મલ્લિકાર્જુન ખડગેને સીએમ બનાવા ઉઠી માગ! જાણો કોણે કોંગ્રેસ હાઈ કમાન્ડ સામે કરી આ અંગે રજૂઆત?


  • Published By :
  • Published Date : 2023-05-17 11:55:13

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે. પરિણામ આવે અનેક દિવસો વીતિ ગયા પરંતુ કર્ણાટકની કમાન કોણ સંભાળશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર સીએમ પદના દાવેદાર હતા. પરંતુ કોઈ નિર્ણય નથી લેવાઈ શક્યો. બેઠકોનો દોર હાલ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે સિદ્ધારમૈયા અને શિવકુમારે હાઈ કમાન્ડ સામે એક પ્રસ્તાવ મૂક્યો છે. જે મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકના સીએમ બનાવી દેવામાં આવે. મળતી માહિતી અનુસાર આ પ્રપોઝલ પર વિચારણા કરવામાં આવશે અને રાહુલ ગાંધી બેઠક કરી શકે છે.    


રાહુલ ગાંધી સાથે કરશે બેઠક!

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 10 મેના રોજ હાથ ધરવામાં આવી હતી. જેનું પરિણામ 13 મેના રોજ આવ્યું હતું જેમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસને જીત હાંસલ થઈ પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અસમંજસ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે. ડી.કે શિવકુમાર તેમજ સિદ્ધારમૈયા સીએમ પદના દાવેદાર છે. પરંતુ મુખ્યમંત્રી અંગે નામ ફાઈનલ કરવામાં નથી આવ્યું. કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. સિદ્ધારમૈયાના સમર્થનમાં અનેક ધારાસભ્યો છે તેવો દાવો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.