દિલ્હી લિકર કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને ફરી ઝટકો, દિલ્હી હાઈકોર્ટે જામીન આપવાનો કર્યો ઈનકાર


  • Published By :
  • Published Date : 2023-05-30 14:03:42

દિલ્હી લિકર કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના નેતાને ફરી એકવાર મોટો ઝટકો આપતા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. દારુ કૌભાંડમાં કથિત કૌભાંડને લઈને સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે. કોર્ટે સિસોદિયાની અપીલને ફગાવી દેતા પુરાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય નહીં.


પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા


મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈનકાર કરતાં જસ્ટિસ દિનેશ શર્માએ જણાવ્યું હતું કે તેઓ પ્રભાવશાળી સ્થિતિમાં છે અને પુરાવા સાથે ચેડાં થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી કારણ કે મોટાભાગના સાક્ષીઓ સરકારી નોકર હતા. ન્યાયાધીશે એમ પણ કહ્યું કે, આરોપોની પ્રકૃતિ ખૂબ ગંભીર છે. તેમણે કહ્યું કે, સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે. 


CBIએ લગાવ્યા ગંભીર આરોપ 


CBIવતી કોર્ટમાં હાજર થયેલા એએસજી એસવી રાજુએ કહ્યું કે, આ કૌંભાંડ એક પૂર્વ આયોજીત ષડયંત્ર હેઠળ આચરવામાં આવ્યું હતું. પ્રોફિટ માર્જિન પાંચથી વધારીને 12 ટકા કરવાની કોઈ નોંધ નથી. આ અંગે કોઈ ચર્ચા નથી. વ્યાજદરમાં વધારાનું કારણ ફાઇલમાં સામેલ કરવું જોઈએ. તપાસ એજન્સીએ કહ્યું કે, તેઓ હોલસેલરોને આટલો નફો કેમ આપી રહ્યા છે? જેથી તેના બદલે તેઓ લાંચ મેળવી શકે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.