કોંગ્રેસ પ્રમુખનું પદ સંભાળતા જ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના યુવા નેતાઓ માટે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-10-26 12:34:06

કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પોતાનું પદ સંભાળી લીધું છે. આ પ્રસંગે તેમને સોનિયા અને રાહુલ ગાંધી સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસના નેતાઓને સંબોધતા ખડગેએ કહ્યું કે, એક સામાન્ય કાર્યકરને અધ્યક્ષ બનાવવા બદલ હું તમારો આભાર માનું છું. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે. સોનિયા ગાંધીજીએ પક્ષને ખંતપૂર્વક સંભાળ્યો છે. હું પણ મહેનત અને ઈમાનદારીથી કામ કરીશ. આ પ્રસંગે તેમણે સંગઠનની 50 ટકા જગ્યાઓ 50 વર્ષથી ઓછી વયના નેતાઓ માટે અનામત રાખવાની પણ જાહેરાત કરી હતી.


મોદી સરકાર પર કર્યા પ્રહાર


આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ન્યુ ઈન્ડિયામાં કોઈ રોજગાર નથી. દેશમાં મોંઘવારી તેની ટોચ પર છે. સરકાર સૂઈ રહી છે. ઈડી અને સીબીઆઈ દ્વારા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આજના રાજકારણમાં અસત્યનું વર્ચસ્વ છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .