Maldives : President મુઈઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ!, માલદીવના નેતાઓ બીજું શું માંગે છે?


  • Published By :
  • Published Date : 2024-01-09 13:20:51

પીએમ મોદીએ લક્ષદ્વીપનો પ્રચાર કર્યો તે બાદ વિવાદ છેડાઈ ગયો.  માલદિવ્સે જાણે પોતાના પગ ઉપર કુલ્હાડી મારી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. પીએમ મોદીના ફોટો પર માલદિવ્સના નેતાઓએ કમેન્ટ કરી હતી અને તે બાદ વિવાદ છેડાઈ ગયો. ફોટાને લઈ શરૂ થયેલી રાજનીતિ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી ગઈ. ભારત અને પીએમ મોદી વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ ત્રણ નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી. તે બાદ રાજનીતિ ગરમાઈ રહી છે. ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસનો મત લાવવાની માંગ કરવામાં આવી છે.   

માલદીવમાં રાષ્ટ્રપતિ વિરૂદ્ધ અવિશ્વાસ લાવવાની તૈયારી!

છેલ્લા ઘણા દિવસોથી ભારતનું લક્ષદ્વીપ અને માલદિવ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. પીએમ મોદીએ લક્ષદ્વીપને લઈ પોસ્ટ કરી હતી તે બાદ વિવાદ છેડાઈ ગયો. પીએમ મોદીના ફોટા પર માલદીવ્સના ત્રણ નેતાઓએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારત સાથેના વિવાદ બાદ માલદીવમાં રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. માલદીવની વિપક્ષની પાર્ટી (માલદીવ્સ ડેમોક્રેટિક પાર્ટી)ના નેતા અલી અઝીમે કહ્યું છે કે આપણે દેશની વિદેશ નીતિને મજબૂત બનાવી રાખવી પડશે. 


સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું બોયકોટ માલદીવ્સ 

માલદીવના વિરોધ પક્ષના નેતા અલી અઝીમે કહ્યું છે કે 'આપણે દેશની વિદેશ નીતિને મજબૂત રાખવી પડશે.' આ પહેલા માલદીવના પૂર્વ રક્ષા મંત્રી મારિયા અહેમદે પણ ભારતના વખાણ કર્યા હતા અને રાષ્ટ્રપતિ મુઈઝુના વહીવટની ટીકા કરી હતી. કહ્યું હતું કે 'ભારત આપણા માટે એક મિત્ર જેવો પાડોશી દેશ છે જે ઈમરજન્સીમાં મદદ કરે છે.' મહત્વનું છે કે આ વિવાદ બાદ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી. ભારતીયોએ પોતાનું માલદીવ્સનું બુકિંગ કેન્સલ કરાવ્યું. સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડ થયું. મહત્વનું છે કે માલદીવ્સનું અર્થતંત્ર પ્રવાસન પર આધારીત છે.       



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .