Maldives : President મુઈઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ!, માલદીવના નેતાઓ બીજું શું માંગે છે?


  • Published By :
  • Published Date : 2024-01-09 13:20:51

પીએમ મોદીએ લક્ષદ્વીપનો પ્રચાર કર્યો તે બાદ વિવાદ છેડાઈ ગયો.  માલદિવ્સે જાણે પોતાના પગ ઉપર કુલ્હાડી મારી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. પીએમ મોદીના ફોટો પર માલદિવ્સના નેતાઓએ કમેન્ટ કરી હતી અને તે બાદ વિવાદ છેડાઈ ગયો. ફોટાને લઈ શરૂ થયેલી રાજનીતિ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી ગઈ. ભારત અને પીએમ મોદી વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ ત્રણ નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી. તે બાદ રાજનીતિ ગરમાઈ રહી છે. ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસનો મત લાવવાની માંગ કરવામાં આવી છે.   

માલદીવમાં રાષ્ટ્રપતિ વિરૂદ્ધ અવિશ્વાસ લાવવાની તૈયારી!

છેલ્લા ઘણા દિવસોથી ભારતનું લક્ષદ્વીપ અને માલદિવ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. પીએમ મોદીએ લક્ષદ્વીપને લઈ પોસ્ટ કરી હતી તે બાદ વિવાદ છેડાઈ ગયો. પીએમ મોદીના ફોટા પર માલદીવ્સના ત્રણ નેતાઓએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારત સાથેના વિવાદ બાદ માલદીવમાં રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. માલદીવની વિપક્ષની પાર્ટી (માલદીવ્સ ડેમોક્રેટિક પાર્ટી)ના નેતા અલી અઝીમે કહ્યું છે કે આપણે દેશની વિદેશ નીતિને મજબૂત બનાવી રાખવી પડશે. 


સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું બોયકોટ માલદીવ્સ 

માલદીવના વિરોધ પક્ષના નેતા અલી અઝીમે કહ્યું છે કે 'આપણે દેશની વિદેશ નીતિને મજબૂત રાખવી પડશે.' આ પહેલા માલદીવના પૂર્વ રક્ષા મંત્રી મારિયા અહેમદે પણ ભારતના વખાણ કર્યા હતા અને રાષ્ટ્રપતિ મુઈઝુના વહીવટની ટીકા કરી હતી. કહ્યું હતું કે 'ભારત આપણા માટે એક મિત્ર જેવો પાડોશી દેશ છે જે ઈમરજન્સીમાં મદદ કરે છે.' મહત્વનું છે કે આ વિવાદ બાદ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી. ભારતીયોએ પોતાનું માલદીવ્સનું બુકિંગ કેન્સલ કરાવ્યું. સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડ થયું. મહત્વનું છે કે માલદીવ્સનું અર્થતંત્ર પ્રવાસન પર આધારીત છે.       



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.