મલ્લિકાર્જુન ખડગેને સીએમ બનાવા ઉઠી માગ! જાણો કોણે કોંગ્રેસ હાઈ કમાન્ડ સામે કરી આ અંગે રજૂઆત?


  • Published By :
  • Published Date : 2023-05-17 11:55:13

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે. પરિણામ આવે અનેક દિવસો વીતિ ગયા પરંતુ કર્ણાટકની કમાન કોણ સંભાળશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર સીએમ પદના દાવેદાર હતા. પરંતુ કોઈ નિર્ણય નથી લેવાઈ શક્યો. બેઠકોનો દોર હાલ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે સિદ્ધારમૈયા અને શિવકુમારે હાઈ કમાન્ડ સામે એક પ્રસ્તાવ મૂક્યો છે. જે મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકના સીએમ બનાવી દેવામાં આવે. મળતી માહિતી અનુસાર આ પ્રપોઝલ પર વિચારણા કરવામાં આવશે અને રાહુલ ગાંધી બેઠક કરી શકે છે.    


રાહુલ ગાંધી સાથે કરશે બેઠક!

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 10 મેના રોજ હાથ ધરવામાં આવી હતી. જેનું પરિણામ 13 મેના રોજ આવ્યું હતું જેમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસને જીત હાંસલ થઈ પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અસમંજસ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે. ડી.કે શિવકુમાર તેમજ સિદ્ધારમૈયા સીએમ પદના દાવેદાર છે. પરંતુ મુખ્યમંત્રી અંગે નામ ફાઈનલ કરવામાં નથી આવ્યું. કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. સિદ્ધારમૈયાના સમર્થનમાં અનેક ધારાસભ્યો છે તેવો દાવો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.