મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને રાજીનામુ આપતા હડકંપ, CM કેજરીવાલે પણ સ્વિકાર્યુ


  • Published By :
  • Published Date : 2023-02-28 19:04:43

દિલ્હીમાં કેજરીવાલ સરકારના બે મંત્રીઓ મનીષ સિસોદિયા અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર  જૈને મંગળવારે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પાસે દિલ્હી સરકારના કુલ 33માંથી 18 વિભાગો છે હવે તેમના રાજીનામા બાદ તેમનો હવાલો કોણ સંભાળશે તે એક સવાલ છે.


CM કેજરીવાલે સ્વિકાર્યા રાજીનામા


મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને પદ પરથી રાજીનામું આપી દીધું છે. ન્યૂઝ એજન્સી અનુસાર, મુખ્યમંત્રી કેજરીવાલે પણ બંને મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. રાજીનામું આપનાર બંને નેતાઓ અલગ-અલગ કેસમાં આરોપી છે. સિસોદિયા કથિત એક્સાઇઝ કૌભાંડના સંબંધમાં પાંચ દિવસના CBI રિમાન્ડ પર છે, જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા 9 મહિનાથી જેલમાં જ છે.


સુપ્રીમમાંથી રાહત ન મળી 


મનીષ સિસોદિયાની દિલ્હી લિકર પોલીસી કેસમાં રવિવારે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને સોમવારે કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં સફળ રહી હતી. મંગળવારે સિસોદિયા સીબીઆઈની આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહત ન મળી નહોતી. 


CJIએ HCમાં જવાની સલાહ આપી


સુપ્રીમે કોર્ટના CJI ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાએ સિસોદિયાના વકીલને સલાહ આપતા કહ્યું કે 'તમારે હાઈકોર્ટમાં જવું જોઈએ, તમે સીધા જ સુપ્રીમ કોર્ટ પાસે જામીન કેમ માગી રહ્યા છો, બેંચેકહ્યું કે આ કેસ દિલ્હીમાં છે તેનો અર્થ એ નથી કે તમારે સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. તેમણે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી સિસોદિયા પાસે તેમના જામીન અંગે ઘણા વિકલ્પો છે. તેણે દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. અમે આ મામલે હસ્તક્ષેપ કરી શકીએ નહીં.


હવે દિલ્હી હાઈકોર્ટમાં કરશે અરજી


આમ આદમી પાર્ટીના સુત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી હવે સુપ્રીમ કોર્ટની સલાહ પર આ મામલાને હાઈકોર્ટમાં લઈ જશે. પક્ષે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.