દિલ્હી લિકર કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને ફરી ઝટકો, દિલ્હી હાઈકોર્ટે જામીન આપવાનો કર્યો ઈનકાર


  • Published By :
  • Published Date : 2023-05-30 14:03:42

દિલ્હી લિકર કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના નેતાને ફરી એકવાર મોટો ઝટકો આપતા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. દારુ કૌભાંડમાં કથિત કૌભાંડને લઈને સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે. કોર્ટે સિસોદિયાની અપીલને ફગાવી દેતા પુરાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય નહીં.


પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા


મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈનકાર કરતાં જસ્ટિસ દિનેશ શર્માએ જણાવ્યું હતું કે તેઓ પ્રભાવશાળી સ્થિતિમાં છે અને પુરાવા સાથે ચેડાં થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી કારણ કે મોટાભાગના સાક્ષીઓ સરકારી નોકર હતા. ન્યાયાધીશે એમ પણ કહ્યું કે, આરોપોની પ્રકૃતિ ખૂબ ગંભીર છે. તેમણે કહ્યું કે, સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે. 


CBIએ લગાવ્યા ગંભીર આરોપ 


CBIવતી કોર્ટમાં હાજર થયેલા એએસજી એસવી રાજુએ કહ્યું કે, આ કૌંભાંડ એક પૂર્વ આયોજીત ષડયંત્ર હેઠળ આચરવામાં આવ્યું હતું. પ્રોફિટ માર્જિન પાંચથી વધારીને 12 ટકા કરવાની કોઈ નોંધ નથી. આ અંગે કોઈ ચર્ચા નથી. વ્યાજદરમાં વધારાનું કારણ ફાઇલમાં સામેલ કરવું જોઈએ. તપાસ એજન્સીએ કહ્યું કે, તેઓ હોલસેલરોને આટલો નફો કેમ આપી રહ્યા છે? જેથી તેના બદલે તેઓ લાંચ મેળવી શકે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.