મણિપુર હિંસા: ગુવાહાટી હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના તપાસ પંચની કરાઈ રચના


  • Published By :
  • Published Date : 2023-06-04 20:08:02

કેન્દ્ર સરકારે મણિપુરમાં વંશીય હિંસાની તપાસ માટે ત્રણ સભ્યોના કમિશનની રચના કરી છે, આ તપાસ પંચમાં મે મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 80 થી વધુ લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગયા અઠવાડિયે થયેલી મણિપુરની મુલાકાત પછી તરત જ આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, 3 મે 2023ના રોજ મણિપુર રાજ્યમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી અને હિંસાના પરિણામે રાજ્યના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો હતો તથા અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગજનીના કારણે લોકોમા મકાનો અને મિલકતો બળીને ખાખ થઈ ગઈ હતી અને તેમાંથી ઘણા લોકો બેઘર બન્યા છે.


ગૃહ મંત્રાલયે બનાવ્યું 3 સભ્યોનું તપાસ પંચ


ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મણિપુર સરકારે કમિશન ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952ની જોગવાઈઓ હેઠળ 29 મે, 2023ના રોજ કમિશન ઑફ ઈન્ક્વાયરી માટે ભલામણ કરી હતી, જેમાં અને 3 મે, 2023  અને તેના ત્યાર બાદની કમનસીબ ઘટનાઓના કારણો અને સંબંધિત પરિબળોની તપાસ કરવામાં આવે. મણિપુર સરકારની ભલામણ પર તપાસો કેન્દ્ર સરકારનો એવો અભિપ્રાય છે કે જાહેર હિત માટે મણિપુરમાં હિંસાની ઘટનાઓની તપાસ કરવા માટે તપાસ પંચની નિમણૂક કરવી જરૂરી છે.

 

આ 3 સભ્યોનું પંચ કરશે તપાસ 


કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ ત્રણ સભ્યોના તપાસ પંચમાં ગુવાહાટી હાઈકોર્ટના નિવૃત જજ અજય લાંબા, 1982 બેચના આઈએએસ અધિકારી હિંમાશુ શેખર દાસ અને 1986 બેચના આઈપીએસ અધિકારી આલોક પ્રભાકરની નિમણૂક કરવામાં આવી છે.

 


આયોગ નીચેની બાબતોની તપાસ કરશે


1- મણિપુર રાજ્યમાં 3 મે 2023ના રોજ અને તે પછી વિવિધ સમુદાયોના સભ્યોને નિશાન બનાવતી હિંસા અને રમખાણોના કારણો અને ફેલાવો.


2- હિંસા સંબંધિત તમામ ઘટનાઓ અને તમામ હકીકતોમાં સમાનતા


3- કોઈ જવાબદાર અધિકારી/વ્યક્તિ તરફથી આ બાબતે ફરજમાં કોઈ ચૂક કે બેદરકારી હતી કે કેમ.


4-હિંસા રોકવા અને તેનો સામનો કરવા માટે લેવામાં આવેલા વહીવટી પગલાં પુરતા હતા કે કેમ


5-એવી ઘટનાઓ પર વિચાર કરવો જે તપાસ દરમિયાન પ્રાસંગિક જણાઈ શકી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.