દારૂ કૌભાંડમાં CBIએ શરૂ કરી મનીષ સિસોદિયાની પૂછપરછ, ગોપાલ રાયની પણ અટકાયત કરાઈ


  • Published By :
  • Published Date : 2023-02-26 13:53:23

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા શરાબ નીતિ મામલે પૂછપરછ માટે આજે CBIની ઓફિસ પહોંચ્યા છે. મનીષ સિસોદિયા સવારે 11 વાગ્યે દિલ્હીના લોધી રોડ પર આવેલા સીબીઆઈના હેડક્વાર્ટ પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો પણ તેમની સાથે  કારમાં તપાસ એજન્સીની ઓફિસ જવા રવાના થયા હતા. આ દરમિયાન પાર્ટી સમર્થકોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ  CBI દ્વારા સિસોદિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે. 


રાજઘાટ પહોંચી બાપુને પ્રમાણ કર્યા


મનીષ સિસોદિયા સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ માટે જતા પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મારક સ્થળ રાજઘાટ ગયા હતા, ત્યાં તેમણે ગાંધીજીને પ્રણામ કર્યા હતા.  સિસોદિયાએ પોતાને ભગત સિંહના અનુયાયી ગણાવતા કહ્યું કે તેઓ દેશ માટે શહીદ થયા હતા, જ્યારે ખોટા આરોપો માટે જેલમાં જવું એ અમારા માટે નાની વાત છે.


દક્ષિણ દિલ્હીમાં કલમ 144 લાગુ


દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જળવાઈ રહે તે માટે દક્ષિણ દિલ્હીમાં કલમ 144 અમલી બનાવવામાં આવી છે. મનીષ સિસોદિયા સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા તે પહેલા સીબીઆઈની ઓફિસો અને માર્ગો પર જડબેસલાક સુરક્ષા ઉભી કરવામાં આવી છે. સીબીઆઈ હેડક્વાર્ટરની આસપાસ દોઢ હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. લાલા લજપત રાય માર્ગ સહિત મોટી સંખ્યામાં સમર્થકો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોધી કોલોની સ્થિત CGO કોમ્પ્લેક્સની આસપાસના તમામ માર્ગો સવારે બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે આ માટે એક પ્લાન તૈયાર કર્યો છે.


ધરપકડ પહેલા શું કહ્યું?


CBI ઓફિસે પહોંચતા પહેલા સિસોદિયાએ લોકોના નામે એક સંદેશમાં કહ્યું હતું કે  અમે તેમની પોલીસ, CBI,ED કે જેલથી ડરતા નથી, પરંતુ તેઓ સિસોદિયા કેજરીવાલથી ડરે છે. તેથી જ ખોટા કેસ દાખલ કરે છે. જો હું જેલમાં જાઉં તો ગર્વ કરો કે અમારામાંથી એક જેલમાં ગયો. હજારો મનીષ સિસોદિયા જન્મશે, જોઈએ કેટલાને તેઓ રોકે છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે હું ટીવી ચેનલમાં હતો, ત્યારે સારી એવી સેલેરી હતી, એન્કર હતો. જીવન પણ સારું ચાલી રહ્યું હતું. તે બધું છોડીને હું કેજરીવાલની સાથે આવી ગયો. ઝુપડપટ્ટીમાં રહેતાલાકો માટે કામ કરવા લાગ્યો હતો. હવે આજે જ્યારે આ લોકો મને જેલમાં ધકેલી રહ્યા છે, ત્યારે મારી પત્ની ઘરે એકલી રહે છે, તે બીમાર રહે છે, પુત્ર યુનિવર્સિટીમાં ભણે છે. તમારે તેમનું ધ્યાન રાખવાનું છે.


આપના કાર્યકરોના ધરણા


આજે સિસોદિયાને પૂછપરછ માટે CBI હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉમટ્યા હતા. આ કાર્યકરોએ ધરણા-પ્રદર્શનો અને પ્લેકાર્ડ બતાવી વિરોધ કર્યો હતો. સિસોદિયાના સમર્થકોએ કેન્દ્ર સરકાર સામે સુત્રોચ્ચારો કરી માહોલ ગજવી નાખ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.