કોંગ્રેસ પ્રમુખનું પદ સંભાળતા જ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના યુવા નેતાઓ માટે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-10-26 12:34:06

કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પોતાનું પદ સંભાળી લીધું છે. આ પ્રસંગે તેમને સોનિયા અને રાહુલ ગાંધી સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસના નેતાઓને સંબોધતા ખડગેએ કહ્યું કે, એક સામાન્ય કાર્યકરને અધ્યક્ષ બનાવવા બદલ હું તમારો આભાર માનું છું. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે. સોનિયા ગાંધીજીએ પક્ષને ખંતપૂર્વક સંભાળ્યો છે. હું પણ મહેનત અને ઈમાનદારીથી કામ કરીશ. આ પ્રસંગે તેમણે સંગઠનની 50 ટકા જગ્યાઓ 50 વર્ષથી ઓછી વયના નેતાઓ માટે અનામત રાખવાની પણ જાહેરાત કરી હતી.


મોદી સરકાર પર કર્યા પ્રહાર


આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ન્યુ ઈન્ડિયામાં કોઈ રોજગાર નથી. દેશમાં મોંઘવારી તેની ટોચ પર છે. સરકાર સૂઈ રહી છે. ઈડી અને સીબીઆઈ દ્વારા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આજના રાજકારણમાં અસત્યનું વર્ચસ્વ છે.



વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.