દિલ્હી લિકર કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને ફરી ઝટકો, દિલ્હી હાઈકોર્ટે જામીન આપવાનો કર્યો ઈનકાર


  • Published By :
  • Published Date : 2023-05-30 14:03:42

દિલ્હી લિકર કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના નેતાને ફરી એકવાર મોટો ઝટકો આપતા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. દારુ કૌભાંડમાં કથિત કૌભાંડને લઈને સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે. કોર્ટે સિસોદિયાની અપીલને ફગાવી દેતા પુરાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય નહીં.


પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા


મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈનકાર કરતાં જસ્ટિસ દિનેશ શર્માએ જણાવ્યું હતું કે તેઓ પ્રભાવશાળી સ્થિતિમાં છે અને પુરાવા સાથે ચેડાં થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી કારણ કે મોટાભાગના સાક્ષીઓ સરકારી નોકર હતા. ન્યાયાધીશે એમ પણ કહ્યું કે, આરોપોની પ્રકૃતિ ખૂબ ગંભીર છે. તેમણે કહ્યું કે, સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે. 


CBIએ લગાવ્યા ગંભીર આરોપ 


CBIવતી કોર્ટમાં હાજર થયેલા એએસજી એસવી રાજુએ કહ્યું કે, આ કૌંભાંડ એક પૂર્વ આયોજીત ષડયંત્ર હેઠળ આચરવામાં આવ્યું હતું. પ્રોફિટ માર્જિન પાંચથી વધારીને 12 ટકા કરવાની કોઈ નોંધ નથી. આ અંગે કોઈ ચર્ચા નથી. વ્યાજદરમાં વધારાનું કારણ ફાઇલમાં સામેલ કરવું જોઈએ. તપાસ એજન્સીએ કહ્યું કે, તેઓ હોલસેલરોને આટલો નફો કેમ આપી રહ્યા છે? જેથી તેના બદલે તેઓ લાંચ મેળવી શકે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.