મણિપુરમાં જાતીય હિંસાની તપાસ માટે CBIએ 6 લોકો સામે નોંધી ફરિયાદ, અત્યાર સુધીમાં 3700થી વધુ કેસ નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-06-09 22:06:21

મણિપુરમાં 3 મેથી  ફાટી નિકળેલી જાતીય હિંસા મામલે CBIએ 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. CBIએ રાજ્યમાં કથિત હિંસા માટે આ 6 લોકોને માસ્ટર માઈન્ડ ગણાવ્યા છે. મણિપુરમાં કુકી અને મેતઈ સમુદાયોએ 80થી વધુ લોકોના જીવ લીધા છે અને 35,000થી વધુ લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે. મણિપુરમાં હિસા શરૂ થયા બાદથી રાજ્યમાં 3700થી વધુ કેસ નોંધાયા છે. 


વિસ્થાપિતોની સહાય માટે રૂ.101.75ના રાહત પેકેજને મંજૂરી


જાતીય હિંસા મામલે મણિપુરના ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જે બાદ કાંગપોકપી અને વિષ્ણુપુરમાં કેસ નોંધાયા છે. ત્યારે CBI એ પણ તપાસ કરી રહી છે કે શું આ જાતિય હિંસા પૂર્વ આયોજિત હતી. મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે સંકેત આપ્યો કે મણિપુરમાં સ્થિતિ શાંતિપૂર્ણ નિયંત્રણમાં છે. છેલ્લા 48 કલાકમાં હિંસાની કોઈ ઘટના ઘટી નથી. તેમણે એવી પણ જાહેરાત કરી કે ગૃહ મંત્રાલયે મણિપુરમાં વિસ્થાપિત લોકોની સહાયતા માટે 101.75 કરોડ રુપિયાના રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે.


મેતઈ અનામતની માગના કારણે થઈ હિંસા


મણિપુરમાં 3 મેથી શરૂ થયેલી હિંસા હજુ પણ યથાવત છે. રાજધાની ઈમ્ફાલ નજીક સેરી અને સુગનૂ વિસ્તારમાં રવિવારે હિંસક અથડામણ થઈ હતી, જેમાં એક પોલીસકર્મી સહિત 5 લોકોના મોત થયા હતા જ્યારે 12 ઘાયલ થયા છે. રાજ્યમાં હિંસાને કારણે અત્યાર સુધીમાં 80 લોકોના જીવ ગયા છે. મણિપુરમાં હાલની હિંસાને કારણે મેતઈ અનામતને માનવામાં આવે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.