કેનેડામાં ગાંધીની વધુ એક પ્રતિમાને બદમાશોએ નિશાન બનાવી, ભારતીય દૂતાવાસે કહ્યું આ જઘન્ય અપરાધ


  • Published By :
  • Published Date : 2023-03-28 21:36:49

કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક યુનિવર્સિટી કેમ્પસમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવામાં આવી હોવાના મીડિયા રિપોર્ટ છે. ખાલિસ્તાન સમર્થકો દ્વારા દેશમાં ગાંધી પ્રતિમાને નિશાન બનાવાયાના થોડા દિવસો બાદ આ ઘટના બની છે. તાજેતરની ઘટનામાં, સિમોન ફ્રેઝર યુનિવર્સિટીના બર્નાબી કેમ્પસના પીસ સ્ક્વેર ખાતેની ગાંધીજીની પ્રતિમાને તોડવામાં આવી છે, એમ વેનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંગળવારે જણાવ્યું હતું. 


દૂતાવાસે ટ્વીટ કર્યું


ભારતીય વાણિજ્ય દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું છે કે, "અમે શાંતિના પ્રણેતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડફોડ કરવાના જઘન્ય અપરાધની સખત નિંદા કરીએ છીએ." નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કેનેડિયન સત્તાવાળાઓને આ મામલાની તાત્કાલિક તપાસ કરવા અને ગુનેગારોને વહેલી તકે ન્યાય આપવા વિનંતી કરવામાં આવે છે." 23 માર્ચે કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના હેમિલ્ટન શહેરમાં સિટી હોલ નજીક ખાલિસ્તાન સમર્થકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને વિકૃત અને સ્પ્રે-પેઇન્ટ કર્યા પછી આ ઘટના બની છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.