મણિપુરમાં સ્થિતિ હજુ પણ ભારેલા અગ્નિ જેવી, અત્યાર સુધીમાં 73 લોકોના મોત, CM બિરેન દિલ્હી પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-05-15 17:17:40

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં ફાટી નિકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 73 થઈ ગયો છે. તોફાની તત્વોએ ફરી એકવાર અનેક ઘરોને આગ ચાંપી દીધી છે. આ દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ દિલ્હી પહોંચી ગયા છે. તેમણે ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી અને રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે તેમને માહિતગાર કર્યા હતા.


CM બિરેન સિંહ PM મોદી સાથે કરશે મુલાકાત


દરમિયાન એવા સમાચાર છે કે મુખ્યમંત્રી બિરેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે અને મણિપુરની જમીની પરિસ્થિતિથી વાકેફ કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, CM બિરેન તેમના ચાર કેબિનેટ મંત્રીઓ ટીએચ બિસ્વજીત, ગોવિંદદાસ કોંથૌજમ, ટીએચ બસંતકુમાર, વાય ખેમચંદ સાથે દિલ્હી પહોંચ્યા છે. ગૃહમંત્રી શાહ સાથેની મુલાકાત દરમિયાન તેમની સાથે મણિપુર બીજેપી અધ્યક્ષ એ શારદા દેવી પણ હાજર હતા.


તોફાની તત્વોએ ઘરોને આગ ચાંપી


CM બિરેનની દિલ્હી મુલાકાત વચ્ચે શનિવારે રાત્રે મણિપુરના ટ્રોર્બોંગ વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા લગભગ 15 ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આમાં ઘણા ઘરો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. દરમિયાન હિંસાને જોતા આ વિસ્તારમાં BSFની પાંચ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે BSFની હાજરી વચ્ચે વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે.


ચુરાચંદપુર અને ફેરઝાવલીમાં કર્ફ્યુમાં રાહત નહીં


મણિપુરમાં સ્થિતિ હજુ પણ ભારેલા અગ્નિ જેવી છે, રાજ્ય સરકારે હિંસાગ્રસ્ત ચુરાચંદપુર અને ફરજાવલી જિલ્લાઓમાં કર્ફ્યુમાં રાહત આપી નથી. જોકે, ત્રણ જિલ્લામાં કર્ફ્યુમાં સંપૂર્ણ રાહત આપવામાં આવી છે. પાંચ જિલ્લાઓમાં સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને જીરીબામમાં 10 કલાક સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. બીજી તરફ મણિપુરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ હજુ પણ અમલમાં છે. રાજ્ય સરકારે 12 મેના રોજ ઈન્ટરનેટ પ્રતિબંધને વધુ પાંચ દિવસ માટે લંબાવ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.