Mahisagar : ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! કેનાલમાં લિકેજ થતા અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના ખેડૂતો બન્યા ચિંતિત કારણ કે...


  • Published By :
  • Published Date : 2024-05-16 12:23:51

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ,  અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે.. કેનાલ લિકેજના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે..  

લિકેજ થવાને કારણે ખેતરમાં ભરાયા પાણી!  

જગતના તાતની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. સારો પાક થાય તે માટે ખેડૂતો પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે.. જીવનની મૂડી લગાવી લેતા હોય છે પરંતુ કોઈ વખત કુદરત તેમનાથી રૂઠતી હોય તેવું લાગે છે તો કોઈ વખત માનવસર્જીત આફતને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે.. કોઈ વખત કેનાલમાં ભ્રષ્ટાચાર રૂપી ગાબડા પડે છે તો કોઈ વખત કેનાલ લીકેજ થવાને કારણે ખેતરમાં પાણી ઘૂસી આવે છે.. અનેક લોકો એવા હોય છે જે પશુ પાલન કરી, ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, અને જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેમને રડવાનો વારો આવે છે.. ખેતર જાણે તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવા દ્રશ્યો મહીસાગરના લુણાવાડાના અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામથી સામે આવ્યા હતા. 


     

કેનાલમાં સમારકામ ના કરાતા... 

ખેતર સુધી પાણી પહોંચી રહે તે માટે કેનાલો બનાવવામાં આવે છે.. કેનાલ બનાવ્યે અનેક વર્ષો થઈ ગયા બાદ પણ સમારકામ નથી કરવામાં આવતું જેને કારણે કેનાલ લીકેજ થવાની સંભાવના રહેતી હોય છે. ત્યારે અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામમાં પણ આવું જ કંઈ બન્યું. ખેતી માટે જરૂરી એવું પાણી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે. પરંતુ વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ કેનાલ સમારકામ માંગે છે કેનાલ ઠેર ઠેર લીકેજ થાય છે. કેનાલની સાઇડોનું પ્લાસ્ટર કામ નીકળી જવાના કારણે કેનાલ લીકેજ થઈને પાણી આજુબાજુના ખેતરોમાં ભરાય છે.


અવાર નવાર સર્જાય છે આવી પરિસ્થિતિ 

પાણી એટલા બધા પ્રમાણમાં ખેતરમાં ભરાયા કે તેને જોતા લાગે કે જાણે આ ખેતર નહીં સ્વીમિંગપુલ હોય..! ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે છે.. ખેતરમાં અતિશય પાણી ભરાઈ જવાને કારણે પાક કોહવાઈ ગયો છે તેવી વાત ખેડૂત દ્વારા કરવામાં આવી હતી.. જે સમસ્યા હમણાં સર્જાઈ છે તેવી સમસ્યા પહેલી વખત નથી સર્જાઈ દર ચોમાસામાં આવી સમસ્યા સર્જાય છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી. 


ખેડૂતોને નુકસાની ભોગવવાનો આવે છે વારો 

મહત્વનું છે કે ખેતી કરવા માટે ખેડૂતો પોતાનું બધુ દાવ પર લગાવી દેતા હોય છે. પરંતુ જ્યારે આવી ઘટના બને છે, કમોસમી વરસાદ આવે છે ત્યારે જગતના તાતને રડવાનો વારો આવે છે. તેમને નુકસાની ભોગવવાનો વારો આવે છે. ખેડૂતોનો સવાલ એ છે કે નુકસાનીનું વળતર કોણ આપશે? 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.