મણિપુરમાં જાતીય હિંસાની તપાસ માટે CBIએ 6 લોકો સામે નોંધી ફરિયાદ, અત્યાર સુધીમાં 3700થી વધુ કેસ નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-06-09 22:06:21

મણિપુરમાં 3 મેથી  ફાટી નિકળેલી જાતીય હિંસા મામલે CBIએ 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. CBIએ રાજ્યમાં કથિત હિંસા માટે આ 6 લોકોને માસ્ટર માઈન્ડ ગણાવ્યા છે. મણિપુરમાં કુકી અને મેતઈ સમુદાયોએ 80થી વધુ લોકોના જીવ લીધા છે અને 35,000થી વધુ લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે. મણિપુરમાં હિસા શરૂ થયા બાદથી રાજ્યમાં 3700થી વધુ કેસ નોંધાયા છે. 


વિસ્થાપિતોની સહાય માટે રૂ.101.75ના રાહત પેકેજને મંજૂરી


જાતીય હિંસા મામલે મણિપુરના ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જે બાદ કાંગપોકપી અને વિષ્ણુપુરમાં કેસ નોંધાયા છે. ત્યારે CBI એ પણ તપાસ કરી રહી છે કે શું આ જાતિય હિંસા પૂર્વ આયોજિત હતી. મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે સંકેત આપ્યો કે મણિપુરમાં સ્થિતિ શાંતિપૂર્ણ નિયંત્રણમાં છે. છેલ્લા 48 કલાકમાં હિંસાની કોઈ ઘટના ઘટી નથી. તેમણે એવી પણ જાહેરાત કરી કે ગૃહ મંત્રાલયે મણિપુરમાં વિસ્થાપિત લોકોની સહાયતા માટે 101.75 કરોડ રુપિયાના રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે.


મેતઈ અનામતની માગના કારણે થઈ હિંસા


મણિપુરમાં 3 મેથી શરૂ થયેલી હિંસા હજુ પણ યથાવત છે. રાજધાની ઈમ્ફાલ નજીક સેરી અને સુગનૂ વિસ્તારમાં રવિવારે હિંસક અથડામણ થઈ હતી, જેમાં એક પોલીસકર્મી સહિત 5 લોકોના મોત થયા હતા જ્યારે 12 ઘાયલ થયા છે. રાજ્યમાં હિંસાને કારણે અત્યાર સુધીમાં 80 લોકોના જીવ ગયા છે. મણિપુરમાં હાલની હિંસાને કારણે મેતઈ અનામતને માનવામાં આવે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.