CWC ભંગ કરી મલ્લિકાર્જુન ખડગેએ નવી કમિટી બનાવી, શશી થરૂર કદ પ્રમાણે વેતરાયા


  • Published By :
  • Published Date : 2022-10-26 21:26:37

કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે પાર્ટીની સંચાલન સમિતિની (steering committee) જાહેરાત કરી છે. તેમાં અનેક મોટા નામ સામેલ છે. આ સમિતિમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને સ્થાન આપવામાં આવ્યું છે. જો કે તેમાં શશી થરૂરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. હવે પાર્ટીમાં જ્યા સુધી નવી કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના નહીં થાય ત્યાં સુધી પાર્ટીની પ્રવૃતીઓનું સંચાલન સમિતિ દ્વારા કરવામાં આવશેના માધ્યમથી ચાલશે.


અત્રે ઉલ્લેખનિય છે કે CWC કોંગ્રેસની સૌથી મોટી નિર્ણય લેનારી સંસ્થા છે, પરંતુ જ્યાં સુધી તેની રચના નહીં થાય ત્યાં સુધી તમામ નિર્ણયો સંચાલન સમિતિ  (steering committee) દ્વારા લેવામાં આવશે. CWCની જાહેરાત પાર્ટીના પૂર્ણ સત્રમાં કરવામાં આવશે. પાર્ટીના બંધારણ મુજબ 11 સભ્યો નોમિનેટ થાય છે અને 12 ચૂંટાય છે. બુધવારે, CWCના તમામ સભ્યોએ રાજીનામું આપી દીધું હતું જેથી નવી સમિતિની રચના સરળતાથી થઈ શકે.


કોંગ્રેસની સંચાલન સમિતિમાં કોનો સમાવેશ કરાયો


કોંગ્રેસની  સંચાલન સમિતિમાં કુલ 47 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી ઉપરાંત સોનિયા ગાંધી, ડૉ.મનમોહન સિંહ, એકે એન્ટની, અભિષેક મનુ સિંઘવી, અજય માકન, અંબિકા સોની, આનંદ શર્મા, અવિનાશ પાંડે. ગાયખાંગમ, હરીશ રાવત, જયરામ રમેશ, જિતેન્દ્ર સિંહ, કુમારી સેલજા, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક, ઓમેન ચાંડી, પ્રિયંકા ગાંધી, પી ચિદમ્બરમ, રણદીપ સિંહ સુરજેવાલા, રઘુબીર મીના, તારિક અનવર, એ ચેલ્લા કુમાર, અધીર રંજન ચૌધરી, ભક્ત ચરણ દાસ, દેવેન્દ્ર યાદવ, દિગ્વિજય સિંહ, દિનેશ ગુંડુ રાવ, હરીશ ચૌધરી, એચ.કે. પાટીલ, જય પ્રકાશ અગ્રવાલ, કેએચ મુનિયપ્પા, બી મણિકમ ટાગોર, મનીષ ચતરથ, મીરા કુમાર, પીએલ પુનિયા, પવન કુમાર બંસલ, પ્રમોદ તિવારી, રંજની પાટિલ, રઘુ શર્મા, સંજીવ શુક્લા, સલમાન ખુર્શીદ, શક્તિસિંહ ગોહિલ, ટી સુબ્બીરામી રેડ્ડી, તારિક હમીદ સામેલ છે.


શશી થરૂર સહિત જી-23ના આ નેતાઓને પણ ન મળ્યું સ્થાન


કોંગ્રેસની સંચાલન સમિતીમાં આનંદ શર્મા, મુકુલ વાસનિક સહિતના અગ્રણી નેતાઓને પણ સ્થાન મળ્યું નથી. આ નેતાઓ જી-23 ના સભ્યો છે જેમણે કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન માટે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ ઉપરાંત મનીષ તિવારી, પીજે કુરિયન, પૃથ્વીરાજ ચવ્હાણ, ભૂપેન્દ્ર હુડ્ડાને પણ આ સંચાલન સમિતિમાં સ્થાન મળ્યું નથી. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .