આખરે CBIની જીત થઈ, કોર્ટે સિસોદિયાના રિમાન્ડ મંજુર કર્યા, 5 દિવસ કસ્ટડીમાં રહેશે


  • Published By :
  • Published Date : 2023-02-27 19:26:16

દિલ્હીના શરાબ પોલીસી કૌંભાડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની મુશ્કેલી વધી છે. મનિષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં  સમક્ષ આજે રજુ કરવામાં આવ્યા હતા. બંને પક્ષના વકીલોની લાંબી દલીલો બાદ અંતે CBIની જીત થઈ છે. કોર્ટે CBIની માગ સ્વિકારતા મનિષ સિસોદિયાના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે મનિષ સિસોદિયા પાંચ દિવસ CBIની કસ્ટડીમાં રહેશે.


બંને પક્ષોના વકીલોએ શું દલીલો કરી?


કોર્ટમાં રજુ કરાયેલા મનિષ સિસોદિયાની કસ્ટડીની માગ કરતા CBIના વકીલે આરોપ લગાવ્યો કે તેઓ તપાસમાં સહકાર આપતા નથી. CBIના વકીલે કોર્ટમાં કહ્યું, આ સમગ્ર કેસ પ્રોફિટનો છે. આ કેસમાં અમારે વધુ તપાસ કરવાની છે. સિસોદિયા એક્સાઈઝ મિનિસ્ટર છે અને તેઓ મંત્રીઓના એક ગ્રુપને લીડ કરી રહ્યા હતા.લીકર પોલીસી બાબતે કોઈ ચર્ચા થઈ નહોતી.


આ દલીલ સામે મનિષ સિસોદિયાના એડવોકેટ દયાન કૃષ્ણને કહ્યું,, "CBI કહી રહી છે કે તેઓ જે રીતે ઈચ્છે છે તે રીતે સિસોદિયા જવાબ નથી આપી રહ્યા. જ્યાં સુધી તપાસમાં સહકારની વાત છે તો સિસોદિયાએ તપાસમાં સહકાર આપ્યો છે. તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તેમના ફોન એજન્સી પાસે છે. હવે એજન્સી કહી રહી છે કે સિસોદિયા ગોળગોળ જવાબ આપી રહ્યા છે. તેમની પાસે આ અધિકાર છે. વ્યક્તિ પાસે બંધારણીય અધિકારો હોય છે."


વધુમાં એડવોકેટ દયાન કૃષ્ણને કહ્યું, "એલજીએ મે 2021માં પોલિસીને લીલી ઝંડી આપી હતી. નફાના માર્જિન વિશે તમામ ચર્ચા થઈ છે, જેને LG દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેમણે ફેરફારો માટે સંમતિ આપી હતી. સીબીઆઈએ પહેલા જ દિવસે ફોન વિશે વાત કરી હતી. સિસોદિયા ફોન ક્યારે આપવામાં આવ્યો હતો, તેમણે ફોન ક્યારે બદલ્યો? આ રિમાન્ડ માટેનો આધાર ન હોઈ શકે." સિસોદિયાએ 4 ફોનનો ઉપયોગ કર્યો, 3નો નાશ કર્યો. શું સિસોદિયા પોતાનો ફોન સેકન્ડ હેન્ડ શોપ પર ન આપી શકે?


દારૂના વેપારીઓને ફાયદો કરાવવાનો આરોપ


મનિષ સિસોદિયા પર આરોપ છે કે  તેમણે લીકર પોલીસી દ્વારા વેપારીઓને ફાયદો પહોંચાડ્યો છે. જુલાઈ 2022માં દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાએ મનીષ સિસોદિયા સામે CBI તપાસની માંગ કરી હતી. સક્સેનાએ સિસોદિયા સામે નિયમોનું ઉલ્લંધન કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આરો લગાવ્યા હતા. ત્યારબાદ ED અને CBIએ સિસોદિયા સામે તપાસ શરુ કરી હતી. આ મામલે ભાજપે આ મામલે ભાજપે નવા ટેન્ડર બાદ ખોટી રીતે દારૂના વેપારીઓના 144 કરોડ માફ કર્યાના આરોપો લગાવ્યા છે.




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.