સંસદમાં મલ્લિકાર્જૂન ખડગેએ ઉઠાવ્યો અદાણીનો મુદ્દો, જાણો કયા-કયા મુદ્દાઓ પર સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-02-08 17:14:29

સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સંસદમાં હોબાળો કરવામાં આવે છે. ત્યારે સંસદમાં બજેટ સત્રનો આઠમો દિવસ છે. બુધવારે પણ સંસદમાં હોબાળો થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમના નિવેદન પર ભાજપના સાંસદોએ હોબાળો કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી સદનમાં ઓછા દેખાય છે. સંસદ ચાલી રહી છે તો અહીંયા વધારે ધ્યાન આપે તો સારૂ રહેશે.


અદાણી મુદ્દે ખડગેએ સરકારને ઘેરી 

અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. અનેક વખત હોબાળો થયો છે અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. મંગળવારે સંસદમાં ભારે હોબાળો થયો હતો. રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સરકારને ઘેર્યા હતા. ત્યારે આજે પણ વિપક્ષના નેતા આક્રામક રૂપમાં દેખાયા હતા. અદાણી મુદ્દે ખડગેએ કહ્યું કે એક વ્યક્તિ જેની સંપત્તિ દોઢ વર્ષમાં 13 ગણી વધી છે.  2019માં એક લાખ કરોડની થઈ ગઈ. અચાનક એવો જાદુ થયો કે તેમની સંપત્તિ 12 લાખ કરોડ વધી ગઈ. હિંડનબર્ગની રિપોર્ટને બીજેપી નથી માની રહી પરંતુ આની તપાસ જેપીસી દ્વારા કરવામાં આવી જોઈએ.    


એવું બોલ્યા કે તમામ સાંસદો હસી પડ્યા 

મલ્લિકાર્જૂન ખડગેએ સંસદમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી હંમેશા ચૂંટણીના મોડમાં દેખાતા હોય છે. અહીંયા સંસદ ચાલી રહી છે તો પીએમ મોદી મારા સંસદીય ક્ષેત્ર કલબુર્ગા જતા રહ્યા હતા. અરે ભાઈ, મારુ એક જ સંસદીય ક્ષેત્ર છે અને તમને એ જ મળે છે. એક નહીં પણ આ ક્ષેત્રમાં બે મીટિંગ કરે છે. ખડગેએ આ વાત જ્યારે પૂર્ણ કરી ત્યારે બધા સાંસદ હસી પડ્યા હતા.

     




IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .