મલ્લિકાર્જુન ખડગેને સીએમ બનાવા ઉઠી માગ! જાણો કોણે કોંગ્રેસ હાઈ કમાન્ડ સામે કરી આ અંગે રજૂઆત?


  • Published By :
  • Published Date : 2023-05-17 11:55:13

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે. પરિણામ આવે અનેક દિવસો વીતિ ગયા પરંતુ કર્ણાટકની કમાન કોણ સંભાળશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર સીએમ પદના દાવેદાર હતા. પરંતુ કોઈ નિર્ણય નથી લેવાઈ શક્યો. બેઠકોનો દોર હાલ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે સિદ્ધારમૈયા અને શિવકુમારે હાઈ કમાન્ડ સામે એક પ્રસ્તાવ મૂક્યો છે. જે મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકના સીએમ બનાવી દેવામાં આવે. મળતી માહિતી અનુસાર આ પ્રપોઝલ પર વિચારણા કરવામાં આવશે અને રાહુલ ગાંધી બેઠક કરી શકે છે.    


રાહુલ ગાંધી સાથે કરશે બેઠક!

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 10 મેના રોજ હાથ ધરવામાં આવી હતી. જેનું પરિણામ 13 મેના રોજ આવ્યું હતું જેમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસને જીત હાંસલ થઈ પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અસમંજસ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે. ડી.કે શિવકુમાર તેમજ સિદ્ધારમૈયા સીએમ પદના દાવેદાર છે. પરંતુ મુખ્યમંત્રી અંગે નામ ફાઈનલ કરવામાં નથી આવ્યું. કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. સિદ્ધારમૈયાના સમર્થનમાં અનેક ધારાસભ્યો છે તેવો દાવો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.