મણિપુરમાં સ્થિતિ હજુ પણ ભારેલા અગ્નિ જેવી, અત્યાર સુધીમાં 73 લોકોના મોત, CM બિરેન દિલ્હી પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-05-15 17:17:40

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં ફાટી નિકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 73 થઈ ગયો છે. તોફાની તત્વોએ ફરી એકવાર અનેક ઘરોને આગ ચાંપી દીધી છે. આ દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ દિલ્હી પહોંચી ગયા છે. તેમણે ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી અને રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે તેમને માહિતગાર કર્યા હતા.


CM બિરેન સિંહ PM મોદી સાથે કરશે મુલાકાત


દરમિયાન એવા સમાચાર છે કે મુખ્યમંત્રી બિરેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે અને મણિપુરની જમીની પરિસ્થિતિથી વાકેફ કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, CM બિરેન તેમના ચાર કેબિનેટ મંત્રીઓ ટીએચ બિસ્વજીત, ગોવિંદદાસ કોંથૌજમ, ટીએચ બસંતકુમાર, વાય ખેમચંદ સાથે દિલ્હી પહોંચ્યા છે. ગૃહમંત્રી શાહ સાથેની મુલાકાત દરમિયાન તેમની સાથે મણિપુર બીજેપી અધ્યક્ષ એ શારદા દેવી પણ હાજર હતા.


તોફાની તત્વોએ ઘરોને આગ ચાંપી


CM બિરેનની દિલ્હી મુલાકાત વચ્ચે શનિવારે રાત્રે મણિપુરના ટ્રોર્બોંગ વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા લગભગ 15 ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આમાં ઘણા ઘરો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. દરમિયાન હિંસાને જોતા આ વિસ્તારમાં BSFની પાંચ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે BSFની હાજરી વચ્ચે વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે.


ચુરાચંદપુર અને ફેરઝાવલીમાં કર્ફ્યુમાં રાહત નહીં


મણિપુરમાં સ્થિતિ હજુ પણ ભારેલા અગ્નિ જેવી છે, રાજ્ય સરકારે હિંસાગ્રસ્ત ચુરાચંદપુર અને ફરજાવલી જિલ્લાઓમાં કર્ફ્યુમાં રાહત આપી નથી. જોકે, ત્રણ જિલ્લામાં કર્ફ્યુમાં સંપૂર્ણ રાહત આપવામાં આવી છે. પાંચ જિલ્લાઓમાં સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને જીરીબામમાં 10 કલાક સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. બીજી તરફ મણિપુરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ હજુ પણ અમલમાં છે. રાજ્ય સરકારે 12 મેના રોજ ઈન્ટરનેટ પ્રતિબંધને વધુ પાંચ દિવસ માટે લંબાવ્યો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.