મલ્લિકાર્જુન ખડગેને સીએમ બનાવા ઉઠી માગ! જાણો કોણે કોંગ્રેસ હાઈ કમાન્ડ સામે કરી આ અંગે રજૂઆત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-17 11:55:13

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે. પરિણામ આવે અનેક દિવસો વીતિ ગયા પરંતુ કર્ણાટકની કમાન કોણ સંભાળશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર સીએમ પદના દાવેદાર હતા. પરંતુ કોઈ નિર્ણય નથી લેવાઈ શક્યો. બેઠકોનો દોર હાલ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે સિદ્ધારમૈયા અને શિવકુમારે હાઈ કમાન્ડ સામે એક પ્રસ્તાવ મૂક્યો છે. જે મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકના સીએમ બનાવી દેવામાં આવે. મળતી માહિતી અનુસાર આ પ્રપોઝલ પર વિચારણા કરવામાં આવશે અને રાહુલ ગાંધી બેઠક કરી શકે છે.    


રાહુલ ગાંધી સાથે કરશે બેઠક!

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 10 મેના રોજ હાથ ધરવામાં આવી હતી. જેનું પરિણામ 13 મેના રોજ આવ્યું હતું જેમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસને જીત હાંસલ થઈ પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અસમંજસ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે. ડી.કે શિવકુમાર તેમજ સિદ્ધારમૈયા સીએમ પદના દાવેદાર છે. પરંતુ મુખ્યમંત્રી અંગે નામ ફાઈનલ કરવામાં નથી આવ્યું. કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. સિદ્ધારમૈયાના સમર્થનમાં અનેક ધારાસભ્યો છે તેવો દાવો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. 



ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.