ન્યુઝીલેન્ડમાં આવ્યો 6.1 તીવ્રતાનો ભૂકંપ, ચક્રવાત બાદ ધરતીકંપ આવતા લોકોમાં ડર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-15 15:54:05

તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે. ભૂકંપને કારણે ભારે નુકસાન થયું છે. ત્યારે ધરતીકંપના આંચકા ન્યુઝીલેન્ડમાં અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પ્રમાણે આ ભૂકંપના આંચકા 6.1ની તીવ્રતા વાળા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પરમપરાઉમુ દ્વીપથી 50 કિલોમીટર દૂર હતું. આ ઝાટકા ખૂબ જ ઝડપથી આવ્યા હતા. આ પછી લગભગ 30 સેકેન્ડ સુધી હળવા આંચકાનો અનુભવ થયો હતો. ઝાટકા એટલા તીવ્ર હતા કે ટેબલ પર રાખેલી વસ્તુઓ પડી ગઈ હતી. 


ન્યુઝીલેન્ડમાં આવ્યું છે ચક્રવાત 

કુદરત જાણે રુઠી હોય તેવું લાગી રહ્યું છે. એકબાદ એક આપદાઓ આવી રહી છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે તારાજી સર્જાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ ચક્રવાતને કારણે ઘણા ટાપુઓ પ્રભાવિત થયા છે. ન્યઝીલેન્ડના ઈતિહાસમાં આવી ઘટના ઘણી ઓછી બનતી હોય છે. 


6.1 તીવ્રતાનો આવ્યો ભૂકંપ  

એક તરફ ચક્રવાતને કારણે આફત આવી છે તો બીજી તરફ ન્યુઝિલેન્ડમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. 6.1ની તીવ્રતા વાળા આંચકા આવતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ભૂકંપનો પહેલો આંચકો ખૂબ જ ઝડપથી આવ્યો હતો. આ પછી લગભગ 30 સેકેન્ડ સુધી હળવા આંચકા આવતા રહ્યા. ભૂકંપના આંચકા બાદ બીજી વખત પણ ધરા ધ્રુજી હતી. આ ભૂકંપને કારણે જાનહાની થઈ હોય તેવી માહિતી નથી મળી રહી.    




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે