કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ PM મોદીને લખ્યો પત્ર, દેશભરમાં કરાવવામાં આવે જાતિ આધારીત વસ્તી ગણતરી


  • Published By :
  • Published Date : 2023-04-17 14:20:47

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સમગ્ર દેશમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાની માગ કરતો પત્ર પીએમ મોદીને લખ્યો છે. પીએમને લખેલા આ પત્રમાં ખડગેએ લખ્યું છે કે પ્રિય પ્રધાનમંત્રીજી હું ફરી એક વખત નવેસરથી જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવો. તેમણે લખ્યું કે વસ્તી ગણતરી માટે સત્તાવાર રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માંગને લઈને તમને હું આ પત્ર લખી રહ્યો છું. મારા સહયોગીઓએ અને મેં પણ અનેક વખત સંસદના બંને ગૃહોમાં આ માંગ ઉઠાવી છે. અન્ય વિપક્ષી પાર્ટીના નેતાઓએ પણ આ જ માગ કરી રહ્યા છે. 


2021માં યોજાવાની હતી વસ્તી ગણતરી


ખરગેએ પીએમ મોદીને લખ્યું કે વર્ષ 2021માં નિયમિત દસ વર્ષિય વસ્તી ગણતરી યોજાવાની હતી, પરંતું તે થઈ શકી નથી. અમે માગ કરી રહ્યા છીએ કે તે તાત્કાલિક વસ્તી ગણતરી કરવામાં આવે અને વ્યાપક જાતિ આધારીત વસ્તી ગણતરીને તેનો અભિન્ન અંગ બનાવવામાં આવે. તેમણે વધુમાં લખ્યું કે મને આશંકા છે કે જાતિ આધારીત વસ્તી ગણતરીના અભાવમાં સામાજીક ન્યાયના કાર્યક્રમો માટે ડેટા અધુરો છે. 


જેટલી વસ્તી, એટલા અધિકાર!


કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે જેટલી વસ્તી, એટલા અધિકાર! કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમને પત્ર લખીને માંગણી કરી છે કે 2021માં જે વસ્તીગણતરી થવાની હતી તે તાત્કાલિક હાથ ધરવામાં આવે અને જાતિ ગણતરીને તેનો અભિન્ન ભાગ બનાવવામાં આવે. જયરામ રમેશે પણ કહ્યું કે આનાથી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મજબૂત થશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.