મનીષ સિસોદીયાની જ્યુડિશિયલ કસ્ટડી 1 જૂન સુધી લંબાવાઈ, અરવિંદ કેજરીવાલે વીડિયો શેર કરી દિલ્હી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-05-23 14:38:22

છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયા જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે મનીષ સિસોદીયાને દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનીષ સિસોદીયાને લઈ જવાઈ રહ્યા હતા જે દરમિયાનનો વીડિયો અરવિંદ કેજરીવાલે શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે મનીષ સિસોદીયા સાથે દુર્વ્યવહાર થયા હોવાનો આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે લખ્યું કે શું પોલીસને આવું કરવા માટે ઉપરથી કહેવામાં આવ્યું હતું?

     

1 જૂન સુધી વધારાઈ મનીષ સિસોદીયાની કસ્ટડી!      

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મનીષ સિસોદીયાને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ તરફથી દિલ્હીના પૂર્વ ડે. સીએમને કોઈ રાહત નથી મળી. તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધારવામાં આવી છે. 1 જૂન સુધી તેમની કસ્ટડી વધારવામાં આવી છે. આજે કોર્ટ સમક્ષ મનીષ સિસોદીયાને હાજર કરવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલે એક વીડિયો ટ્વિટ કર્યો છે. અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ વીડિયો શેર કર્યો છે જેમાં મનીષ સિસોદીયાને લઈ જવામાં આવી રહ્યા હતા. 


અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદીયાનો વીડિયો કર્યો શેર! 

વીડિયો શેર કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું કે શું પોલીસને મનીષજી સાથે દુર્વ્યવહાર કરવાનો અધિકાર છે? શું પોલીસને આવું કરવા ઉપરથી કહેવામાં આવ્યું છે? સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી આ વાતનો વિરોધ અરવિંદ કેજરીવાલે કર્યો હોય તેવું લાગે છે. આ વીડિયો ટ્વિટ કરાતા દિલ્હી પોલીસે આ વાતનો જવાબ આપ્યો છે. દિલ્હી સરકારના મંત્રીએ વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કર્યો અને જે પોલીસ કર્મી દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારે આ મામલે દિલ્હી પોલીસે પણ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. દિલ્હી પોલીસે જવાબ આપતા કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ આ જરૂરી હતું.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.