ચૂંટણી પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પીએમની કરી રાવણ સાથે તુલના, ભાજપે કહ્યું પીએમ ગુજરાતના પુત્ર છે


  • Published By :
  • Published Date : 2022-11-29 15:13:57

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના સંબોધન દરમિયાન ખડગેએ ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં ખડગેએ પીએમ મોદીના ચહેરા પર મતદાન થવાનું છે તે વાત પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં ખડગેએ કહ્યું કે તમારો ચહેરો કેટલી વાર જોઈએ. પોતાના સંબોધનમાં તેમણે રાવણ પણ કહી દીધા હતા. એનો વળતો જવાબ ભાજપે આપ્યો છે.


મલ્લિકાર્જુન ખડગેએ કર્યા વડાપ્રધાન મોદી પર પ્રહાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાને હવે માત્ર ગણતરીના દિવસો અથવા તો ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાજપે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રહારો પર જવાબ આપ્યો છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જેને અર્થ એવો થાય છે કે દરેક ચૂંટણીમાં ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર પ્રચાર કરે છે અથવા તો તેમના ચહેરા પર મત માગે છે. તેમણે કહ્યું કે દરેક જગ્યા પર તેમનો ચહેરો જ, વડાપ્રધાન મોદી પાસે કેટલા ચહેરા છે? શું તમારી પાસે રાવણની જેમ 100 ચહેરા છે?

આ માત્ર પીએમનું અપમાન નહીં પરંતુ ગુજરાતીઓનું અપમાન છે - ભાજપ

ત્યારે આ ટિપ્પણીને લઈ ભાજપે વિરોધ દર્શાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પુત્ર છે. એ ગુજરાતી છે, ગુજરાતના સ્વાભિમાનનું રૂપ છે. વડાપ્રધાન મોદીને રાવણ કહેવીએ પીએમનું અપમાન નથી તમામ ગુજરાતીઓનું અપમાન છે.      




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે