ચૂંટણી પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પીએમની કરી રાવણ સાથે તુલના, ભાજપે કહ્યું પીએમ ગુજરાતના પુત્ર છે


  • Published By :
  • Published Date : 2022-11-29 15:13:57

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના સંબોધન દરમિયાન ખડગેએ ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં ખડગેએ પીએમ મોદીના ચહેરા પર મતદાન થવાનું છે તે વાત પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં ખડગેએ કહ્યું કે તમારો ચહેરો કેટલી વાર જોઈએ. પોતાના સંબોધનમાં તેમણે રાવણ પણ કહી દીધા હતા. એનો વળતો જવાબ ભાજપે આપ્યો છે.


મલ્લિકાર્જુન ખડગેએ કર્યા વડાપ્રધાન મોદી પર પ્રહાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાને હવે માત્ર ગણતરીના દિવસો અથવા તો ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાજપે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રહારો પર જવાબ આપ્યો છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જેને અર્થ એવો થાય છે કે દરેક ચૂંટણીમાં ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર પ્રચાર કરે છે અથવા તો તેમના ચહેરા પર મત માગે છે. તેમણે કહ્યું કે દરેક જગ્યા પર તેમનો ચહેરો જ, વડાપ્રધાન મોદી પાસે કેટલા ચહેરા છે? શું તમારી પાસે રાવણની જેમ 100 ચહેરા છે?

આ માત્ર પીએમનું અપમાન નહીં પરંતુ ગુજરાતીઓનું અપમાન છે - ભાજપ

ત્યારે આ ટિપ્પણીને લઈ ભાજપે વિરોધ દર્શાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પુત્ર છે. એ ગુજરાતી છે, ગુજરાતના સ્વાભિમાનનું રૂપ છે. વડાપ્રધાન મોદીને રાવણ કહેવીએ પીએમનું અપમાન નથી તમામ ગુજરાતીઓનું અપમાન છે.      




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.