સંસદમાં મલ્લિકાર્જૂન ખડગેએ ઉઠાવ્યો અદાણીનો મુદ્દો, જાણો કયા-કયા મુદ્દાઓ પર સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-02-08 17:14:29

સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સંસદમાં હોબાળો કરવામાં આવે છે. ત્યારે સંસદમાં બજેટ સત્રનો આઠમો દિવસ છે. બુધવારે પણ સંસદમાં હોબાળો થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમના નિવેદન પર ભાજપના સાંસદોએ હોબાળો કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી સદનમાં ઓછા દેખાય છે. સંસદ ચાલી રહી છે તો અહીંયા વધારે ધ્યાન આપે તો સારૂ રહેશે.


અદાણી મુદ્દે ખડગેએ સરકારને ઘેરી 

અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. અનેક વખત હોબાળો થયો છે અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. મંગળવારે સંસદમાં ભારે હોબાળો થયો હતો. રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સરકારને ઘેર્યા હતા. ત્યારે આજે પણ વિપક્ષના નેતા આક્રામક રૂપમાં દેખાયા હતા. અદાણી મુદ્દે ખડગેએ કહ્યું કે એક વ્યક્તિ જેની સંપત્તિ દોઢ વર્ષમાં 13 ગણી વધી છે.  2019માં એક લાખ કરોડની થઈ ગઈ. અચાનક એવો જાદુ થયો કે તેમની સંપત્તિ 12 લાખ કરોડ વધી ગઈ. હિંડનબર્ગની રિપોર્ટને બીજેપી નથી માની રહી પરંતુ આની તપાસ જેપીસી દ્વારા કરવામાં આવી જોઈએ.    


એવું બોલ્યા કે તમામ સાંસદો હસી પડ્યા 

મલ્લિકાર્જૂન ખડગેએ સંસદમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી હંમેશા ચૂંટણીના મોડમાં દેખાતા હોય છે. અહીંયા સંસદ ચાલી રહી છે તો પીએમ મોદી મારા સંસદીય ક્ષેત્ર કલબુર્ગા જતા રહ્યા હતા. અરે ભાઈ, મારુ એક જ સંસદીય ક્ષેત્ર છે અને તમને એ જ મળે છે. એક નહીં પણ આ ક્ષેત્રમાં બે મીટિંગ કરે છે. ખડગેએ આ વાત જ્યારે પૂર્ણ કરી ત્યારે બધા સાંસદ હસી પડ્યા હતા.

     




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .