CWC ભંગ કરી મલ્લિકાર્જુન ખડગેએ નવી કમિટી બનાવી, શશી થરૂર કદ પ્રમાણે વેતરાયા


  • Published By :
  • Published Date : 2022-10-26 21:26:37

કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે પાર્ટીની સંચાલન સમિતિની (steering committee) જાહેરાત કરી છે. તેમાં અનેક મોટા નામ સામેલ છે. આ સમિતિમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને સ્થાન આપવામાં આવ્યું છે. જો કે તેમાં શશી થરૂરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. હવે પાર્ટીમાં જ્યા સુધી નવી કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના નહીં થાય ત્યાં સુધી પાર્ટીની પ્રવૃતીઓનું સંચાલન સમિતિ દ્વારા કરવામાં આવશેના માધ્યમથી ચાલશે.


અત્રે ઉલ્લેખનિય છે કે CWC કોંગ્રેસની સૌથી મોટી નિર્ણય લેનારી સંસ્થા છે, પરંતુ જ્યાં સુધી તેની રચના નહીં થાય ત્યાં સુધી તમામ નિર્ણયો સંચાલન સમિતિ  (steering committee) દ્વારા લેવામાં આવશે. CWCની જાહેરાત પાર્ટીના પૂર્ણ સત્રમાં કરવામાં આવશે. પાર્ટીના બંધારણ મુજબ 11 સભ્યો નોમિનેટ થાય છે અને 12 ચૂંટાય છે. બુધવારે, CWCના તમામ સભ્યોએ રાજીનામું આપી દીધું હતું જેથી નવી સમિતિની રચના સરળતાથી થઈ શકે.


કોંગ્રેસની સંચાલન સમિતિમાં કોનો સમાવેશ કરાયો


કોંગ્રેસની  સંચાલન સમિતિમાં કુલ 47 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી ઉપરાંત સોનિયા ગાંધી, ડૉ.મનમોહન સિંહ, એકે એન્ટની, અભિષેક મનુ સિંઘવી, અજય માકન, અંબિકા સોની, આનંદ શર્મા, અવિનાશ પાંડે. ગાયખાંગમ, હરીશ રાવત, જયરામ રમેશ, જિતેન્દ્ર સિંહ, કુમારી સેલજા, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક, ઓમેન ચાંડી, પ્રિયંકા ગાંધી, પી ચિદમ્બરમ, રણદીપ સિંહ સુરજેવાલા, રઘુબીર મીના, તારિક અનવર, એ ચેલ્લા કુમાર, અધીર રંજન ચૌધરી, ભક્ત ચરણ દાસ, દેવેન્દ્ર યાદવ, દિગ્વિજય સિંહ, દિનેશ ગુંડુ રાવ, હરીશ ચૌધરી, એચ.કે. પાટીલ, જય પ્રકાશ અગ્રવાલ, કેએચ મુનિયપ્પા, બી મણિકમ ટાગોર, મનીષ ચતરથ, મીરા કુમાર, પીએલ પુનિયા, પવન કુમાર બંસલ, પ્રમોદ તિવારી, રંજની પાટિલ, રઘુ શર્મા, સંજીવ શુક્લા, સલમાન ખુર્શીદ, શક્તિસિંહ ગોહિલ, ટી સુબ્બીરામી રેડ્ડી, તારિક હમીદ સામેલ છે.


શશી થરૂર સહિત જી-23ના આ નેતાઓને પણ ન મળ્યું સ્થાન


કોંગ્રેસની સંચાલન સમિતીમાં આનંદ શર્મા, મુકુલ વાસનિક સહિતના અગ્રણી નેતાઓને પણ સ્થાન મળ્યું નથી. આ નેતાઓ જી-23 ના સભ્યો છે જેમણે કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન માટે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ ઉપરાંત મનીષ તિવારી, પીજે કુરિયન, પૃથ્વીરાજ ચવ્હાણ, ભૂપેન્દ્ર હુડ્ડાને પણ આ સંચાલન સમિતિમાં સ્થાન મળ્યું નથી. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે