મનીષ સિસોદિયાએ દાખલ કરી કોર્ટમાં જામીન અરજી, સુપ્રીમ કોર્ટે લગાવી હતી ફટકાર


  • Published By :
  • Published Date : 2023-03-03 16:54:20

લિકર પોલીસી કૌંભાંડના આરોપી દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શુક્રવારે કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરી છે. સિસોદિયાના વકીલે રાઉજ એવન્યુ કોર્ટમાં જામીન અરજી ફાઈલ કરી છે.


સુપ્રીમ કોર્ટે લગાવી હતી ફટકાર


મનીષ સિસોદિયાએ સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી ધરપકડને સીધી જ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જો કે સીફ જસ્ટીસે તેમને ફટકાર લગાવતા કહ્યું કે તેમણે પહેલા દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. કેસ દિલ્હીમાં હોવાનો મતલબ તે નથી કે તમે સીધા જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવો. તે સાથે જ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દખલ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.


ધરપકડ બાદ રાજીનામું આપ્યું 


મનીષ સિસોદિયાની સીબીઆઈએ 8 કલાક લાંબી પૂછપરછ કર્યા બાદ કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે  તેમને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. સીબીઆઈએ ધરપકડ કર્યા બાદ મનીષ સિસોદિયાએ રાજીનામું આપી દીધું હતું. કેજરીવાલ સરકારના અન્ય એક મંત્રી સત્યેન્દ્ર જૈને પણ મની લોન્ડરિંગના આરોપ હેઠળ રાજીનામું આપી દીધું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.