મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, કારની ટક્કરથી પાંચના મોત, ત્રણ ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-18 13:52:42

મહારાષ્ટ્રમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો છે. અહીંના ખોપોલી વિસ્તારમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક કારે બીજા વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. ઘાયલ લોકોને એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

5 killed as car hits another vehicle on Mumbai-Pune Expressway

આ અકસ્માત ગુરુવારે મધ્યરાત્રિની આસપાસ ઠેકુ ગામ નજીક થયો હતો. કાર પુણેથી મુંબઈ જઈ રહી હતી. જ્યારે તેણે 12 વાગ્યાની આસપાસ પાછળથી ટ્રકને ટક્કર મારી હતી. કારમાં નવ લોકો સવાર હતા. ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિએ હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ દમ તોડ્યો હતો.


ખોપોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મૃતકો પુરુષો હતા, જ્યારે ચાર ઘાયલોમાં એક મહિલા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું કે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.