મનીષ સિસોદિયાએ દાખલ કરી કોર્ટમાં જામીન અરજી, સુપ્રીમ કોર્ટે લગાવી હતી ફટકાર


  • Published By :
  • Published Date : 2023-03-03 16:54:20

લિકર પોલીસી કૌંભાંડના આરોપી દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શુક્રવારે કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરી છે. સિસોદિયાના વકીલે રાઉજ એવન્યુ કોર્ટમાં જામીન અરજી ફાઈલ કરી છે.


સુપ્રીમ કોર્ટે લગાવી હતી ફટકાર


મનીષ સિસોદિયાએ સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી ધરપકડને સીધી જ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જો કે સીફ જસ્ટીસે તેમને ફટકાર લગાવતા કહ્યું કે તેમણે પહેલા દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. કેસ દિલ્હીમાં હોવાનો મતલબ તે નથી કે તમે સીધા જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવો. તે સાથે જ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દખલ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.


ધરપકડ બાદ રાજીનામું આપ્યું 


મનીષ સિસોદિયાની સીબીઆઈએ 8 કલાક લાંબી પૂછપરછ કર્યા બાદ કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે  તેમને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. સીબીઆઈએ ધરપકડ કર્યા બાદ મનીષ સિસોદિયાએ રાજીનામું આપી દીધું હતું. કેજરીવાલ સરકારના અન્ય એક મંત્રી સત્યેન્દ્ર જૈને પણ મની લોન્ડરિંગના આરોપ હેઠળ રાજીનામું આપી દીધું છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.