પાકિસ્તાનના ખૈબર પૂખ્તૂન્ખ્વામાં મોટો આત્મઘાતી હુમલો, 24 સૈનિકોના મોત, 4 આતંકી ઠાર


  • Published By :
  • Published Date : 2023-12-12 16:11:29

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો છે. ડેરા ઈસ્માઈલ જિલ્લાના દારાબા વિસ્તારમાં આત્મઘાતી હુમલામાં હુમલો થયો હતો. વિસ્ફોટકોથી ભરેલી કાર એક ઈમારત સાથે ટકરાવી દેતા બે ડઝનથી વધુ પાકિસ્તાન આર્મીના જવાનોના મોત થયા હતા. જ્યારે 34 જવાનો ઘાયલ થયા હતા. ડેરા ઈસ્માઈલ તહેરીક એ જેહાદ પાકિસ્તાન (TJP)આતંકીઓનો ગઢ છે, આ જિલ્લો ખૈબર પૂખ્તૂન્ખ્વાની નજીક છે.


4 આતંકી થયા ઠાર


આતંકીઓએ એક પોલીસ સ્ટેશન અને આર્મી બેઝને નિશાન બનાવ્યા હતા, આ હુમલામાં 24 જવાનો મારા ગયા છે. સુરક્ષા દળોએ ફાયરિંગ દરમિયાન 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓ આર્મી યુનિફોર્મમાં આવ્યા હતા. 


TJPએ કરાવ્યા હતા હુમલા


આ હુમલાની જવાબદારી તહેરીક એ જેહાદ પાકિસ્તાન(TJP)એ લીધી છે. આ સંગઠનના પ્રવકતા મુલ્લા મોહમ્મદ કાસિમે હુમલાની જવાબદારી લીધી હતી, પાકિસ્તાનમાં કેટલાક મોટા હુમલા પાછળ આ જેહાદી સંગઠનનો હાથ રહ્યો છે. આ પ્રાંતમાં થયેલા વિવિધ આતંકી હુમલામાં 470 સુરક્ષાકર્મી અને નાગરિકોના મોત નિપજ્યા છે. ખૈબર પૂખ્તૂન્ખ્વામાં છેલ્લા એક વર્ષમાં 1050 આતંકી ઘટનાઓ થઈ છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.