સંસદમાં મલ્લિકાર્જૂન ખડગેએ ઉઠાવ્યો અદાણીનો મુદ્દો, જાણો કયા-કયા મુદ્દાઓ પર સરકારને ઘેરી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-08 17:14:29

સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સંસદમાં હોબાળો કરવામાં આવે છે. ત્યારે સંસદમાં બજેટ સત્રનો આઠમો દિવસ છે. બુધવારે પણ સંસદમાં હોબાળો થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમના નિવેદન પર ભાજપના સાંસદોએ હોબાળો કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી સદનમાં ઓછા દેખાય છે. સંસદ ચાલી રહી છે તો અહીંયા વધારે ધ્યાન આપે તો સારૂ રહેશે.


અદાણી મુદ્દે ખડગેએ સરકારને ઘેરી 

અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. અનેક વખત હોબાળો થયો છે અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. મંગળવારે સંસદમાં ભારે હોબાળો થયો હતો. રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સરકારને ઘેર્યા હતા. ત્યારે આજે પણ વિપક્ષના નેતા આક્રામક રૂપમાં દેખાયા હતા. અદાણી મુદ્દે ખડગેએ કહ્યું કે એક વ્યક્તિ જેની સંપત્તિ દોઢ વર્ષમાં 13 ગણી વધી છે.  2019માં એક લાખ કરોડની થઈ ગઈ. અચાનક એવો જાદુ થયો કે તેમની સંપત્તિ 12 લાખ કરોડ વધી ગઈ. હિંડનબર્ગની રિપોર્ટને બીજેપી નથી માની રહી પરંતુ આની તપાસ જેપીસી દ્વારા કરવામાં આવી જોઈએ.    


એવું બોલ્યા કે તમામ સાંસદો હસી પડ્યા 

મલ્લિકાર્જૂન ખડગેએ સંસદમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી હંમેશા ચૂંટણીના મોડમાં દેખાતા હોય છે. અહીંયા સંસદ ચાલી રહી છે તો પીએમ મોદી મારા સંસદીય ક્ષેત્ર કલબુર્ગા જતા રહ્યા હતા. અરે ભાઈ, મારુ એક જ સંસદીય ક્ષેત્ર છે અને તમને એ જ મળે છે. એક નહીં પણ આ ક્ષેત્રમાં બે મીટિંગ કરે છે. ખડગેએ આ વાત જ્યારે પૂર્ણ કરી ત્યારે બધા સાંસદ હસી પડ્યા હતા.

     




ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.