Mahisagar : ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! કેનાલમાં લિકેજ થતા અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના ખેડૂતો બન્યા ચિંતિત કારણ કે...


  • Published By :
  • Published Date : 2024-05-16 12:23:51

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ,  અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે.. કેનાલ લિકેજના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે..  

લિકેજ થવાને કારણે ખેતરમાં ભરાયા પાણી!  

જગતના તાતની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. સારો પાક થાય તે માટે ખેડૂતો પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે.. જીવનની મૂડી લગાવી લેતા હોય છે પરંતુ કોઈ વખત કુદરત તેમનાથી રૂઠતી હોય તેવું લાગે છે તો કોઈ વખત માનવસર્જીત આફતને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે.. કોઈ વખત કેનાલમાં ભ્રષ્ટાચાર રૂપી ગાબડા પડે છે તો કોઈ વખત કેનાલ લીકેજ થવાને કારણે ખેતરમાં પાણી ઘૂસી આવે છે.. અનેક લોકો એવા હોય છે જે પશુ પાલન કરી, ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, અને જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેમને રડવાનો વારો આવે છે.. ખેતર જાણે તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવા દ્રશ્યો મહીસાગરના લુણાવાડાના અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામથી સામે આવ્યા હતા. 


     

કેનાલમાં સમારકામ ના કરાતા... 

ખેતર સુધી પાણી પહોંચી રહે તે માટે કેનાલો બનાવવામાં આવે છે.. કેનાલ બનાવ્યે અનેક વર્ષો થઈ ગયા બાદ પણ સમારકામ નથી કરવામાં આવતું જેને કારણે કેનાલ લીકેજ થવાની સંભાવના રહેતી હોય છે. ત્યારે અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામમાં પણ આવું જ કંઈ બન્યું. ખેતી માટે જરૂરી એવું પાણી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે. પરંતુ વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ કેનાલ સમારકામ માંગે છે કેનાલ ઠેર ઠેર લીકેજ થાય છે. કેનાલની સાઇડોનું પ્લાસ્ટર કામ નીકળી જવાના કારણે કેનાલ લીકેજ થઈને પાણી આજુબાજુના ખેતરોમાં ભરાય છે.


અવાર નવાર સર્જાય છે આવી પરિસ્થિતિ 

પાણી એટલા બધા પ્રમાણમાં ખેતરમાં ભરાયા કે તેને જોતા લાગે કે જાણે આ ખેતર નહીં સ્વીમિંગપુલ હોય..! ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે છે.. ખેતરમાં અતિશય પાણી ભરાઈ જવાને કારણે પાક કોહવાઈ ગયો છે તેવી વાત ખેડૂત દ્વારા કરવામાં આવી હતી.. જે સમસ્યા હમણાં સર્જાઈ છે તેવી સમસ્યા પહેલી વખત નથી સર્જાઈ દર ચોમાસામાં આવી સમસ્યા સર્જાય છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી. 


ખેડૂતોને નુકસાની ભોગવવાનો આવે છે વારો 

મહત્વનું છે કે ખેતી કરવા માટે ખેડૂતો પોતાનું બધુ દાવ પર લગાવી દેતા હોય છે. પરંતુ જ્યારે આવી ઘટના બને છે, કમોસમી વરસાદ આવે છે ત્યારે જગતના તાતને રડવાનો વારો આવે છે. તેમને નુકસાની ભોગવવાનો વારો આવે છે. ખેડૂતોનો સવાલ એ છે કે નુકસાનીનું વળતર કોણ આપશે? 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.