મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, કારની ટક્કરથી પાંચના મોત, ત્રણ ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-18 13:52:42

મહારાષ્ટ્રમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો છે. અહીંના ખોપોલી વિસ્તારમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક કારે બીજા વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. ઘાયલ લોકોને એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

5 killed as car hits another vehicle on Mumbai-Pune Expressway

આ અકસ્માત ગુરુવારે મધ્યરાત્રિની આસપાસ ઠેકુ ગામ નજીક થયો હતો. કાર પુણેથી મુંબઈ જઈ રહી હતી. જ્યારે તેણે 12 વાગ્યાની આસપાસ પાછળથી ટ્રકને ટક્કર મારી હતી. કારમાં નવ લોકો સવાર હતા. ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિએ હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ દમ તોડ્યો હતો.


ખોપોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મૃતકો પુરુષો હતા, જ્યારે ચાર ઘાયલોમાં એક મહિલા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું કે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.