પાકિસ્તાનના ખૈબર પૂખ્તૂન્ખ્વામાં મોટો આત્મઘાતી હુમલો, 24 સૈનિકોના મોત, 4 આતંકી ઠાર


  • Published By :
  • Published Date : 2023-12-12 16:11:29

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો છે. ડેરા ઈસ્માઈલ જિલ્લાના દારાબા વિસ્તારમાં આત્મઘાતી હુમલામાં હુમલો થયો હતો. વિસ્ફોટકોથી ભરેલી કાર એક ઈમારત સાથે ટકરાવી દેતા બે ડઝનથી વધુ પાકિસ્તાન આર્મીના જવાનોના મોત થયા હતા. જ્યારે 34 જવાનો ઘાયલ થયા હતા. ડેરા ઈસ્માઈલ તહેરીક એ જેહાદ પાકિસ્તાન (TJP)આતંકીઓનો ગઢ છે, આ જિલ્લો ખૈબર પૂખ્તૂન્ખ્વાની નજીક છે.


4 આતંકી થયા ઠાર


આતંકીઓએ એક પોલીસ સ્ટેશન અને આર્મી બેઝને નિશાન બનાવ્યા હતા, આ હુમલામાં 24 જવાનો મારા ગયા છે. સુરક્ષા દળોએ ફાયરિંગ દરમિયાન 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓ આર્મી યુનિફોર્મમાં આવ્યા હતા. 


TJPએ કરાવ્યા હતા હુમલા


આ હુમલાની જવાબદારી તહેરીક એ જેહાદ પાકિસ્તાન(TJP)એ લીધી છે. આ સંગઠનના પ્રવકતા મુલ્લા મોહમ્મદ કાસિમે હુમલાની જવાબદારી લીધી હતી, પાકિસ્તાનમાં કેટલાક મોટા હુમલા પાછળ આ જેહાદી સંગઠનનો હાથ રહ્યો છે. આ પ્રાંતમાં થયેલા વિવિધ આતંકી હુમલામાં 470 સુરક્ષાકર્મી અને નાગરિકોના મોત નિપજ્યા છે. ખૈબર પૂખ્તૂન્ખ્વામાં છેલ્લા એક વર્ષમાં 1050 આતંકી ઘટનાઓ થઈ છે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .