સંસદમાં મલ્લિકાર્જૂન ખડગેએ ઉઠાવ્યો અદાણીનો મુદ્દો, જાણો કયા-કયા મુદ્દાઓ પર સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-02-08 17:14:29

સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સંસદમાં હોબાળો કરવામાં આવે છે. ત્યારે સંસદમાં બજેટ સત્રનો આઠમો દિવસ છે. બુધવારે પણ સંસદમાં હોબાળો થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમના નિવેદન પર ભાજપના સાંસદોએ હોબાળો કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી સદનમાં ઓછા દેખાય છે. સંસદ ચાલી રહી છે તો અહીંયા વધારે ધ્યાન આપે તો સારૂ રહેશે.


અદાણી મુદ્દે ખડગેએ સરકારને ઘેરી 

અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. અનેક વખત હોબાળો થયો છે અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. મંગળવારે સંસદમાં ભારે હોબાળો થયો હતો. રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સરકારને ઘેર્યા હતા. ત્યારે આજે પણ વિપક્ષના નેતા આક્રામક રૂપમાં દેખાયા હતા. અદાણી મુદ્દે ખડગેએ કહ્યું કે એક વ્યક્તિ જેની સંપત્તિ દોઢ વર્ષમાં 13 ગણી વધી છે.  2019માં એક લાખ કરોડની થઈ ગઈ. અચાનક એવો જાદુ થયો કે તેમની સંપત્તિ 12 લાખ કરોડ વધી ગઈ. હિંડનબર્ગની રિપોર્ટને બીજેપી નથી માની રહી પરંતુ આની તપાસ જેપીસી દ્વારા કરવામાં આવી જોઈએ.    


એવું બોલ્યા કે તમામ સાંસદો હસી પડ્યા 

મલ્લિકાર્જૂન ખડગેએ સંસદમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી હંમેશા ચૂંટણીના મોડમાં દેખાતા હોય છે. અહીંયા સંસદ ચાલી રહી છે તો પીએમ મોદી મારા સંસદીય ક્ષેત્ર કલબુર્ગા જતા રહ્યા હતા. અરે ભાઈ, મારુ એક જ સંસદીય ક્ષેત્ર છે અને તમને એ જ મળે છે. એક નહીં પણ આ ક્ષેત્રમાં બે મીટિંગ કરે છે. ખડગેએ આ વાત જ્યારે પૂર્ણ કરી ત્યારે બધા સાંસદ હસી પડ્યા હતા.

     




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.