મણિપુરમાં સ્થિતિ હજુ પણ ભારેલા અગ્નિ જેવી, અત્યાર સુધીમાં 73 લોકોના મોત, CM બિરેન દિલ્હી પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-05-15 17:17:40

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં ફાટી નિકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 73 થઈ ગયો છે. તોફાની તત્વોએ ફરી એકવાર અનેક ઘરોને આગ ચાંપી દીધી છે. આ દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ દિલ્હી પહોંચી ગયા છે. તેમણે ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી અને રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે તેમને માહિતગાર કર્યા હતા.


CM બિરેન સિંહ PM મોદી સાથે કરશે મુલાકાત


દરમિયાન એવા સમાચાર છે કે મુખ્યમંત્રી બિરેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે અને મણિપુરની જમીની પરિસ્થિતિથી વાકેફ કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, CM બિરેન તેમના ચાર કેબિનેટ મંત્રીઓ ટીએચ બિસ્વજીત, ગોવિંદદાસ કોંથૌજમ, ટીએચ બસંતકુમાર, વાય ખેમચંદ સાથે દિલ્હી પહોંચ્યા છે. ગૃહમંત્રી શાહ સાથેની મુલાકાત દરમિયાન તેમની સાથે મણિપુર બીજેપી અધ્યક્ષ એ શારદા દેવી પણ હાજર હતા.


તોફાની તત્વોએ ઘરોને આગ ચાંપી


CM બિરેનની દિલ્હી મુલાકાત વચ્ચે શનિવારે રાત્રે મણિપુરના ટ્રોર્બોંગ વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા લગભગ 15 ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આમાં ઘણા ઘરો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. દરમિયાન હિંસાને જોતા આ વિસ્તારમાં BSFની પાંચ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે BSFની હાજરી વચ્ચે વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે.


ચુરાચંદપુર અને ફેરઝાવલીમાં કર્ફ્યુમાં રાહત નહીં


મણિપુરમાં સ્થિતિ હજુ પણ ભારેલા અગ્નિ જેવી છે, રાજ્ય સરકારે હિંસાગ્રસ્ત ચુરાચંદપુર અને ફરજાવલી જિલ્લાઓમાં કર્ફ્યુમાં રાહત આપી નથી. જોકે, ત્રણ જિલ્લામાં કર્ફ્યુમાં સંપૂર્ણ રાહત આપવામાં આવી છે. પાંચ જિલ્લાઓમાં સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને જીરીબામમાં 10 કલાક સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. બીજી તરફ મણિપુરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ હજુ પણ અમલમાં છે. રાજ્ય સરકારે 12 મેના રોજ ઈન્ટરનેટ પ્રતિબંધને વધુ પાંચ દિવસ માટે લંબાવ્યો હતો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.