મનીષ સિસોદીયાની જ્યુડિશિયલ કસ્ટડી 1 જૂન સુધી લંબાવાઈ, અરવિંદ કેજરીવાલે વીડિયો શેર કરી દિલ્હી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-05-23 14:38:22

છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયા જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે મનીષ સિસોદીયાને દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનીષ સિસોદીયાને લઈ જવાઈ રહ્યા હતા જે દરમિયાનનો વીડિયો અરવિંદ કેજરીવાલે શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે મનીષ સિસોદીયા સાથે દુર્વ્યવહાર થયા હોવાનો આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે લખ્યું કે શું પોલીસને આવું કરવા માટે ઉપરથી કહેવામાં આવ્યું હતું?

     

1 જૂન સુધી વધારાઈ મનીષ સિસોદીયાની કસ્ટડી!      

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મનીષ સિસોદીયાને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ તરફથી દિલ્હીના પૂર્વ ડે. સીએમને કોઈ રાહત નથી મળી. તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધારવામાં આવી છે. 1 જૂન સુધી તેમની કસ્ટડી વધારવામાં આવી છે. આજે કોર્ટ સમક્ષ મનીષ સિસોદીયાને હાજર કરવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલે એક વીડિયો ટ્વિટ કર્યો છે. અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ વીડિયો શેર કર્યો છે જેમાં મનીષ સિસોદીયાને લઈ જવામાં આવી રહ્યા હતા. 


અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદીયાનો વીડિયો કર્યો શેર! 

વીડિયો શેર કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું કે શું પોલીસને મનીષજી સાથે દુર્વ્યવહાર કરવાનો અધિકાર છે? શું પોલીસને આવું કરવા ઉપરથી કહેવામાં આવ્યું છે? સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી આ વાતનો વિરોધ અરવિંદ કેજરીવાલે કર્યો હોય તેવું લાગે છે. આ વીડિયો ટ્વિટ કરાતા દિલ્હી પોલીસે આ વાતનો જવાબ આપ્યો છે. દિલ્હી સરકારના મંત્રીએ વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કર્યો અને જે પોલીસ કર્મી દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારે આ મામલે દિલ્હી પોલીસે પણ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. દિલ્હી પોલીસે જવાબ આપતા કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ આ જરૂરી હતું.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.