મનીષ સિસોદીયાની જ્યુડિશિયલ કસ્ટડી 1 જૂન સુધી લંબાવાઈ, અરવિંદ કેજરીવાલે વીડિયો શેર કરી દિલ્હી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-05-23 14:38:22

છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયા જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે મનીષ સિસોદીયાને દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનીષ સિસોદીયાને લઈ જવાઈ રહ્યા હતા જે દરમિયાનનો વીડિયો અરવિંદ કેજરીવાલે શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે મનીષ સિસોદીયા સાથે દુર્વ્યવહાર થયા હોવાનો આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે લખ્યું કે શું પોલીસને આવું કરવા માટે ઉપરથી કહેવામાં આવ્યું હતું?

     

1 જૂન સુધી વધારાઈ મનીષ સિસોદીયાની કસ્ટડી!      

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મનીષ સિસોદીયાને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ તરફથી દિલ્હીના પૂર્વ ડે. સીએમને કોઈ રાહત નથી મળી. તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધારવામાં આવી છે. 1 જૂન સુધી તેમની કસ્ટડી વધારવામાં આવી છે. આજે કોર્ટ સમક્ષ મનીષ સિસોદીયાને હાજર કરવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલે એક વીડિયો ટ્વિટ કર્યો છે. અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ વીડિયો શેર કર્યો છે જેમાં મનીષ સિસોદીયાને લઈ જવામાં આવી રહ્યા હતા. 


અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદીયાનો વીડિયો કર્યો શેર! 

વીડિયો શેર કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું કે શું પોલીસને મનીષજી સાથે દુર્વ્યવહાર કરવાનો અધિકાર છે? શું પોલીસને આવું કરવા ઉપરથી કહેવામાં આવ્યું છે? સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી આ વાતનો વિરોધ અરવિંદ કેજરીવાલે કર્યો હોય તેવું લાગે છે. આ વીડિયો ટ્વિટ કરાતા દિલ્હી પોલીસે આ વાતનો જવાબ આપ્યો છે. દિલ્હી સરકારના મંત્રીએ વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કર્યો અને જે પોલીસ કર્મી દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારે આ મામલે દિલ્હી પોલીસે પણ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. દિલ્હી પોલીસે જવાબ આપતા કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ આ જરૂરી હતું.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.