કોંગ્રેસ પ્રમુખનું પદ સંભાળતા જ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના યુવા નેતાઓ માટે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-10-26 12:34:06

કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પોતાનું પદ સંભાળી લીધું છે. આ પ્રસંગે તેમને સોનિયા અને રાહુલ ગાંધી સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસના નેતાઓને સંબોધતા ખડગેએ કહ્યું કે, એક સામાન્ય કાર્યકરને અધ્યક્ષ બનાવવા બદલ હું તમારો આભાર માનું છું. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે. સોનિયા ગાંધીજીએ પક્ષને ખંતપૂર્વક સંભાળ્યો છે. હું પણ મહેનત અને ઈમાનદારીથી કામ કરીશ. આ પ્રસંગે તેમણે સંગઠનની 50 ટકા જગ્યાઓ 50 વર્ષથી ઓછી વયના નેતાઓ માટે અનામત રાખવાની પણ જાહેરાત કરી હતી.


મોદી સરકાર પર કર્યા પ્રહાર


આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ન્યુ ઈન્ડિયામાં કોઈ રોજગાર નથી. દેશમાં મોંઘવારી તેની ટોચ પર છે. સરકાર સૂઈ રહી છે. ઈડી અને સીબીઆઈ દ્વારા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આજના રાજકારણમાં અસત્યનું વર્ચસ્વ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.