Mahisagar : ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! કેનાલમાં લિકેજ થતા અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના ખેડૂતો બન્યા ચિંતિત કારણ કે...


  • Published By :
  • Published Date : 2024-05-16 12:23:51

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ,  અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે.. કેનાલ લિકેજના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે..  

લિકેજ થવાને કારણે ખેતરમાં ભરાયા પાણી!  

જગતના તાતની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. સારો પાક થાય તે માટે ખેડૂતો પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે.. જીવનની મૂડી લગાવી લેતા હોય છે પરંતુ કોઈ વખત કુદરત તેમનાથી રૂઠતી હોય તેવું લાગે છે તો કોઈ વખત માનવસર્જીત આફતને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે.. કોઈ વખત કેનાલમાં ભ્રષ્ટાચાર રૂપી ગાબડા પડે છે તો કોઈ વખત કેનાલ લીકેજ થવાને કારણે ખેતરમાં પાણી ઘૂસી આવે છે.. અનેક લોકો એવા હોય છે જે પશુ પાલન કરી, ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, અને જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેમને રડવાનો વારો આવે છે.. ખેતર જાણે તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવા દ્રશ્યો મહીસાગરના લુણાવાડાના અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામથી સામે આવ્યા હતા. 


     

કેનાલમાં સમારકામ ના કરાતા... 

ખેતર સુધી પાણી પહોંચી રહે તે માટે કેનાલો બનાવવામાં આવે છે.. કેનાલ બનાવ્યે અનેક વર્ષો થઈ ગયા બાદ પણ સમારકામ નથી કરવામાં આવતું જેને કારણે કેનાલ લીકેજ થવાની સંભાવના રહેતી હોય છે. ત્યારે અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામમાં પણ આવું જ કંઈ બન્યું. ખેતી માટે જરૂરી એવું પાણી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે. પરંતુ વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ કેનાલ સમારકામ માંગે છે કેનાલ ઠેર ઠેર લીકેજ થાય છે. કેનાલની સાઇડોનું પ્લાસ્ટર કામ નીકળી જવાના કારણે કેનાલ લીકેજ થઈને પાણી આજુબાજુના ખેતરોમાં ભરાય છે.


અવાર નવાર સર્જાય છે આવી પરિસ્થિતિ 

પાણી એટલા બધા પ્રમાણમાં ખેતરમાં ભરાયા કે તેને જોતા લાગે કે જાણે આ ખેતર નહીં સ્વીમિંગપુલ હોય..! ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે છે.. ખેતરમાં અતિશય પાણી ભરાઈ જવાને કારણે પાક કોહવાઈ ગયો છે તેવી વાત ખેડૂત દ્વારા કરવામાં આવી હતી.. જે સમસ્યા હમણાં સર્જાઈ છે તેવી સમસ્યા પહેલી વખત નથી સર્જાઈ દર ચોમાસામાં આવી સમસ્યા સર્જાય છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી. 


ખેડૂતોને નુકસાની ભોગવવાનો આવે છે વારો 

મહત્વનું છે કે ખેતી કરવા માટે ખેડૂતો પોતાનું બધુ દાવ પર લગાવી દેતા હોય છે. પરંતુ જ્યારે આવી ઘટના બને છે, કમોસમી વરસાદ આવે છે ત્યારે જગતના તાતને રડવાનો વારો આવે છે. તેમને નુકસાની ભોગવવાનો વારો આવે છે. ખેડૂતોનો સવાલ એ છે કે નુકસાનીનું વળતર કોણ આપશે? 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.