આખરે CBIની જીત થઈ, કોર્ટે સિસોદિયાના રિમાન્ડ મંજુર કર્યા, 5 દિવસ કસ્ટડીમાં રહેશે


  • Published By :
  • Published Date : 2023-02-27 19:26:16

દિલ્હીના શરાબ પોલીસી કૌંભાડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની મુશ્કેલી વધી છે. મનિષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં  સમક્ષ આજે રજુ કરવામાં આવ્યા હતા. બંને પક્ષના વકીલોની લાંબી દલીલો બાદ અંતે CBIની જીત થઈ છે. કોર્ટે CBIની માગ સ્વિકારતા મનિષ સિસોદિયાના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે મનિષ સિસોદિયા પાંચ દિવસ CBIની કસ્ટડીમાં રહેશે.


બંને પક્ષોના વકીલોએ શું દલીલો કરી?


કોર્ટમાં રજુ કરાયેલા મનિષ સિસોદિયાની કસ્ટડીની માગ કરતા CBIના વકીલે આરોપ લગાવ્યો કે તેઓ તપાસમાં સહકાર આપતા નથી. CBIના વકીલે કોર્ટમાં કહ્યું, આ સમગ્ર કેસ પ્રોફિટનો છે. આ કેસમાં અમારે વધુ તપાસ કરવાની છે. સિસોદિયા એક્સાઈઝ મિનિસ્ટર છે અને તેઓ મંત્રીઓના એક ગ્રુપને લીડ કરી રહ્યા હતા.લીકર પોલીસી બાબતે કોઈ ચર્ચા થઈ નહોતી.


આ દલીલ સામે મનિષ સિસોદિયાના એડવોકેટ દયાન કૃષ્ણને કહ્યું,, "CBI કહી રહી છે કે તેઓ જે રીતે ઈચ્છે છે તે રીતે સિસોદિયા જવાબ નથી આપી રહ્યા. જ્યાં સુધી તપાસમાં સહકારની વાત છે તો સિસોદિયાએ તપાસમાં સહકાર આપ્યો છે. તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તેમના ફોન એજન્સી પાસે છે. હવે એજન્સી કહી રહી છે કે સિસોદિયા ગોળગોળ જવાબ આપી રહ્યા છે. તેમની પાસે આ અધિકાર છે. વ્યક્તિ પાસે બંધારણીય અધિકારો હોય છે."


વધુમાં એડવોકેટ દયાન કૃષ્ણને કહ્યું, "એલજીએ મે 2021માં પોલિસીને લીલી ઝંડી આપી હતી. નફાના માર્જિન વિશે તમામ ચર્ચા થઈ છે, જેને LG દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેમણે ફેરફારો માટે સંમતિ આપી હતી. સીબીઆઈએ પહેલા જ દિવસે ફોન વિશે વાત કરી હતી. સિસોદિયા ફોન ક્યારે આપવામાં આવ્યો હતો, તેમણે ફોન ક્યારે બદલ્યો? આ રિમાન્ડ માટેનો આધાર ન હોઈ શકે." સિસોદિયાએ 4 ફોનનો ઉપયોગ કર્યો, 3નો નાશ કર્યો. શું સિસોદિયા પોતાનો ફોન સેકન્ડ હેન્ડ શોપ પર ન આપી શકે?


દારૂના વેપારીઓને ફાયદો કરાવવાનો આરોપ


મનિષ સિસોદિયા પર આરોપ છે કે  તેમણે લીકર પોલીસી દ્વારા વેપારીઓને ફાયદો પહોંચાડ્યો છે. જુલાઈ 2022માં દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાએ મનીષ સિસોદિયા સામે CBI તપાસની માંગ કરી હતી. સક્સેનાએ સિસોદિયા સામે નિયમોનું ઉલ્લંધન કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આરો લગાવ્યા હતા. ત્યારબાદ ED અને CBIએ સિસોદિયા સામે તપાસ શરુ કરી હતી. આ મામલે ભાજપે આ મામલે ભાજપે નવા ટેન્ડર બાદ ખોટી રીતે દારૂના વેપારીઓના 144 કરોડ માફ કર્યાના આરોપો લગાવ્યા છે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.