કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ PM મોદીને લખ્યો પત્ર, દેશભરમાં કરાવવામાં આવે જાતિ આધારીત વસ્તી ગણતરી


  • Published By :
  • Published Date : 2023-04-17 14:20:47

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સમગ્ર દેશમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાની માગ કરતો પત્ર પીએમ મોદીને લખ્યો છે. પીએમને લખેલા આ પત્રમાં ખડગેએ લખ્યું છે કે પ્રિય પ્રધાનમંત્રીજી હું ફરી એક વખત નવેસરથી જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવો. તેમણે લખ્યું કે વસ્તી ગણતરી માટે સત્તાવાર રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માંગને લઈને તમને હું આ પત્ર લખી રહ્યો છું. મારા સહયોગીઓએ અને મેં પણ અનેક વખત સંસદના બંને ગૃહોમાં આ માંગ ઉઠાવી છે. અન્ય વિપક્ષી પાર્ટીના નેતાઓએ પણ આ જ માગ કરી રહ્યા છે. 


2021માં યોજાવાની હતી વસ્તી ગણતરી


ખરગેએ પીએમ મોદીને લખ્યું કે વર્ષ 2021માં નિયમિત દસ વર્ષિય વસ્તી ગણતરી યોજાવાની હતી, પરંતું તે થઈ શકી નથી. અમે માગ કરી રહ્યા છીએ કે તે તાત્કાલિક વસ્તી ગણતરી કરવામાં આવે અને વ્યાપક જાતિ આધારીત વસ્તી ગણતરીને તેનો અભિન્ન અંગ બનાવવામાં આવે. તેમણે વધુમાં લખ્યું કે મને આશંકા છે કે જાતિ આધારીત વસ્તી ગણતરીના અભાવમાં સામાજીક ન્યાયના કાર્યક્રમો માટે ડેટા અધુરો છે. 


જેટલી વસ્તી, એટલા અધિકાર!


કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે જેટલી વસ્તી, એટલા અધિકાર! કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમને પત્ર લખીને માંગણી કરી છે કે 2021માં જે વસ્તીગણતરી થવાની હતી તે તાત્કાલિક હાથ ધરવામાં આવે અને જાતિ ગણતરીને તેનો અભિન્ન ભાગ બનાવવામાં આવે. જયરામ રમેશે પણ કહ્યું કે આનાથી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મજબૂત થશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.