મનીષ સિસોદિયાએ દાખલ કરી કોર્ટમાં જામીન અરજી, સુપ્રીમ કોર્ટે લગાવી હતી ફટકાર


  • Published By :
  • Published Date : 2023-03-03 16:54:20

લિકર પોલીસી કૌંભાંડના આરોપી દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શુક્રવારે કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરી છે. સિસોદિયાના વકીલે રાઉજ એવન્યુ કોર્ટમાં જામીન અરજી ફાઈલ કરી છે.


સુપ્રીમ કોર્ટે લગાવી હતી ફટકાર


મનીષ સિસોદિયાએ સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી ધરપકડને સીધી જ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જો કે સીફ જસ્ટીસે તેમને ફટકાર લગાવતા કહ્યું કે તેમણે પહેલા દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. કેસ દિલ્હીમાં હોવાનો મતલબ તે નથી કે તમે સીધા જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવો. તે સાથે જ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દખલ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.


ધરપકડ બાદ રાજીનામું આપ્યું 


મનીષ સિસોદિયાની સીબીઆઈએ 8 કલાક લાંબી પૂછપરછ કર્યા બાદ કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે  તેમને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. સીબીઆઈએ ધરપકડ કર્યા બાદ મનીષ સિસોદિયાએ રાજીનામું આપી દીધું હતું. કેજરીવાલ સરકારના અન્ય એક મંત્રી સત્યેન્દ્ર જૈને પણ મની લોન્ડરિંગના આરોપ હેઠળ રાજીનામું આપી દીધું છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.