કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ PM મોદીને લખ્યો પત્ર, દેશભરમાં કરાવવામાં આવે જાતિ આધારીત વસ્તી ગણતરી


  • Published By :
  • Published Date : 2023-04-17 14:20:47

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સમગ્ર દેશમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાની માગ કરતો પત્ર પીએમ મોદીને લખ્યો છે. પીએમને લખેલા આ પત્રમાં ખડગેએ લખ્યું છે કે પ્રિય પ્રધાનમંત્રીજી હું ફરી એક વખત નવેસરથી જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવો. તેમણે લખ્યું કે વસ્તી ગણતરી માટે સત્તાવાર રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માંગને લઈને તમને હું આ પત્ર લખી રહ્યો છું. મારા સહયોગીઓએ અને મેં પણ અનેક વખત સંસદના બંને ગૃહોમાં આ માંગ ઉઠાવી છે. અન્ય વિપક્ષી પાર્ટીના નેતાઓએ પણ આ જ માગ કરી રહ્યા છે. 


2021માં યોજાવાની હતી વસ્તી ગણતરી


ખરગેએ પીએમ મોદીને લખ્યું કે વર્ષ 2021માં નિયમિત દસ વર્ષિય વસ્તી ગણતરી યોજાવાની હતી, પરંતું તે થઈ શકી નથી. અમે માગ કરી રહ્યા છીએ કે તે તાત્કાલિક વસ્તી ગણતરી કરવામાં આવે અને વ્યાપક જાતિ આધારીત વસ્તી ગણતરીને તેનો અભિન્ન અંગ બનાવવામાં આવે. તેમણે વધુમાં લખ્યું કે મને આશંકા છે કે જાતિ આધારીત વસ્તી ગણતરીના અભાવમાં સામાજીક ન્યાયના કાર્યક્રમો માટે ડેટા અધુરો છે. 


જેટલી વસ્તી, એટલા અધિકાર!


કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે જેટલી વસ્તી, એટલા અધિકાર! કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમને પત્ર લખીને માંગણી કરી છે કે 2021માં જે વસ્તીગણતરી થવાની હતી તે તાત્કાલિક હાથ ધરવામાં આવે અને જાતિ ગણતરીને તેનો અભિન્ન ભાગ બનાવવામાં આવે. જયરામ રમેશે પણ કહ્યું કે આનાથી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મજબૂત થશે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.