ચૂંટણી પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પીએમની કરી રાવણ સાથે તુલના, ભાજપે કહ્યું પીએમ ગુજરાતના પુત્ર છે


  • Published By :
  • Published Date : 2022-11-29 15:13:57

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના સંબોધન દરમિયાન ખડગેએ ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં ખડગેએ પીએમ મોદીના ચહેરા પર મતદાન થવાનું છે તે વાત પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં ખડગેએ કહ્યું કે તમારો ચહેરો કેટલી વાર જોઈએ. પોતાના સંબોધનમાં તેમણે રાવણ પણ કહી દીધા હતા. એનો વળતો જવાબ ભાજપે આપ્યો છે.


મલ્લિકાર્જુન ખડગેએ કર્યા વડાપ્રધાન મોદી પર પ્રહાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાને હવે માત્ર ગણતરીના દિવસો અથવા તો ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાજપે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રહારો પર જવાબ આપ્યો છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જેને અર્થ એવો થાય છે કે દરેક ચૂંટણીમાં ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર પ્રચાર કરે છે અથવા તો તેમના ચહેરા પર મત માગે છે. તેમણે કહ્યું કે દરેક જગ્યા પર તેમનો ચહેરો જ, વડાપ્રધાન મોદી પાસે કેટલા ચહેરા છે? શું તમારી પાસે રાવણની જેમ 100 ચહેરા છે?

આ માત્ર પીએમનું અપમાન નહીં પરંતુ ગુજરાતીઓનું અપમાન છે - ભાજપ

ત્યારે આ ટિપ્પણીને લઈ ભાજપે વિરોધ દર્શાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પુત્ર છે. એ ગુજરાતી છે, ગુજરાતના સ્વાભિમાનનું રૂપ છે. વડાપ્રધાન મોદીને રાવણ કહેવીએ પીએમનું અપમાન નથી તમામ ગુજરાતીઓનું અપમાન છે.      




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.