મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને રાજીનામુ આપતા હડકંપ, CM કેજરીવાલે પણ સ્વિકાર્યુ


  • Published By :
  • Published Date : 2023-02-28 19:04:43

દિલ્હીમાં કેજરીવાલ સરકારના બે મંત્રીઓ મનીષ સિસોદિયા અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર  જૈને મંગળવારે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પાસે દિલ્હી સરકારના કુલ 33માંથી 18 વિભાગો છે હવે તેમના રાજીનામા બાદ તેમનો હવાલો કોણ સંભાળશે તે એક સવાલ છે.


CM કેજરીવાલે સ્વિકાર્યા રાજીનામા


મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને પદ પરથી રાજીનામું આપી દીધું છે. ન્યૂઝ એજન્સી અનુસાર, મુખ્યમંત્રી કેજરીવાલે પણ બંને મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. રાજીનામું આપનાર બંને નેતાઓ અલગ-અલગ કેસમાં આરોપી છે. સિસોદિયા કથિત એક્સાઇઝ કૌભાંડના સંબંધમાં પાંચ દિવસના CBI રિમાન્ડ પર છે, જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા 9 મહિનાથી જેલમાં જ છે.


સુપ્રીમમાંથી રાહત ન મળી 


મનીષ સિસોદિયાની દિલ્હી લિકર પોલીસી કેસમાં રવિવારે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને સોમવારે કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં સફળ રહી હતી. મંગળવારે સિસોદિયા સીબીઆઈની આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહત ન મળી નહોતી. 


CJIએ HCમાં જવાની સલાહ આપી


સુપ્રીમે કોર્ટના CJI ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાએ સિસોદિયાના વકીલને સલાહ આપતા કહ્યું કે 'તમારે હાઈકોર્ટમાં જવું જોઈએ, તમે સીધા જ સુપ્રીમ કોર્ટ પાસે જામીન કેમ માગી રહ્યા છો, બેંચેકહ્યું કે આ કેસ દિલ્હીમાં છે તેનો અર્થ એ નથી કે તમારે સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. તેમણે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી સિસોદિયા પાસે તેમના જામીન અંગે ઘણા વિકલ્પો છે. તેણે દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. અમે આ મામલે હસ્તક્ષેપ કરી શકીએ નહીં.


હવે દિલ્હી હાઈકોર્ટમાં કરશે અરજી


આમ આદમી પાર્ટીના સુત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી હવે સુપ્રીમ કોર્ટની સલાહ પર આ મામલાને હાઈકોર્ટમાં લઈ જશે. પક્ષે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.