Mahisagar : ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! કેનાલમાં લિકેજ થતા અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના ખેડૂતો બન્યા ચિંતિત કારણ કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 12:23:51

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ,  અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે.. કેનાલ લિકેજના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે..  

લિકેજ થવાને કારણે ખેતરમાં ભરાયા પાણી!  

જગતના તાતની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. સારો પાક થાય તે માટે ખેડૂતો પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે.. જીવનની મૂડી લગાવી લેતા હોય છે પરંતુ કોઈ વખત કુદરત તેમનાથી રૂઠતી હોય તેવું લાગે છે તો કોઈ વખત માનવસર્જીત આફતને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે.. કોઈ વખત કેનાલમાં ભ્રષ્ટાચાર રૂપી ગાબડા પડે છે તો કોઈ વખત કેનાલ લીકેજ થવાને કારણે ખેતરમાં પાણી ઘૂસી આવે છે.. અનેક લોકો એવા હોય છે જે પશુ પાલન કરી, ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, અને જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેમને રડવાનો વારો આવે છે.. ખેતર જાણે તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવા દ્રશ્યો મહીસાગરના લુણાવાડાના અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામથી સામે આવ્યા હતા. 


     

કેનાલમાં સમારકામ ના કરાતા... 

ખેતર સુધી પાણી પહોંચી રહે તે માટે કેનાલો બનાવવામાં આવે છે.. કેનાલ બનાવ્યે અનેક વર્ષો થઈ ગયા બાદ પણ સમારકામ નથી કરવામાં આવતું જેને કારણે કેનાલ લીકેજ થવાની સંભાવના રહેતી હોય છે. ત્યારે અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામમાં પણ આવું જ કંઈ બન્યું. ખેતી માટે જરૂરી એવું પાણી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે. પરંતુ વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ કેનાલ સમારકામ માંગે છે કેનાલ ઠેર ઠેર લીકેજ થાય છે. કેનાલની સાઇડોનું પ્લાસ્ટર કામ નીકળી જવાના કારણે કેનાલ લીકેજ થઈને પાણી આજુબાજુના ખેતરોમાં ભરાય છે.


અવાર નવાર સર્જાય છે આવી પરિસ્થિતિ 

પાણી એટલા બધા પ્રમાણમાં ખેતરમાં ભરાયા કે તેને જોતા લાગે કે જાણે આ ખેતર નહીં સ્વીમિંગપુલ હોય..! ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે છે.. ખેતરમાં અતિશય પાણી ભરાઈ જવાને કારણે પાક કોહવાઈ ગયો છે તેવી વાત ખેડૂત દ્વારા કરવામાં આવી હતી.. જે સમસ્યા હમણાં સર્જાઈ છે તેવી સમસ્યા પહેલી વખત નથી સર્જાઈ દર ચોમાસામાં આવી સમસ્યા સર્જાય છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી. 


ખેડૂતોને નુકસાની ભોગવવાનો આવે છે વારો 

મહત્વનું છે કે ખેતી કરવા માટે ખેડૂતો પોતાનું બધુ દાવ પર લગાવી દેતા હોય છે. પરંતુ જ્યારે આવી ઘટના બને છે, કમોસમી વરસાદ આવે છે ત્યારે જગતના તાતને રડવાનો વારો આવે છે. તેમને નુકસાની ભોગવવાનો વારો આવે છે. ખેડૂતોનો સવાલ એ છે કે નુકસાનીનું વળતર કોણ આપશે? 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.