેકેન્ડ સુધી હળવા આંચકાનો અનુભવ થયો હતો. ઝાટકા એટલા તીવ્ર હતા કે ટેબલ પર રાખેલી વસ્તુઓ પડી ગઈ હતી. 


ન્યુઝીલેન્ડમાં આવ્યું છે ચક્રવાત 

કુદરત જાણે રુઠી હોય તેવું લાગી રહ્યું છે. એકબાદ એક આપદાઓ આવી રહી છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે તારાજી સર્જાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ ચક્રવાતને કારણે ઘણા ટાપુઓ પ્રભાવિત થયા છે. ન્યઝીલેન્ડના ઈતિહાસમાં આવી ઘટના ઘણી ઓછી બનતી હોય છે. 


6.1 તીવ્રતાનો આવ્યો ભૂકંપ  

એક તરફ ચક્રવાતને કારણે આફત આવી છે તો બીજી તરફ ન્યુઝિલેન્ડમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. 6.1ની તીવ્રતા વાળા આંચકા આવતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ભૂકંપનો પહેલો આંચકો ખૂબ જ ઝડપથી આવ્યો હતો. આ પછી લગભગ 30 સેકેન્ડ સુધી હળવા આંચકા આવતા રહ્યા. ભૂકંપના આંચકા બાદ બીજી વખત પણ ધરા ધ્રુજી હતી. આ ભૂકંપને કારણે જાનહાની થઈ હોય તેવી માહિતી નથી મળી રહી.    




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.