ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના સંબોધન દરમિયાન ખડગેએ ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં ખડગેએ પીએમ મોદીના ચહેરા પર મતદાન થવાનું છે તે વાત પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં ખડગેએ કહ્યું કે તમારો ચહેરો કેટલી વાર જોઈએ. પોતાના સંબોધનમાં તેમણે રાવણ પણ કહી દીધા હતા. એનો વળતો જવાબ ભાજપે આપ્યો છે.
મલ્લિકાર્જુન ખડગેએ કર્યા વડાપ્રધાન મોદી પર પ્રહાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાને હવે માત્ર ગણતરીના દિવસો અથવા તો ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાજપે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રહારો પર જવાબ આપ્યો છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જેને અર્થ એવો થાય છે કે દરેક ચૂંટણીમાં ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર પ્રચાર કરે છે અથવા તો તેમના ચહેરા પર મત માગે છે. તેમણે કહ્યું કે દરેક જગ્યા પર તેમનો ચહેરો જ, વડાપ્રધાન મોદી પાસે કેટલા ચહેરા છે? શું તમારી પાસે રાવણની જેમ 100 ચહેરા છે?
आज मैं प्रत्येक गुजराती से अपील करते हूँ कि जिस कांग्रेस नेता ने गुजरात के बेटे के खिलाफ, गुजरात के सम्मान के खिलाफ, ऐसे शब्दों का प्रयोग किया है, गुजरात उनको सबक सिखाए।
वोट की चोट कर आप लोकतांत्रिक तरीके से इसका बदला लें। pic.twitter.com/FXdmMN8gnZ
— Sambit Patra (@sambitswaraj) November 29, 2022
આ માત્ર પીએમનું અપમાન નહીં પરંતુ ગુજરાતીઓનું અપમાન છે - ભાજપ
आज मैं प्रत्येक गुजराती से अपील करते हूँ कि जिस कांग्रेस नेता ने गुजरात के बेटे के खिलाफ, गुजरात के सम्मान के खिलाफ, ऐसे शब्दों का प्रयोग किया है, गुजरात उनको सबक सिखाए।
वोट की चोट कर आप लोकतांत्रिक तरीके से इसका बदला लें। pic.twitter.com/FXdmMN8gnZ
ત્યારે આ ટિપ્પણીને લઈ ભાજપે વિરોધ દર્શાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પુત્ર છે. એ ગુજરાતી છે, ગુજરાતના સ્વાભિમાનનું રૂપ છે. વડાપ્રધાન મોદીને રાવણ કહેવીએ પીએમનું અપમાન નથી તમામ ગુજરાતીઓનું અપમાન છે.






.jpg)








